શોધખોળ કરો

કોહિનૂર પાછો મેળવવા સરકાર સાધશે બ્રિટનનો સંપર્ક

નવી દિલ્લી: વિશ્વના સૌથી મોટા હિરાઓમાંથી એક કોહિનૂરને ભારત પાછો લાવવા માટે  ટૂંક સમયમાં ભારત સરકાર બ્રિટનનો સંપર્ક કરી શકે છે. હાલમાં કોહિનૂર ટાવર ઓફ લંડનમાં આવેલા રોયલ મુગટમાં લાગેલો છે.   એક રિપોર્ટ પ્રમાણે, શુક્રવારના રોજ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ, કેબિનેટ સેક્રેટરી પી.કે. સિન્હા, કલ્ચરલ મંત્રી મહેશ શર્માની મળેલી એક બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠકમાં બ્રિટન સાથે એક કરાર કરવાની સંભાવનાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. આ કરારમાં એવું આશ્વાસન પણ આપવામાં આવી શકે છે કે ભારત કોહિનૂર સિવાય બ્રિટનના મ્યૂઝિયમોમાં રાખવામાં આવેલી અન્ય પ્રાચીન કલાકૃતિઓ પર દાવો કરશે નહીં.   સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ બેઠક 45 મિનિટ સુધી ચાલી હતી. જેમાં 108 કેટેરના કોહિનૂર હિરાને ભારત પાછો લાવવાના  વડાપ્રધાન મોદીના આદેશ બાદ બોલાવવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટ પણ કોહિનૂરને ભારત પાછો લાવવા સંબંધિત કેસની સુનાવણી કરે છે. આ કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સરકારને સવાલ કર્યો હતો કે શું સરકાર આ હિરાને ભારત પાછો લાવવાની તરફેણમાં  છે.   નોંધનીય છે કે વર્ષ 2010માં ભારતની મુલાકાતે આવેલા તત્કાલિન બ્રિટીશ પીએમ ડેવિડ કેમેરૂને કહ્યુ હતું કે, જો બ્રિટન કોહિનૂર પરત કરી દે છે તો બ્રિટિશ મ્યુઝીયમ ખાલી જોવા મળશે.’ સુત્રોના કહેવા પ્રમાણે, સરકાર કેવી રીતે કોહિનૂરને પાછો લાવવામાં આવે તેની શક્યતાઓ તપાસી રહી છે.   એપ્રિલ મહિનામાં સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે, કોહિનૂરને ના બ્રિટિશ સરકારે ચોર્યો છે ના તેઓ જબરદસ્તીથી લઇ ગયા છે પણ તે પંજાબના શાસકો દ્ધારા ઇસ્ટ ઇન્ડિયા કંપનીને ભેટમાં આપવામાં આવ્યો છે. કોહિનૂરને પાછો લાવવામાં કાયદાકીય અને ટેકનિકલ અડચણો છે કારણ કે આ મુદ્દો આઝાદી પૂર્વનો છે. હાલમાં કોહિનૂરની કિંમત 20 કરોડ ડોલર આંકવામાં આવી રહી છે.    
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

WPL 2026: મેગા ઓક્શનમાં માલામાલ થઈ આ ખેલાડી, અહીં જુઓ તમામ ટીમોની સ્ક્વોડ
WPL 2026: મેગા ઓક્શનમાં માલામાલ થઈ આ ખેલાડી, અહીં જુઓ તમામ ટીમોની સ્ક્વોડ
દિલ્હીથી અમદાવાદ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, સામે આવ્યું આ કારણ 
દિલ્હીથી અમદાવાદ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, સામે આવ્યું આ કારણ 
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર કેંદ્રીય મંત્રી નિતિન ગડકરીએ આપ્યું લેટેસ્ટ અપડેટ,જાણો શું કહ્યું ?
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર કેંદ્રીય મંત્રી નિતિન ગડકરીએ આપ્યું લેટેસ્ટ અપડેટ,જાણો શું કહ્યું ?
Cyclone Ditwah: વધુ એક ચક્રવાતી વાવાઝોડું, મોટી તબાહીનો ખતરો, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Cyclone Ditwah: વધુ એક ચક્રવાતી વાવાઝોડું, મોટી તબાહીનો ખતરો, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Advertisement

વિડિઓઝ

Jayesh Radadiya : પાટીદાર યુવક-યુવતીઓને જયેશ રાદડિયાએ શું કરી અપીલ?
Junagadh Farmers : વન્ય પ્રાણીઓની દહેશત વચ્ચે ખેડૂતો રાતે ઉજાગરા કરવા મજબૂર
Hun To Bolish : હું તો બોલીશ : કોપી પેસ્ટ યુનિવર્સિટી પાર્ટ-3
Hun To Bolish : હું તો બોલીશ : 'ખાડા'નું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોના નામે અધિકારી અને ઉદ્યોગપતિઓનો ખેલ ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
WPL 2026: મેગા ઓક્શનમાં માલામાલ થઈ આ ખેલાડી, અહીં જુઓ તમામ ટીમોની સ્ક્વોડ
WPL 2026: મેગા ઓક્શનમાં માલામાલ થઈ આ ખેલાડી, અહીં જુઓ તમામ ટીમોની સ્ક્વોડ
દિલ્હીથી અમદાવાદ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, સામે આવ્યું આ કારણ 
દિલ્હીથી અમદાવાદ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, સામે આવ્યું આ કારણ 
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર કેંદ્રીય મંત્રી નિતિન ગડકરીએ આપ્યું લેટેસ્ટ અપડેટ,જાણો શું કહ્યું ?
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર કેંદ્રીય મંત્રી નિતિન ગડકરીએ આપ્યું લેટેસ્ટ અપડેટ,જાણો શું કહ્યું ?
Cyclone Ditwah: વધુ એક ચક્રવાતી વાવાઝોડું, મોટી તબાહીનો ખતરો, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Cyclone Ditwah: વધુ એક ચક્રવાતી વાવાઝોડું, મોટી તબાહીનો ખતરો, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Gold Silver Price : ચાંદીમાં અચાનક 5,100 રુપિયા વધી ગયા, સોનું થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત  
Gold Silver Price : ચાંદીમાં અચાનક 5,100 રુપિયા વધી ગયા, સોનું થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત  
પંજાબ નેશનલ બેંકમાં 750 પદો પર ભરતીની વધુ એક તક,  1 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી રજીસ્ટ્રેશન ડેટ
પંજાબ નેશનલ બેંકમાં 750 પદો પર ભરતીની વધુ એક તક, 1 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી રજીસ્ટ્રેશન ડેટ
વૈશ્વિક લેવલે ફરી પાકિસ્તાનનું નાક કપાયું, આ દેશે Pak નાગરિકોને વિઝા આપવા પર લગાવ્યો પ્રતિબંધ
વૈશ્વિક લેવલે ફરી પાકિસ્તાનનું નાક કપાયું, આ દેશે Pak નાગરિકોને વિઝા આપવા પર લગાવ્યો પ્રતિબંધ
Supreme Court: 'દિવ્યાંગોની ગરિમાનું રક્ષણ કરવા કડક કાયદા બનાવો', સુપ્રીમ કોર્ટની કેન્દ્રને સલાહ
Supreme Court: 'દિવ્યાંગોની ગરિમાનું રક્ષણ કરવા કડક કાયદા બનાવો', સુપ્રીમ કોર્ટની કેન્દ્રને સલાહ
Embed widget