શોધખોળ કરો

કોરોના કાળમાં ગંગા નદીમાંથી મળેલા શબને લઈ મોદી સરકારે શું આપ્યો જવાબ ? જાણો વિગત

ઉત્તર પ્રદેશ અને બિહારના કેટલાક જિલ્લાઓમાં, અજાણ્યા મૃતદેહો ગંગામાં વહેતા હોવાની ઘટનાઓ મીડિયામાં આવી હતી.

નવી દિલ્હીઃ કોરોના કાળ દરમિયાન ગંગા નદીમાં ફેંકવામાં આવેલા મૃતદેહોને લઈને વિવાદ ફરી વકર્યો છે. સોમવારે, તૃણમૂલ કોંગ્રેસના નેતા ડેરેક ઓ'બ્રાયન દ્વારા પૂછવામાં આવ્યું કે કોવિડ -19 કટોકટી દરમિયાન ગંગા નદીમાં કેટલા મૃતદેહો ફેંકવામાં આવ્યા હતા ? જેના જવાબમાં જલ શક્તિ રાજ્ય મંત્રી વિશ્વેશ્વર ટુડુએ રાજ્યસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું કે કોવિડ-19 ગંગા નદીમાં ફેંકવામાં આવેલા મૃતદેહ વિશે કોઈ માહિતી ઉપલબ્ધ નથી.

ઉત્તર પ્રદેશ અને બિહારના કેટલાક જિલ્લાઓમાં, અજાણ્યા મૃતદેહો ગંગામાં વહેતા હોવાની ઘટનાઓ મીડિયામાં આવી હતી. જલ શક્તિ મંત્રાલયે સંબંધિત રાજ્ય સરકારો પાસેથી ગંગામાં વહેતા મૃતદેહો અંગે રિપોર્ટ માંગ્યો હતો. બીજી તરફ જલ શક્તિ રાજ્ય મંત્રીના આ લેખિત જવાબ પર વિવાદ સર્જાયો છે. તૃણમૂલ કોંગ્રેસે જલ શક્તિ રાજ્ય મંત્રી પર સંસદમાં ખોટા તથ્યો મૂકવાનો આરોપ લગાવ્યો છે. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ શુભેંદુ શેખર રાયે કહ્યું કે સરકાર ખોટું બોલી રહી છે. સરકાર હકીકતો છુપાવી રહી છે. દુનિયાભરના મીડિયામાં એવી તસવીરો પ્રસિદ્ધ થઈ હતી કે કોવિડ-19ના મોત બાદ મૃતદેહો ગંગામાં વહી રહ્યા છે. સરકારે સંસદને જણાવવું જોઈએ કે ગંગામાં કેટલા મૃતદેહો ફેંકવામાં આવ્યા હતા. તે લોકશાહીની વિરુદ્ધ છે, સંસદનું અપમાન છે.

કોંગ્રેસના મહાસચિવ અને રાજ્યસભા સાંસદ કેસી વેણુગોપાલે કહ્યું કે સરકાર સંસદમાં વારંવાર આંકડા છુપાવી રહી છે. ગત સત્રમાં કેસી વેણુગોપાલે ઓક્સિજનની અછતને કારણે થયેલા મૃત્યુ અંગે પ્રશ્ન પૂછ્યો હતો, જેના જવાબમાં આરોગ્ય રાજ્ય મંત્રીએ કહ્યું કે સરકાર પાસે કોઈ માહિતી નથી. આ કેસમાં કેસી વેણુગોપાલે રાજ્યસભાના અધ્યક્ષને વિશેષાધિકાર ભંગની નોટિસ પણ આપી હતી.

દેશમાં શું છે કોરોનાની સ્થિતિ

દેશમાં હવે કોરોનાની ઝડપ ઘટી ગઈ છે. આજે કોરોનાના નવા કેસ એક લાખથી ઓછા આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 83 હજાર 876 નવા કેસ સામે આવ્યા છે, જો કે આ દરમિયાન 895 લોકોના મોત થયા છે. જ્યારે 1 લાખ 99 હજાર 54 લોકો સાજા થયા છે. આ સાથે, કોરોનાની સકારાત્મકતા દર હવે ઘટીને 7.25 ટકા પર આવી ગયો છે. કોરોનાના નવા કેસ સામે આવ્યા બાદ હવે દેશમાં કુલ એક્ટિવ દર્દીઓની સંખ્યા વધીને 11 લાખ 8 હજાર 938 થઈ ગઈ છે, જ્યારે આ મહામારીને કારણે દેશમાં અત્યાર સુધીમાં કુલ 5 લાખ 2 હજાર 874 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. એક તરફ જ્યાં કોરોનાના નવા કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો બીજી તરફ અત્યાર સુધીમાં 169 કરોડનું રસીકરણ કરવામાં આવ્યું છે.

