શોધખોળ કરો

ગગનયાનની તારીખ થઇ ફિકસ, ચંદ્ર માનવ મિશન ક્યારે થશે શરૂ, ISRO ચીફે કરી મહત્વની જાહેરાત

સોમનાથે કહ્યું, 'ચંદ્રયાન-4 ખૂબ જ ભારે મિશન હશે, જેમાં લેન્ડર ભારત આપશે, જ્યારે રોવર જાપાનથી આવશે. ચંદ્રયાન-3 પર રોવરનું વજન માત્ર 27 કિલો હતું. પરંતુ, આ મિશન 350 કિલોનું રોવર વહન કરશે. આ મિશન ભારતને ચંદ્ર પર માનવ ઉતારવાની એક ડગલું નજીક લઈ જશે

ઇસરો ચીફ એસ સોમનાથે શનિવારે ભારતના મહત્વકાંક્ષી અવકાશ મિશન વિશે માહિતી આપી હતી. તેમણે ગગનયાન, ચંદ્રયાન-4 અને ચંદ્રયાન-5 મિશનના પ્રક્ષેપણમાં વિલંબ અંગે પણ માહિતી આપી હતી. તેમણે એ પણ જણાવ્યું કે, ભારત ચંદ્ર પર માનવ મિશન ક્યારે શરૂ કરી શકે છે. તેમણે ઈસરોમાં ખાનગી ક્ષેત્રની પણ વાત કરી છે.

 સમગ્ર વિશ્વની નજર ભારતીય અવકાશ એજન્સી (ઇસરો) પર ટકેલી છે. ચંદ્રયાન-3 ની સફળતા પછી, ISRO ચંદ્રયાન-4 અને ગગનયાન મિશન પર ઝડપી ગતિએ કામ કરી રહ્યું છે. વાસ્તવમાં, ભારતનું પ્રથમ માનવયુક્ત અવકાશ મિશન 'ગગનયાન' 2024 અથવા 2025 ના અંતમાં લોન્ચ થવાની અપેક્ષા હતી, પરંતુ તેની તારીખ બદલાઈ ગઈ છે. ઈસરોના અધ્યક્ષ એસ સોમનાથે શનિવારે આકાશવાણી (ઓલ ઈન્ડિયા રેડિયો) પર સરદાર પટેલ મેમોરિયલ લેક્ચરમાં ભારતના આગામી મિશનની સાથે વૈશ્વિક અવકાશ અર્થતંત્રમાં ભારતની ભાગીદારી વધારવા વિશે પણ વાત કરી હતી. તેમણે ગગનયાન, ચંદ્રયાન-4, ચંદ્રયાન-5 અને ચંદ્ર પર ભારતના માનવ મિશન વિશે પણ વાત કરી.

 ઓલ ઈન્ડિયા રેડિયોના લેક્ચરમાં તેમણે ભારતના બહુપ્રતિક્ષિત ગગનયાન મિશન વિશે જણાવ્યું. તેમણે કહ્યું કે માનવસહિત અવકાશ મિશન ગગનયાન સંભવતઃ 2026માં લોન્ચ કરવામાં આવશે. તે જ સમયે, ચંદ્રયાન-4, જે ચંદ્રની સપાટીથી નમૂનાઓ લાવશે, તેને 2028 સુધીમાં લોન્ચ કરવામાં આવી શકે છે. સાથે જ તેમણે કહ્યું કે ભારત-અમેરિકાનું વિલંબિત મિશન નિસાર આવતા વર્ષ સુધીમાં શક્ય બનશે. NISAR મિશન એ એક રડાર મશીન છે જે પૃથ્વીની સપાટી પર પર્યાવરણીય ફેરફારો અને કુદરતી આફતો અને કુદરતી ઘટનાઓ વિશે વધુ સચોટ  માહિતી એકત્ર કરશે.

