શોધખોળ કરો

India Corona Update: દેશમાં વૃદ્ધોને ‘પ્રીકોશનરી ડોઝ’ માટે મોકલવામાં આવશે SMS: સ્વાસ્થ્ય મંત્રાલય

ભારતમાં લગભગ 90 ટકા પુખ્ત વસ્તીને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. તેમણે કહ્યું સરકાર 10 જાન્યુઆરીથી શરૂ થતા પ્રીકોશનરી ડોઝ લેવા માટે એસએમએસ મોકલીને વૃદ્ધોને યાદ અપાશે.

India Corona Cases: ગયા અઠવાડિયે ભારતમાં દરરોજ સરેરાશ 8,000 થી વધુ કેસ નોંધાયા હતા. એકંદરે, કોરોના પોઝીટીવીટી દર 0.92 ટકા છે. 26 ડિસેમ્બરથી દેશમાં દરરોજ 10,000 કેસ નોંધાઈ રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, મિઝોરમના 6 જિલ્લા, અરુણાચલ પ્રદેશનો એક જિલ્લો, પશ્ચિમ બંગાળના કોલકાતા સહિત 8 જિલ્લાઓમાં 10 ટકાથી વધુનો સાપ્તાહિક પોઝિટિવિટી રેટ નોંધવામાં આવી રહ્યો છે. 14 જિલ્લામાં સાપ્તાહિક કેસ પોઝિટિવિટી દર 5-10 ટકાની વચ્ચે છે.

 લવ અગ્રવાલે કહ્યું, ભારતમાં કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટના 961 કેસ છે, જેમાંથી 320 દર્દીઓ સ્વસ્થ થઈ ગયા છે. તેમણે કહ્યું કે ભારતમાં લગભગ 90 ટકા પુખ્ત વસ્તીને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. તેમણે કહ્યું સરકાર 10 જાન્યુઆરીથી શરૂ થતા પ્રીકોશનરી ડોઝ લેવા માટે એસએમએસ મોકલીને વૃદ્ધોને યાદ અપાશે.

મૃત્યુની તીવ્રતા ઘટાડવા માટે પ્રીકોશનરી ડોઝ

ICMRના ડીજી ડૉ. બલરામ ભાર્ગવે કહ્યું કે તમામ રસી ભલે તે ભારત, ઈઝરાયેલ, અમેરિકા, યુરોપ, બ્રિટન કે ચીનની હોય. તેમનું કાર્ય મુખ્યત્વે બીમારીને મોડિફાઈ કરવાનું છે. તે ચેપ અટકાવતા નથી. પ્રીકોશનરી ડોઝ મુખ્યત્વે ચેપ, હોસ્પિટલમાં દાખલ થવા અને મૃત્યુની તીવ્રતા ઘટાડવા માટે છે. તેમણે કહ્યું કે, રસીકરણ પહેલા અને પછી માસ્કનો ઉપયોગ કરવો જરૂરી છે અને સામૂહિક મેળાવડા ટાળવા જોઈએ. કોરોના વાયરસના અગાઉના અને હાલમાં ફેલાતા પ્રકારો માટે સમાન છે. હોમ આઇસોલેશન એ એક મહત્વપૂર્ણ સ્તંભ બન્યો છે.

છેલ્લા 24 કલાકમાં ઓમિક્રોનના 180 નવા કેસ

નોંધપાત્ર વાત એ છે કે ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા ઓમિક્રોન વેરિઅન્ટના 180 નવા કેસ નોંધાયા બાદ દેશમાં આ વેરિઅન્ટના કેસ વધીને 961 થઈ ગયા છે. આ એક જ દિવસમાં નોંધાયેલા ઓમિક્રોન કેસની સૌથી વધુ સંખ્યા છે. જેમાંથી 320 લોકો સંક્રમણ મુક્ત થયા છે.

દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા 82,402

મંત્રાલયના ડેટા અનુસાર, ભારતમાં એક દિવસમાં કોવિડ-19ના 13,154 નવા કેસ સામે આવ્યા બાદ દેશમાં સંક્રમિતોની સંખ્યા વધીને 3,48,22,040 થઈ ગઈ છે. એક્ટિવ કેસોની સંખ્યા વધીને 82,402 થઈ ગઈ છે. વધુ 268 સંક્રમિતોના મોત બાદ મૃત્યુઆંક વધીને 4,80,860 થયો છે. દેશમાં 49 દિવસ બાદ કોવિડ-19ના રોજના 13 હજારથી વધુ કેસ નોંધાયા છે. અગાઉ, 11 નવેમ્બરે, 24 કલાકમાં ચેપના 13,091 નવા કેસ નોંધાયા હતા. ડેટા અનુસાર, દેશમાં સતત 63 દિવસ સુધી કોવિડ-19ના દૈનિક કેસ 15 હજારથી ઓછા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
Bharuch: હવે દરિયામાં વહી જતા નર્મદાના પાણીનો થશે સંગ્રહ, આ યોજના બદલી નાખશે ભરુચ વિસ્તારના લોકોનું જીવન
Bharuch: હવે દરિયામાં વહી જતા નર્મદાના પાણીનો થશે સંગ્રહ, આ યોજના બદલી નાખશે ભરુચ વિસ્તારના લોકોનું જીવન
GT vs MI: ગુજરાત સામેની હારથી તૂટ્યું હાર્દિક પંડ્યાનું દિલ! મેચ બાદ કહ્યું ક્યાં થઈ ભૂલ
GT vs MI: ગુજરાત સામેની હારથી તૂટ્યું હાર્દિક પંડ્યાનું દિલ! મેચ બાદ કહ્યું ક્યાં થઈ ભૂલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગુનેગાર વિરુદ્ધ કાર્યવાહીમાં પોલીસ કેટલી ગંભીર?Hun To Bolish : હું તો બોલીશ : વાણી અને વ્યવહારમાં કેટલો સાધુવાદ?Bhavnagar Police: ભાવનગરમાં ગુંડાતત્વો બન્યા બેફામ , તલવાર, છરા સાથે બે વાહનોમાં કરી તોડફોડKutch News: કચ્છમાં પુત્રીને ભગાડી જનાર યુવકના પિતા પર ત્રણ મહિલાઓએ કર્યો ધોકાથી હુમલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
Bharuch: હવે દરિયામાં વહી જતા નર્મદાના પાણીનો થશે સંગ્રહ, આ યોજના બદલી નાખશે ભરુચ વિસ્તારના લોકોનું જીવન
Bharuch: હવે દરિયામાં વહી જતા નર્મદાના પાણીનો થશે સંગ્રહ, આ યોજના બદલી નાખશે ભરુચ વિસ્તારના લોકોનું જીવન
GT vs MI: ગુજરાત સામેની હારથી તૂટ્યું હાર્દિક પંડ્યાનું દિલ! મેચ બાદ કહ્યું ક્યાં થઈ ભૂલ
GT vs MI: ગુજરાત સામેની હારથી તૂટ્યું હાર્દિક પંડ્યાનું દિલ! મેચ બાદ કહ્યું ક્યાં થઈ ભૂલ
Trending: પંજાબી ગીતના તાલ પર પોપટે લગાવ્યા ઠુમકા! વીડિયો જોયા બાદ યુઝર્સે કહ્યું, આને DID માં મોકલો
Trending: પંજાબી ગીતના તાલ પર પોપટે લગાવ્યા ઠુમકા! વીડિયો જોયા બાદ યુઝર્સે કહ્યું, આને DID માં મોકલો
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Embed widget