કુલ કોરોના કેસઃ 4.22 કરોડ

કુલ રિકવરીઃ 4.06 કરોડ

કુલ મૃત્યુઃ 5.02 લાખ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
Shankaracharya: ‘હિન્દુઓ કાયર છે, મુસ્લિમો ધન્ય છે!’ શંકરાચાર્યના આ નિવેદને દેશભરમાં લગાવી આગ, જાણો કેમ?
Shankaracharya: ‘હિન્દુઓ કાયર છે, મુસ્લિમો ધન્ય છે!’ શંકરાચાર્યના આ નિવેદને દેશભરમાં લગાવી આગ, જાણો કેમ?
સર્વર ડાઉનનું ટેન્શન ગયું! રેશનકાર્ડ ધારકો માટે આવી નવી એપ, હવે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું નહીં પડે
સર્વર ડાઉનનું ટેન્શન ગયું! રેશનકાર્ડ ધારકો માટે આવી નવી એપ, હવે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું નહીં પડે
મુંબઈમાં કઈ પાર્ટીમાંથી બનશે મેયર? શિવસેના કરશે નિર્ણય, શિંદેની આ માંગને લઈ BJP પરેશાન! 
મુંબઈમાં કઈ પાર્ટીમાંથી બનશે મેયર? શિવસેના કરશે નિર્ણય, શિંદેની આ માંગને લઈ BJP પરેશાન! 

વિડિઓઝ

Ahmedabad news : ઘાટલોડિયાની નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જીવલેણ હુમલો
Hun To Bolish : હું તો બોલીશ : ચાલો સુધરી જઈએ
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી-ધારાસભ્ય વચ્ચે સંકલન કેમ નહીં?
Thakor Sane : અલ્પેશ ઠાકોર પહેલા જ મહેસાણામાં અભિજિતસિંહ બારડનું શક્તિ પ્રદર્શન
Rajkot News : રાજકોટમાં શિક્ષણમંત્રીની હાજરીમાં વિપક્ષે ખોલી સરકારી શાળાની પોલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
Shankaracharya: ‘હિન્દુઓ કાયર છે, મુસ્લિમો ધન્ય છે!’ શંકરાચાર્યના આ નિવેદને દેશભરમાં લગાવી આગ, જાણો કેમ?
Shankaracharya: ‘હિન્દુઓ કાયર છે, મુસ્લિમો ધન્ય છે!’ શંકરાચાર્યના આ નિવેદને દેશભરમાં લગાવી આગ, જાણો કેમ?
સર્વર ડાઉનનું ટેન્શન ગયું! રેશનકાર્ડ ધારકો માટે આવી નવી એપ, હવે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું નહીં પડે
સર્વર ડાઉનનું ટેન્શન ગયું! રેશનકાર્ડ ધારકો માટે આવી નવી એપ, હવે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું નહીં પડે
મુંબઈમાં કઈ પાર્ટીમાંથી બનશે મેયર? શિવસેના કરશે નિર્ણય, શિંદેની આ માંગને લઈ BJP પરેશાન! 
મુંબઈમાં કઈ પાર્ટીમાંથી બનશે મેયર? શિવસેના કરશે નિર્ણય, શિંદેની આ માંગને લઈ BJP પરેશાન! 
Ahmedabad: ઘાટલોડિયાની  નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જૂની અદાવતમાં હુમલો 
Ahmedabad: ઘાટલોડિયાની  નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જૂની અદાવતમાં હુમલો 
Gold Silver Rate: ટ્રમ્પની ધમકી વચ્ચે સોના-ચાંદીમાં 'લાલચોળ' તેજી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: ટ્રમ્પની ધમકી વચ્ચે સોના-ચાંદીમાં 'લાલચોળ' તેજી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
8th Pay Commission: લેવલ 1 થી 18 સુધી, ક્યાં કર્મચારીઓનો કેટલો વધશે પગાર, જાણો અહીં 
8th Pay Commission: લેવલ 1 થી 18 સુધી, ક્યાં કર્મચારીઓનો કેટલો વધશે પગાર, જાણો અહીં 
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
Embed widget