શોધખોળ કરો

New CDS of India: 40 વર્ષનું કરિયર, એન્ટી ટેરરિઝ્મ ઓપરેશન્સનો અનુભવ, જાણો કોણ છે નવા CDS અનિલ ચૌહાણ

India Gets New CDS: ભારતને લેફ્ટનન્ટ જનરલ અનિલ ચૌહાણના રૂપમાં બીજા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ એટલે કે CDS મળ્યા છે.

India Gets New CDS: ભારતને લેફ્ટનન્ટ જનરલ અનિલ ચૌહાણના રૂપમાં બીજા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ એટલે કે CDS મળ્યા છે. જનરલ બિપિન રાવતના નિધન બાદ 9 મહિનાથી આ પદ ખાલી હતું. સંરક્ષણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા એક નિવેદન અનુસાર, સરકારે લેફ્ટનન્ટ જનરલ અનિલ ચૌહાણ (નિવૃત્ત) ને આગામી ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS), ભારત સરકાર, સૈન્ય બાબતોના વિભાગ તરીકે નિયુક્ત કરવાનો નિર્ણય લીધો છે. તેઓ સેક્રેટરી તરીકે પણ કામ કરશે.

સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે, 40 વર્ષથી વધુની કારકિર્દીમાં લેફ્ટનન્ટ જનરલ અનિલ ચૌહાણ (નિવૃત્ત)એ અનેક કમાન્ડ સંભાળ્યા છે. અનિલ ચૌહાણની પાસે જમ્મુ-કાશ્મીર અને ઉત્તર-પૂર્વ ભારતમાં આતંકવાદ વિરોધી કામગીરીનો બહોળો અનુભવ છે. જનરલ બિપિન રાવતના અવસાનથી CDSનું લશ્કરી પદ ખાલી હતું. પૂર્વીય કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ તરીકે જનરલ અનિલ ચૌહાણના કાર્યકાળ દરમિયાન, પૂર્વોત્તર ક્ષેત્રમાં આતંકવાદમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો, જેના પરિણામે ઘણા પૂર્વોત્તર રાજ્યોમાં સેનાની તૈનાતીમાં ઘટાડો થયો હતો.

કોણ છે લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) અનિલ ચૌહાણ?

લેફ્ટનન્ટ જનરલ અનિલ ચૌહાણનો જન્મ 18 મે 1961ના રોજ થયો હતો. તેઓ નેશનલ ડિફેન્સ એકેડમી, ખડકવાસલા અને ઈન્ડિયન મિલિટરી એકેડમી, દેહરાદૂનના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. તેઓ વર્ષ 1981માં ભારતીય સેનાની 11 ગોરખા રાઈફલ્સમાં કમિશન્ડ થયા હતા. લેફ્ટનન્ટ જનરલ ચૌહાણ 1981 થી 2021 સુધી સેનામાં મહત્વપૂર્ણ હોદ્દા પર હતા. તેઓ 40 વર્ષની શાનદાર સેવા બાદ 31 મે 2021ના રોજ આર્મીના ઈસ્ટર્ન કમાન્ડના ચીફ (જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ)ના પદ પરથી સેવા નિવૃત્ત થયા હતા.

પૂર્વ કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ તરીકે લેફ્ટનન્ટ જનરલ ચૌહાણના કાર્યકાળ દરમિયાન, પૂર્વોત્તર ક્ષેત્રમાં આતંકવાદમાં મોટો ઘટાડો થયો હતો. તેમના નેતૃત્વ હેઠળ, ઈસ્ટર્ન કમાન્ડે ભારત-ચીન સરહદે રાષ્ટ્રીય હિતોની રક્ષામાં પોતાની હિંમત દર્શાવી. લેફ્ટનન્ટ જનરલ ચૌહાણ મૂળ ઉત્તરાખંડના છે.

અનિલ ચૌહાણે ઘણા મેડલ મેળવ્યાઃ

લેફ્ટનન્ટ જનરલ ચૌહાણને ઉત્તમ યુદ્ધ સેવા મેડલ, પરમ વિશિષ્ટ સેવા મેડલ, અતિ વિશિષ્ઠ સેવા મેડલ, સેના મેડલ, વિશિષ્ટ સેવા મેડલ એનાયત કરવામાં આવ્યા છે. ઈસ્ટર્ન કમાન્ડની જવાબદારી સંભાળતા પહેલા લેફ્ટનન્ટ જનરલ ચૌહાણને નવી દિલ્હીમાં ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMO) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