 ISROનું મૂન મિશન

ISROના અધ્યક્ષે જાહેર કર્યું કે જાપાનની સ્પેસ એજન્સી JAXA સાથે સંયુક્ત ચંદ્ર-ઉતરાણ મિશન, જેનું મૂળ નામ LUPEX અથવા Lunar Polar Exploration (LUPEX) હતું. આ ચંદ્રયાન-5 મિશન હશે. તેમણે લોન્ચ માટે કોઈ નિશ્ચિત સમયમર્યાદાનો ઉલ્લેખ કર્યો ન હતો. અગાઉ LUPEX મિશન 2025ની સમયમર્યાદામાં લોન્ચ થવાનું હતું, પરંતુ હવે તેને ચંદ્રયાન-5 તરીકે વર્ણવવામાં આવ્યું છે, તેથી તેની અપેક્ષા 2028 પછી જ કરી શકાય છે.

 ચંદ્રયાન-4 ક્યારે

સોમનાથે કહ્યું, 'ચંદ્રયાન-4 ખૂબ જ ભારે મિશન હશે, જેમાં લેન્ડર ભારત આપશે, જ્યારે રોવર જાપાનથી આવશે. ચંદ્રયાન-3 પર રોવરનું વજન માત્ર 27 કિલો હતું. પરંતુ, આ મિશન 350 કિલોનું રોવર વહન કરશે. આ મિશન ભારતને ચંદ્ર પર માનવ ઉતારવાની એક ડગલું નજીક લઈ જશે. ભારતે 2040 સુધીમાં ચંદ્ર પર માનવ મિશન મોકલવાની યોજના જાહેર કરી છે.

