શોધખોળ કરો

કોરોના કાળમાં ગંગા નદીમાંથી મળેલા શબને લઈ મોદી સરકારે શું આપ્યો જવાબ ? જાણો વિગત

ઉત્તર પ્રદેશ અને બિહારના કેટલાક જિલ્લાઓમાં, અજાણ્યા મૃતદેહો ગંગામાં વહેતા હોવાની ઘટનાઓ મીડિયામાં આવી હતી.

નવી દિલ્હીઃ કોરોના કાળ દરમિયાન ગંગા નદીમાં ફેંકવામાં આવેલા મૃતદેહોને લઈને વિવાદ ફરી વકર્યો છે. સોમવારે, તૃણમૂલ કોંગ્રેસના નેતા ડેરેક ઓ'બ્રાયન દ્વારા પૂછવામાં આવ્યું કે કોવિડ -19 કટોકટી દરમિયાન ગંગા નદીમાં કેટલા મૃતદેહો ફેંકવામાં આવ્યા હતા ? જેના જવાબમાં જલ શક્તિ રાજ્ય મંત્રી વિશ્વેશ્વર ટુડુએ રાજ્યસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું કે કોવિડ-19 ગંગા નદીમાં ફેંકવામાં આવેલા મૃતદેહ વિશે કોઈ માહિતી ઉપલબ્ધ નથી.

ઉત્તર પ્રદેશ અને બિહારના કેટલાક જિલ્લાઓમાં, અજાણ્યા મૃતદેહો ગંગામાં વહેતા હોવાની ઘટનાઓ મીડિયામાં આવી હતી. જલ શક્તિ મંત્રાલયે સંબંધિત રાજ્ય સરકારો પાસેથી ગંગામાં વહેતા મૃતદેહો અંગે રિપોર્ટ માંગ્યો હતો. બીજી તરફ જલ શક્તિ રાજ્ય મંત્રીના આ લેખિત જવાબ પર વિવાદ સર્જાયો છે. તૃણમૂલ કોંગ્રેસે જલ શક્તિ રાજ્ય મંત્રી પર સંસદમાં ખોટા તથ્યો મૂકવાનો આરોપ લગાવ્યો છે. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ શુભેંદુ શેખર રાયે કહ્યું કે સરકાર ખોટું બોલી રહી છે. સરકાર હકીકતો છુપાવી રહી છે. દુનિયાભરના મીડિયામાં એવી તસવીરો પ્રસિદ્ધ થઈ હતી કે કોવિડ-19ના મોત બાદ મૃતદેહો ગંગામાં વહી રહ્યા છે. સરકારે સંસદને જણાવવું જોઈએ કે ગંગામાં કેટલા મૃતદેહો ફેંકવામાં આવ્યા હતા. તે લોકશાહીની વિરુદ્ધ છે, સંસદનું અપમાન છે.

કોંગ્રેસના મહાસચિવ અને રાજ્યસભા સાંસદ કેસી વેણુગોપાલે કહ્યું કે સરકાર સંસદમાં વારંવાર આંકડા છુપાવી રહી છે. ગત સત્રમાં કેસી વેણુગોપાલે ઓક્સિજનની અછતને કારણે થયેલા મૃત્યુ અંગે પ્રશ્ન પૂછ્યો હતો, જેના જવાબમાં આરોગ્ય રાજ્ય મંત્રીએ કહ્યું કે સરકાર પાસે કોઈ માહિતી નથી. આ કેસમાં કેસી વેણુગોપાલે રાજ્યસભાના અધ્યક્ષને વિશેષાધિકાર ભંગની નોટિસ પણ આપી હતી.

દેશમાં શું છે કોરોનાની સ્થિતિ

દેશમાં હવે કોરોનાની ઝડપ ઘટી ગઈ છે. આજે કોરોનાના નવા કેસ એક લાખથી ઓછા આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 83 હજાર 876 નવા કેસ સામે આવ્યા છે, જો કે આ દરમિયાન 895 લોકોના મોત થયા છે. જ્યારે 1 લાખ 99 હજાર 54 લોકો સાજા થયા છે. આ સાથે, કોરોનાની સકારાત્મકતા દર હવે ઘટીને 7.25 ટકા પર આવી ગયો છે. કોરોનાના નવા કેસ સામે આવ્યા બાદ હવે દેશમાં કુલ એક્ટિવ દર્દીઓની સંખ્યા વધીને 11 લાખ 8 હજાર 938 થઈ ગઈ છે, જ્યારે આ મહામારીને કારણે દેશમાં અત્યાર સુધીમાં કુલ 5 લાખ 2 હજાર 874 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. એક તરફ જ્યાં કોરોનાના નવા કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો બીજી તરફ અત્યાર સુધીમાં 169 કરોડનું રસીકરણ કરવામાં આવ્યું છે.

કુલ કોરોના કેસઃ 4.22 કરોડ

કુલ રિકવરીઃ 4.06 કરોડ

કુલ મૃત્યુઃ 5.02 લાખ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget