શોધખોળ કરો
પદ્મનાભસ્વામી મંદિરમાં 186 કરોડનું કૌભાંડ, ઑડિટ રિપોર્ટમાં થયો ખુલાસો

તિરૂવંનતપુરમ: કેરલના જાણીતા પદ્મનાભસ્વામી મંદિરની સંપત્તિમાંથી 186 કરોડ રૂપિયાનું સોનું ગાયબ થઈ ગયું છે. મંદિરનું આ કૌભાંડ ત્યારે બહાર આવ્યું જ્યારે વિનોદ રાય કમિટીએ મંદિરની સંપત્તિનું ઓડિટ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે ઓક્ટોબર 2015માં સુપ્રીમ કોર્ટના પૂર્વ સીએજી વિનોદ રાયને મંદિરની સંપત્તિનું ઑડિટ કરી રિપોર્ટ આપવાનું કહ્યું હતું. વિનોદ રાય કમિટીએ રિપોર્ટમાં ખુલાસો કર્યો છે કે મંદિર પ્રશાસનમાં જોરદાર કૌભાંડ થઈ રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર લગભગ 1000 પન્નાઓના રિપોર્ટમાં એ ખુલાસો થયો કે મંદિરની 186 કરોડ રૂપિયાની સંપત્તિ ગાયબ થઈ ગઈ છે. તેમાં સોનાના વાસણો છે જેની સંખ્યા 769 બતાવવામાં આવી રહી છે. રિપોર્ટમાં એ પણ જણાવવામાં આવી રહ્યું છે કે સોનાના 263 વાસણોમાં તેના શુદ્ધિકરણના નામે કૌભાંડ આચરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે વરિષ્ઠ વકીલ ગોપાલ સુબ્રમણ્યમે અમિકસ ક્યૂરીના રૂપમાં કામ કરતાં સુપ્રીમ કોર્ટને જે સૂચનો આપ્યા હતા, તે દરમિયાન વિનોદ રાયને મંદિરની સંપત્તિની ઑડિટ કરવાની જવાબદારી આપવામાં આવી હતી. પૂર્વ સીએજી રાયે ઑડિટ રિપોર્ટ તૈયાર કરી લીધો છે.
Before You Go
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર





















