શોધખોળ કરો

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: 16 જેટલી એન્ટિબાયોટિક અને ડાયાબિટીસની દવાઓ પર મૂક્યો પ્રતિબંધ

FDC drugs ban India: દર્દીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરકારે તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂક્યો; જુઓ તમે તો આ દવા નથી ખાતા ને?

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • કેન્દ્ર સરકારે ૧૬ FDC દવાઓ પર તાત્કાલિક પ્રતિબંધ મૂક્યો છે.
  • આ દવાઓનો કોઈ તબીબી આધાર કે દર્દીને ખાસ ફાયદો નથી.
  • નિષ્ણાત સમિતિની ભલામણ બાદ દર્દી સુરક્ષા માટે નિર્ણય લેવાયો.
  • પ્રતિબંધિત યાદીમાં એન્ટિબાયોટિક્સ, પેટ અને ડાયાબિટીસની દવાઓ છે.

FDC drugs ban India: જો તમે પણ નાની-મોટી બીમારીમાં મેડિકલ સ્ટોરમાંથી જાતે જ દવા લઈને ખાતા હોવ તો સાવધાન થઈ જજો. કેન્દ્ર સરકારે દર્દીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક બહુ મોટો અને કડક નિર્ણય લીધો છે. સરકારે તાત્કાલિક અસરથી દેશમાં વેચાતી 16 જેટલી ફિક્સ્ડ-ડોઝ કોમ્બિનેશન (FDC) દવાઓના ઉત્પાદન, વેચાણ અને વિતરણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે. આ દવાઓમાં શરદી-તાવની એન્ટિબાયોટિક્સથી લઈને પેટના દુખાવા, કોસ્મેટિક્સ અને ડાયાબિટીસની જાણીતી દવાઓ પણ સામેલ છે. નિષ્ણાતોના મતે આ દવાઓ ખાવાથી દર્દીને કોઈ ખાસ ફાયદો થતો નથી અને તેના ઉપયોગ પાછળ કોઈ નક્કર તબીબી પુરાવા પણ મળ્યા નથી.

શા માટે સરકારે મૂક્યો આકરો પ્રતિબંધ?

સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર, ડ્રગ્સ ટેકનિકલ એડવાઇઝરી બોર્ડ (DTAB) અને નિષ્ણાતોની એક ખાસ કમિટી દ્વારા આ દવાઓનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. તપાસમાં સામે આવ્યું કે બે કે તેથી વધુ ફોર્મ્યુલા ભેગી કરીને બનાવાયેલી આ 16 દવાઓનો કોઈ જ તબીબી આધાર નથી. એટલે કે, આ દવાઓ દર્દીને સાજો કરવામાં કેટલી અસરકારક છે તેના કોઈ સાચા વૈજ્ઞાનિક પુરાવા મળ્યા નથી. આથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં ન થાય તે માટે 'ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ, 1940' ની કલમ 26A હેઠળ સરકારે આ કાર્યવાહી કરી છે.

કંપનીઓની દલીલો ન ચાલી

તમને જણાવી દઈએ કે આ દવાઓની તપાસની પ્રક્રિયા વર્ષ 2021 માં જ શરૂ કરી દેવામાં આવી હતી. આ દરમિયાન દવા બનાવતી ફાર્મા કંપનીઓને પોતાનો પક્ષ રાખવાની પૂરી તક પણ અપાઈ હતી. પરંતુ કંપનીઓ દ્વારા આપવામાં આવેલા ખુલાસા કે દલીલોથી નિષ્ણાતોની કમિટી સંતુષ્ટ થઈ ન હતી. આખરે લાંબા રિસર્ચ બાદ ડિસેમ્બર 2024 માં કમિટીએ આ તમામ 16 દવાઓ પર કાયમી પ્રતિબંધ મૂકવાની ભલામણ કરી દીધી.

આ દવાઓનું વેચાણ હવે બંધ થશે

પ્રતિબંધિત દવાઓના લિસ્ટમાં સૌથી વધુ એન્ટિબાયોટિક્સ છે. જેમ કે, એમોક્સિસિલિન + સેરેટિઓપેપ્ટિડેઝ, એમોક્સિસિલિન + સેરેટિઓપેપ્ટિડેઝ + લેક્ટોબેસિલસ સ્પોરોજેન્સ અને સેફ્યુરોક્સાઇમ + સેરેટિઓપેપ્ટિડેઝ જેવી દવાઓ પર રોક લગાવાઈ છે.

