શોધખોળ કરો

ધારા-370 રદ થયા બાદ જમ્મુ-કાશ્મીરમાં કેટલા બહારના લોકોએ ખરીદી સંપત્તિ? કેન્દ્ર સરકારે આપ્યો જવાબ

જમ્મુ-કાશ્મીરમાંથી ધારા- 370 રદ થયા બાદ કેન્દ્રશાસિત પ્રદેશની બહારના 34 લોકોએ મિલકતો ખરીદી છે. આ માહિતી કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે BSPના સાંસદ હાજી ફઝલુર રહેમાનના પ્રશ્નના જવાબમાં આપી હતી.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મંગળવારે લોકસભામાં જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરમાંથી ધારા- 370 રદ થયા બાદ કેન્દ્રશાસિત પ્રદેશની બહારના 34 લોકોએ મિલકતો ખરીદી છે. આ માહિતી કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે બહુજન સમાજ પાર્ટી (BSP)ના સાંસદ હાજી ફઝલુર રહેમાનના પ્રશ્નના જવાબમાં આપી હતી.

નિત્યાનંદ રાયે ગૃહમાં એક લેખિત જવાબમાં કહ્યું, જમ્મુ અને કાશ્મીર સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, કલમ 370 રદ થયા બાદ કેન્દ્રશાસિત પ્રદેશની બહારના 34 લોકોએ ત્યાં મિલકતો ખરીદી છે. નિત્યાનંદ રાયે જણાવ્યું હતું કે આ મિલકતો જમ્મુ, રિયાસી, ઉધમપુર અને ગાંદરબલ જિલ્લામાં છે.

આ પહેલા પ્રોપર્ટી ખરીદવાની પરવાનગી નહોતી

તમને જણાવી દઈએ કે આ પહેલા જમ્મુ-કાશ્મીરમાં કલમ 370ના કારણે અન્ય રાજ્યોના લોકો સંપત્તિ ખરીદી શકતા ન હતા. 5 ઓગસ્ટ, 2019 ના રોજ કેન્દ્ર સરકારે કલમ 370 ની જોગવાઈઓ નાબૂદ કરી દીધી હતી. ધારા 370ની જોગવાઈઓ નાબૂદ કર્યા બાદ કેન્દ્ર સરકારે જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખના કેન્દ્રશાસિત પ્રદેશોમાં જમીન અને મિલકત ખરીદવા માટેના કાયદામાં ફેરફાર કર્યો હતો. આ નવા કાયદાના અમલ બાદ અન્ય રાજ્યોના લોકોને પણ જમ્મુ-કાશ્મીરમાં પ્રોપર્ટી ખરીદવાની મંજૂરી મળી ગઈ છે.

370 હટાવ્યા બાદ આતંકવાદી ગતિવિધિઓમાં ઘટાડો થયો

તો બીજી તરફ નાણાપ્રધાન નિર્મલા સીતારમણે તાજેતરમાં કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ આતંકવાદી ગતિવિધિઓમાં ઘટાડો થયો છે. તો બીજી તરફ, રોકાણ માટે વાતાવરણ બનાવવામાં આવ્યું છે. જમ્મુ અને કાશ્મીરના બજેટ અને તેનાથી સંબંધિત અનુદાન માટેની પૂરક માંગણીઓ પર રાજ્યસભામાં ચર્ચાનો જવાબ આપતાં સીતારમણે આ વાત કહી. સીતારમણે કહ્યું હતું કે કલમ 370 રદ કર્યા પછી, કેન્દ્રશાસિત પ્રદેશમાં 890 કેન્દ્રીય કાયદા લાગુ કરવામાં આવ્યા હતા. જે લોકોને પહેલા ત્યાં કોઈ અધિકારો ન હતા તેઓ હવે સરકારી નોકરી મેળવી શકશે અને જમીન ખરીદી શકશે. જમ્મુ અને કાશ્મીરમાંથી 250 ભેદભાવપૂર્ણ રાજ્ય કાયદાઓ દૂર કરવામાં આવ્યા છે અને 137 કાયદાઓમાં સુધારો કરવામાં આવ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

વલ્લભીપુર ભાજપમાં ભૂકંપ: ધારાસભ્ય શંભુપ્રસાદ ટુંડિયા સામે ભ્રષ્ટાચારના ગંભીર આરોપો, કોઝ-વે અને હાઈવેના કામોમાં....
વલ્લભીપુર ભાજપમાં ભૂકંપ: ધારાસભ્ય શંભુપ્રસાદ ટુંડિયા સામે ભ્રષ્ટાચારના ગંભીર આરોપો, કોઝ-વે અને હાઈવેના કામોમાં....
સમૂહ લગ્નથી ભક્તિમય ભજનો સુધી: અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્નમાં ભવ્યતા અને ગરિમાનો સંગમ
સમૂહ લગ્નથી ભક્તિમય ભજનો સુધી: અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્નમાં ભવ્યતા અને ગરિમાનો સંગમ
બહુચરાજી ભાજપમાં ભડકો: આંતરિક વિખવાદ સપાટી પર, તાલુકા પ્રમુખ અને ધારાસભ્ય આમને-સામને!
બહુચરાજી ભાજપમાં ભડકો: આંતરિક વિખવાદ સપાટી પર, તાલુકા પ્રમુખ અને ધારાસભ્ય આમને-સામને!
ભાજપ શાસિત રાજ્યમાં યુવાઓને લોટરી લાગી! મુખ્યમંત્રીએ આગામી 5 વર્ષમાં 1 કરોડ સરકારી નોકરી આપવાની કરી જાહેરાત
ભાજપ શાસિત રાજ્યમાં યુવાઓને લોટરી લાગી! મુખ્યમંત્રીએ આગામી 5 વર્ષમાં 1 કરોડ સરકારી નોકરી આપવાની કરી જાહેરાત
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અધિકારીઓ થયા દોડતા !
Hun To Bolish : હું તો બોલીશ : અંધશ્રદ્ધાનો વરસાદ !
Hun To Bolish : હું તો બોલીશ : આ પડશે અને લેશે જીવ !
Pankaj Desai: MGVCLના અધિકારીનો ધારાસભ્ય પંકજ દેસાઈએ લીધો ઉધડો
Geniben Thakor: બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરના સી.આર.પાટીલ પર પ્રહાર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વલ્લભીપુર ભાજપમાં ભૂકંપ: ધારાસભ્ય શંભુપ્રસાદ ટુંડિયા સામે ભ્રષ્ટાચારના ગંભીર આરોપો, કોઝ-વે અને હાઈવેના કામોમાં....
વલ્લભીપુર ભાજપમાં ભૂકંપ: ધારાસભ્ય શંભુપ્રસાદ ટુંડિયા સામે ભ્રષ્ટાચારના ગંભીર આરોપો, કોઝ-વે અને હાઈવેના કામોમાં....
સમૂહ લગ્નથી ભક્તિમય ભજનો સુધી: અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્નમાં ભવ્યતા અને ગરિમાનો સંગમ
સમૂહ લગ્નથી ભક્તિમય ભજનો સુધી: અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્નમાં ભવ્યતા અને ગરિમાનો સંગમ
બહુચરાજી ભાજપમાં ભડકો: આંતરિક વિખવાદ સપાટી પર, તાલુકા પ્રમુખ અને ધારાસભ્ય આમને-સામને!
બહુચરાજી ભાજપમાં ભડકો: આંતરિક વિખવાદ સપાટી પર, તાલુકા પ્રમુખ અને ધારાસભ્ય આમને-સામને!
ભાજપ શાસિત રાજ્યમાં યુવાઓને લોટરી લાગી! મુખ્યમંત્રીએ આગામી 5 વર્ષમાં 1 કરોડ સરકારી નોકરી આપવાની કરી જાહેરાત
ભાજપ શાસિત રાજ્યમાં યુવાઓને લોટરી લાગી! મુખ્યમંત્રીએ આગામી 5 વર્ષમાં 1 કરોડ સરકારી નોકરી આપવાની કરી જાહેરાત
'મોદી નિવૃત્ત થાય તો નીતિન ગડકરીને જ પીએમ બનાવજો': કોંગ્રેસના ધારાસભ્યની મોટી માંગણી
'મોદી નિવૃત્ત થાય તો નીતિન ગડકરીને જ પીએમ બનાવજો': કોંગ્રેસના ધારાસભ્યની મોટી માંગણી
'સત્તામાં આવ્યા પછી લોકો ઘમંડી બની જાય છે': નામ લીધા વગર નીતિન ગડકરીએ કોને ટોણો માર્યો?
'સત્તામાં આવ્યા પછી લોકો ઘમંડી બની જાય છે': નામ લીધા વગર નીતિન ગડકરીએ કોને ટોણો માર્યો?
અંબાલાલ પટેલની વરસાદને લઈ મોટી આગાહી, આ જિલ્લાઓમા ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
અંબાલાલ પટેલની વરસાદને લઈ મોટી આગાહી, આ જિલ્લાઓમા ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
મ્યાનમાર સરહદ પર ભારતીય સેનાનો ડ્રોન હુમલો... ઉગ્રવાદી સંગઠન ULFAનો દાવો - સિનિયર લીડર ઠાર
મ્યાનમાર સરહદ પર ભારતીય સેનાનો ડ્રોન હુમલો... ઉગ્રવાદી સંગઠન ULFAનો દાવો - સિનિયર લીડર ઠાર
Embed widget