 ISRO માં ખાનગી ક્ષેત્ર

શનિવારના વ્યાખ્યાનમાં, સોમનાથે વૈશ્વિક અવકાશ અર્થતંત્ર અને અવકાશ સંશોધનમાં ખાનગી ક્ષેત્રને સામેલ કરવા વિશે વાત કરી. તેમણે કહ્યું કે આગામી 10 થી 12 વર્ષમાં આંતરરાષ્ટ્રીય અવકાશ અર્થવ્યવસ્થામાં ભારતની ભાગીદારી 2 ટકાથી વધારીને 10 ટકા કરવાના પ્રયાસો કરવામાં આવશે. તેમણે કહ્યું કે ISRO પોતાના દમ પર આ હાંસલ કરી શકતું નથી. સ્ટાર્ટ-અપ્સથી લઈને મોટી કંપનીઓ સુધી, દરેક વ્યક્તિએ ભારતના અવકાશ ક્ષેત્રમાં આવવાની જરૂર છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યની નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ માટે એક જ દિવસમાં ૧૦૦૦ કરોડ રૂપિયા મંજૂર
રાજ્યની નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ માટે એક જ દિવસમાં ૧૦૦૦ કરોડ રૂપિયા મંજૂર
ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય, રી સર્વેની મુદ્દતમાં એક વર્ષનો વધારો કર્યો
ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય, રી સર્વેની મુદ્દતમાં એક વર્ષનો વધારો કર્યો
'તેલંગાણા પોલીસનો નથી કોઇ દોષ', અલ્લૂ અર્જૂનની ધરપકડ પર બોલ્યા પવન કલ્યાણ, રેવંત રેડ્ડીની પણ કરી પ્રસંશા
'તેલંગાણા પોલીસનો નથી કોઇ દોષ', અલ્લૂ અર્જૂનની ધરપકડ પર બોલ્યા પવન કલ્યાણ, રેવંત રેડ્ડીની પણ કરી પ્રસંશા
IND vs AUS: મેલબૉર્નમાં ટીમ ઇન્ડિયાની હાર, 184 રનોથી જીત્યું ઓસ્ટ્રેલિયા, હવે ભારતનું WTC ફાઇનલમાં પહોંચવું મુશ્કેલ
IND vs AUS: મેલબૉર્નમાં ટીમ ઇન્ડિયાની હાર, 184 રનોથી જીત્યું ઓસ્ટ્રેલિયા, હવે ભારતનું WTC ફાઇનલમાં પહોંચવું મુશ્કેલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અભી તો પાર્ટી શુરૂ હુઈ હૈHun To Bolish : હું તો બોલીશ : ભગવાનના દરબારમાં પણ VIPનો વહેમ?Junagadh Gadi Controversy: જૂનાગઢના ભવનાથ મંદિરની ગાદીનો વિવાદ વધુ વકર્યોBZ Group Scam : ભૂપેન્દ્ર ઝાલાની પૉન્ઝી સ્કીમમાં 11 હજાર લોકોનું રોકાણ! CID ક્રાઇમની તપાસમાં ખુલાસા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યની નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ માટે એક જ દિવસમાં ૧૦૦૦ કરોડ રૂપિયા મંજૂર
રાજ્યની નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ માટે એક જ દિવસમાં ૧૦૦૦ કરોડ રૂપિયા મંજૂર
ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય, રી સર્વેની મુદ્દતમાં એક વર્ષનો વધારો કર્યો
ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય, રી સર્વેની મુદ્દતમાં એક વર્ષનો વધારો કર્યો
'તેલંગાણા પોલીસનો નથી કોઇ દોષ', અલ્લૂ અર્જૂનની ધરપકડ પર બોલ્યા પવન કલ્યાણ, રેવંત રેડ્ડીની પણ કરી પ્રસંશા
'તેલંગાણા પોલીસનો નથી કોઇ દોષ', અલ્લૂ અર્જૂનની ધરપકડ પર બોલ્યા પવન કલ્યાણ, રેવંત રેડ્ડીની પણ કરી પ્રસંશા
IND vs AUS: મેલબૉર્નમાં ટીમ ઇન્ડિયાની હાર, 184 રનોથી જીત્યું ઓસ્ટ્રેલિયા, હવે ભારતનું WTC ફાઇનલમાં પહોંચવું મુશ્કેલ
IND vs AUS: મેલબૉર્નમાં ટીમ ઇન્ડિયાની હાર, 184 રનોથી જીત્યું ઓસ્ટ્રેલિયા, હવે ભારતનું WTC ફાઇનલમાં પહોંચવું મુશ્કેલ
રેશન કાર્ડ માટે લાઈનમાં ઉભવાની ઝંઝટ છોડો, આ રીતે ઘરે બેઠા ફટાફટ થઈ જશે E-KYC
રેશન કાર્ડ માટે લાઈનમાં ઉભવાની ઝંઝટ છોડો, આ રીતે ઘરે બેઠા ફટાફટ થઈ જશે E-KYC
Cold Wave: 5.6 ડિગ્રી તાપમાન સાથે નલિયા બન્યું ઠંડુગાર, 12 શહેરોમાં પારો ગગડીને 15 ડિગ્રી નીચે પહોંચ્યું
Cold Wave: 5.6 ડિગ્રી તાપમાન સાથે નલિયા બન્યું ઠંડુગાર, 12 શહેરોમાં પારો ગગડીને 15 ડિગ્રી નીચે પહોંચ્યું
મનમોહન સિંહની અંતિમ યાત્રામાં કોઇપણ કોંગ્રેસીના સામેલ ના થવાનો દાવો ખોટો છે
મનમોહન સિંહની અંતિમ યાત્રામાં કોઇપણ કોંગ્રેસીના સામેલ ના થવાનો દાવો ખોટો છે
'દિલ્હીમાં પૂજારીઓને દર મહિને મળશે 18,000 રૂપિયા', -અરવિંદ કેજરીવાલનું મોટુ એલાન
'દિલ્હીમાં પૂજારીઓને દર મહિને મળશે 18,000 રૂપિયા', -અરવિંદ કેજરીવાલનું મોટુ એલાન
Embed widget