આ પણ વાંચોઃ કેન્સરના દર્દીઓને મોટો ફટકો: અછત વચ્ચે સરકારે આ 2 મહત્વની દવાઓના ભાવ વધાર્યા

આ ઉપરાંત, પેટના દુખાવા અને આંચકી માટે અપાતી દવા (ડાયસાયક્લોમાઇન + પેરાસીટામોલ + ક્લિડીનિયમ બ્રોમાઇડ) નો પણ લિસ્ટમાં સમાવેશ થાય છે. એટલું જ નહીં, ડાયાબિટીસની સારવારમાં અપાતી એક દવા (ગ્લિક્લેઝાઇડ + ક્રોમિયમ પિકોલિનેટ) પણ હવે બજારમાં નહીં મળે, કારણ કે ડાયાબિટીસની કોઈ પણ મેડિકલ ગાઈડલાઈનમાં આ દવા વાપરવાની સલાહ આપવામાં આવતી નથી.

સરકારનું મુખ્ય લક્ષ્ય 'દર્દીઓની સુરક્ષા'

સરકારનું સ્પષ્ટ માનવું છે કે બજારમાં માત્ર એ જ દવાઓ વેચાવી જોઈએ જે દર્દીઓ માટે સુરક્ષિત હોય અને જેની ખરેખર મેડિકલ જરૂરિયાત હોય. જે કોમ્બિનેશન દવાઓથી દર્દીને કોઈ જ ફાયદો થતો નથી અને ઉલટાનું સ્વાસ્થ્ય બગડવાનું જોખમ રહેલું છે, તેને બજારમાં વેચવા દેવી યોગ્ય નથી. લોકો દવાઓનો સાચો અને સલામત ઉપયોગ કરે તે દિશામાં સરકારનું આ એક બહુ મોટું અને જરૂરી પગલું છે.

આ પણ વાંચોઃ દવા લેતી વખતે થતી આ 3 ભૂલો તમારા સ્વાસ્થ્યને બગાડી શકે છે

Frequently Asked Questions

સરકારે કઈ પ્રકારની દવાઓ પર પ્રતિબંધ મૂક્યો છે?

કેન્દ્ર સરકારે 16 જેટલી ફિક્સ્ડ-ડોઝ કોમ્બિનેશન (FDC) દવાઓના ઉત્પાદન, વેચાણ અને વિતરણ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમાં શરદી-તાવની એન્ટિબાયોટિક્સ, પેટના દુખાવાની અને ડાયાબિટીસની દવાઓ પણ શામેલ છે.

આ દવાઓ પર પ્રતિબંધ શા માટે મૂકવામાં આવ્યો છે?

નિષ્ણાતોના મતે, આ દવાઓ ખાવાથી દર્દીને કોઈ ખાસ ફાયદો થતો નથી અને તેના ઉપયોગ પાછળ કોઈ નક્કર તબીબી પુરાવા મળ્યા નથી. દર્દીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ કડક નિર્ણય લેવાયો છે.

કયા કાયદા હેઠળ આ દવાઓ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે?

લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં ન થાય તે માટે 'ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ, 1940' ની કલમ 26A હેઠળ સરકારે આ કાર્યવાહી કરી છે. ડ્રગ્સ ટેકનિકલ એડવાઇઝરી બોર્ડે તપાસ બાદ ભલામણ કરી હતી.

આ દવાઓની તપાસ ક્યારે શરૂ થઈ હતી?

