Janmashtami 2021: અમદાવાદ, ગુજરાત સહિત દેશભરમાં નંદકુંવરને વધાવવા ભક્તોમાં થનગનાટ
Janmashtami 2021: દ્વાપર યુગમાં શ્રીકૃષ્ણએ રોહિણી નક્ષત્રમાં રાત્રે 12 વાગે જન્મ લીધો હતો
Background
Janmashtami 2021: જન્માષ્ટમી હિન્દુઓનો પ્રમુખ તહેવારોમાંથી એક છે. આ તહેવાર શ્રી હરિ વિષ્ણુના આઠમા અવતાર શ્રીકૃષ્ણના જન્મદિવસના રૂપમાં ઉજવવામાં આવે છે. જન્માષ્ટમીનો તહેવાર બે દિવસ ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ 30-31 ઓગસ્ટના રોજ જન્માષ્ટમી ઉજવવામાં આવશે. સાધુ-સંન્યાસ, શૈવ સંપ્રદાયે સોમવાર એટલે કે 30 ઓગસ્ટના રોજ જન્માષ્ટમી ઉજવશે. જ્યારે કે વૈષ્ણવ સંપ્રદાયની હવેલી, બેઠક, મંદિરોમાં મંગળવાર એટલે કે 31 ઓગસ્ટના રોજ કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવશે.
નાયબ મુખ્યમંત્રીએ ઇસ્કોન મંદિર ખાતે દર્શન કર્યા
નાયબ મુખ્યમંત્રીએ ઇસ્કોન મંદિર ખાતે દર્શન કર્યા હતા. સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ થાય તેવી પ્રાર્થના કરી છે. આપણું ગુજરાત કોરોનામુક્ત થાય તે પણ પ્રાર્થના કરી છે. નીતિન પટેલે કહ્યું કે, આગામી બે ત્રણ દિવસમાં પીએમ મોદી ઇસ્કોનના સ્થાપક સ્વામી પદ્મપાદજીનો સિક્કો બહાર પાડનાર છે.
સોમનાથમાં પ્રવાસીઓનું ઘોડાપૂર
શ્રાવણ મહિનાનો ચોથો સોમવાર અને જન્માષ્ટમીનો આજે અનોખો સંયોગ છે. ત્યારે સોમનાથ મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું છે. રાજ્યભરમાં જન્માષ્ટમીની ઉજવણી થઈ રહી છે.






