DGMO તરીકે તેમણે 'ઓપરેશન સનરાઈઝ'માં ચીફ સ્ટ્રેટેજિસ્ટની ભૂમિકા ભજવી હતી. આ ઓપરેશનમાં ભારતીય સેનાએ મ્યાનમારની સેના સાથે મળીને સરહદોની નજીક આતંકવાદીઓ વિરુદ્ધ આ ઓપરેશન હાથ ધર્યું હતું. સેનાના ટોચના કમાન્ડરોમાંના એક લેફ્ટનન્ટ જનરલ ચૌહાણ પણ બાલાકોટમાં પાકિસ્તાન વિરુદ્ધ સર્જિકલ સ્ટ્રાઈકની યોજના સાથે સંકળાયેલા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાત જનસંઘના એ ક્ષત્રિય નેતા જેનો મોદીએ દિલ્હીમાં કર્યો હતો ઉલ્લેખ,  નેતાઓને તેમના જીવનમાંથી શું શીખવાની આપી સલાહ,જાણો
ગુજરાત જનસંઘના એ ક્ષત્રિય નેતા જેનો મોદીએ દિલ્હીમાં કર્યો હતો ઉલ્લેખ, નેતાઓને તેમના જીવનમાંથી શું શીખવાની આપી સલાહ,જાણો
Mukhtar Ansari Death: મુખ્તાર અંસારીનું નિધન, જેલમાં આવ્યો હાર્ટ એટેક
Mukhtar Ansari Death: મુખ્તાર અંસારીનું નિધન, જેલમાં આવ્યો હાર્ટ એટેક
Mukhtar Ansari Death: બાહુબલી મુખ્તાર અંસારીના નિધન બાદ સમગ્ર યૂપીમાં હાઈ એલર્ટ, અનેક જિલ્લાઓમાં ધારા 144 લાગું
Mukhtar Ansari Death: બાહુબલી મુખ્તાર અંસારીના નિધન બાદ સમગ્ર યૂપીમાં હાઈ એલર્ટ, અનેક જિલ્લાઓમાં ધારા 144 લાગું
Mukhtar Ansari Death: પોતાના ઉપર થયેલા હુંમલાનો ક્રુર રીતે મુખ્તારે લીધો હતો બદલો, બીજેપી નેતા પર વરસાવી હતી 400 ગોળી
Mukhtar Ansari Death: પોતાના ઉપર થયેલા હુંમલાનો ક્રુર રીતે મુખ્તારે લીધો હતો બદલો, બીજેપી નેતા પર વરસાવી હતી 400 ગોળી
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Hun To Bolish : ચૂંટણીનું જ્ઞાતિવાદી ચકડોળ । abp AsmitaHun To Bolish : સવાલ સ્વમાનનો । abp AsmitaMedanma Madamji । વિકાસની દોડમાં મહિલાઓ આગળ વધી રહી છે પણ શું હજુ પણ ઘરની જવાબદારી ઓછી થઇ ?Medanma Madamji । પ્રચારના મેદાનમાં ઉતર્યા દર્શનાબેન દેશમુખ, જુઓ કેવી છે કામગીરી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત જનસંઘના એ ક્ષત્રિય નેતા જેનો મોદીએ દિલ્હીમાં કર્યો હતો ઉલ્લેખ,  નેતાઓને તેમના જીવનમાંથી શું શીખવાની આપી સલાહ,જાણો
ગુજરાત જનસંઘના એ ક્ષત્રિય નેતા જેનો મોદીએ દિલ્હીમાં કર્યો હતો ઉલ્લેખ, નેતાઓને તેમના જીવનમાંથી શું શીખવાની આપી સલાહ,જાણો
Mukhtar Ansari Death: મુખ્તાર અંસારીનું નિધન, જેલમાં આવ્યો હાર્ટ એટેક
Mukhtar Ansari Death: મુખ્તાર અંસારીનું નિધન, જેલમાં આવ્યો હાર્ટ એટેક
Mukhtar Ansari Death: બાહુબલી મુખ્તાર અંસારીના નિધન બાદ સમગ્ર યૂપીમાં હાઈ એલર્ટ, અનેક જિલ્લાઓમાં ધારા 144 લાગું
Mukhtar Ansari Death: બાહુબલી મુખ્તાર અંસારીના નિધન બાદ સમગ્ર યૂપીમાં હાઈ એલર્ટ, અનેક જિલ્લાઓમાં ધારા 144 લાગું
Mukhtar Ansari Death: પોતાના ઉપર થયેલા હુંમલાનો ક્રુર રીતે મુખ્તારે લીધો હતો બદલો, બીજેપી નેતા પર વરસાવી હતી 400 ગોળી
Mukhtar Ansari Death: પોતાના ઉપર થયેલા હુંમલાનો ક્રુર રીતે મુખ્તારે લીધો હતો બદલો, બીજેપી નેતા પર વરસાવી હતી 400 ગોળી
Mukhtar Ansari News: કેવી રીતે પતન થયું મુખ્તાર અંસારીનું અબજોનું સામ્રાજ્ય?
Mukhtar Ansari News: કેવી રીતે પતન થયું મુખ્તાર અંસારીનું અબજોનું સામ્રાજ્ય?
Mukhtar Ansari death: ક્રિકેટનો ઓલ રાઉન્ડર કેવી રીતે બન્યો અંડરવર્લ્ડનો ડોન, બેટને બદલે હાથમાં આવી બંદૂક
Mukhtar Ansari death: ક્રિકેટનો ઓલ રાઉન્ડર કેવી રીતે બન્યો અંડરવર્લ્ડનો ડોન, બેટને બદલે હાથમાં આવી બંદૂક
RR vs DC: રાજસ્થાને હોમ ગ્રાઉન્ડમાં દિલ્હીને ધૂળ ચટાડી, પરાગની તોફાની બેટિંગ બાદ આવેશે કરી શાનદાર બોલિંગ
RR vs DC: રાજસ્થાને હોમ ગ્રાઉન્ડમાં દિલ્હીને ધૂળ ચટાડી, પરાગની તોફાની બેટિંગ બાદ આવેશે કરી શાનદાર બોલિંગ
Mukhtar Ansari Health:  જેલમાં મુખ્તાર અંસારીની તબિયત લથડતા નાજુક હાલતમાં હોસ્પિટલમાં દાખલ, બાંદા રવાના થયો પરિવાર
Mukhtar Ansari Health: જેલમાં મુખ્તાર અંસારીની તબિયત લથડતા નાજુક હાલતમાં હોસ્પિટલમાં દાખલ, બાંદા રવાના થયો પરિવાર
Embed widget