આ દવાઓની તપાસની પ્રક્રિયા વર્ષ 2021 માં શરૂ થઈ હતી. લાંબા રિસર્ચ બાદ ડિસેમ્બર 2024 માં કમિટીએ આ તમામ 16 દવાઓ પર કાયમી પ્રતિબંધ મૂકવાની ભલામણ કરી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Ram Temple Donation Scam: રામ મંદિર દાન ચોરીનો મામલો પહોંચ્યો સુપ્રિમ કોર્ટ, CBI તપાસની માંગ પર થશે મહત્વની સુનાવણી
Ram Temple Donation Scam: રામ મંદિર દાન ચોરીનો મામલો પહોંચ્યો સુપ્રિમ કોર્ટ, CBI તપાસની માંગ પર થશે મહત્વની સુનાવણી
બાળકોને નાસ્તામાં મ્યુસલી-કોર્ન ફ્લેક્સ આપતા માતા-પિતા સાવધાન! CERCના સર્વેમાં ચોંકાવનારો ખુલાસો
બાળકોને નાસ્તામાં મ્યુસલી-કોર્ન ફ્લેક્સ આપતા માતા-પિતા સાવધાન! CERCના સર્વેમાં ચોંકાવનારો ખુલાસો
Today Latest News Live Update: શિક્ષણ જગતમાં ખળભળાટ, વિદ્યાના મંદિરમાં શિક્ષકે વિદ્યાર્થી પાસે દારૂ મંગાવ્યો હોવાનો દાવો
Today Latest News Live Update: શિક્ષણ જગતમાં ખળભળાટ, વિદ્યાના મંદિરમાં શિક્ષકે વિદ્યાર્થી પાસે દારૂ મંગાવ્યો હોવાનો દાવો
શું આત્માઓ ખરેખર ખંડેર-ઘરોમાં કે અંધારા રૂમમાં બોલાવવાથી આવે છે ? સત્ય જાણીને ચોંકી જશો
શું આત્માઓ ખરેખર ખંડેર-ઘરોમાં કે અંધારા રૂમમાં બોલાવવાથી આવે છે ? સત્ય જાણીને ચોંકી જશો
Advertisement

વિડિઓઝ

Surat: સુરતના સરથાણામાં બે યુવક તણાયા, એકનો મૃતદેહ મળ્યો
બોટાદમાં ઈન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવા મુદ્દે એકની હત્યા, 2 લોકોને પહોંચી ઈજા
Gir Somnath | ખાપટ પ્રાથમિક શાળાના શિક્ષકની કરતૂતનો ફૂટ્યો ભાંડો, વિદ્યાર્થીને પૈસા આપી દારૂ મંગાવતા હોવાનો આરોપ
Vadodara By Election BJP Candidate : માંજલપુર પેટાચૂંટણીને લઈ ભાજપે જાહેર કર્યા ઉમેદવાર
Amreli Lion Attack : અમરેલીમાં સિંહના હુમલામાં યુવકનું મોત, મોઢવાડિયાનો મોતને લઈ મોટો ધડાકો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા
Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા
Gir Somnath: શિક્ષણ જગત શરમાયું, ગીર સોમનાથમાં શિક્ષકે ધોરણ-7ના વિદ્યાર્થીને 500 રૂ. આપી દારૂ મંગાવ્યો
Gir Somnath: શિક્ષણ જગત શરમાયું, ગીર સોમનાથમાં શિક્ષકે ધોરણ-7ના વિદ્યાર્થીને 500 રૂ. આપી દારૂ મંગાવ્યો
Gujarat Rain: ચોમાસાનું રૌદ્ર સ્વરૂપ, ગુજરાતમાં સિઝનનો સરેરાશ 24.63 ટકા વરસાદ ખાબક્યો, 10 ડેમ હાઈએલર્ટ પર
Gujarat Rain: ચોમાસાનું રૌદ્ર સ્વરૂપ, ગુજરાતમાં સિઝનનો સરેરાશ 24.63 ટકા વરસાદ ખાબક્યો, 10 ડેમ હાઈએલર્ટ પર
Big Bash League: ચેન્નઇમાં થશે બિગ બૈશ લીગનો મેચ, PM મોદીએ કરી જાહેરાત, જાણો વધુ ડિટેલ
Big Bash League: ચેન્નઇમાં થશે બિગ બૈશ લીગનો મેચ, PM મોદીએ કરી જાહેરાત, જાણો વધુ ડિટેલ
Vadodara: કાળજું કંપાવનારી ઘટના, ત્રીજા માળની બાલકનીમાં કપડાં સુકવતી સગીરાનું નીચે પટકાતા મોત
Vadodara: કાળજું કંપાવનારી ઘટના, ત્રીજા માળની બાલકનીમાં કપડાં સુકવતી સગીરાનું નીચે પટકાતા મોત
બાળકોને નાસ્તામાં મ્યુસલી-કોર્ન ફ્લેક્સ આપતા માતા-પિતા સાવધાન! CERCના સર્વેમાં ચોંકાવનારો ખુલાસો
બાળકોને નાસ્તામાં મ્યુસલી-કોર્ન ફ્લેક્સ આપતા માતા-પિતા સાવધાન! CERCના સર્વેમાં ચોંકાવનારો ખુલાસો
Embed widget