શોધખોળ કરો

ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ જાહેર, ભારત સરકાર દ્વારા સત્તાવાર જાહેરાત: આજે સાંજે ૫ વાગ્યાથી અમલ

ભારત અને પાકિસ્તાન વચ્ચે ગોળીબાર અને લશ્કરી કાર્યવાહી બંધ કરવાના નિર્ણય અંગે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કરેલા દાવાઓ બાદ ભારત સરકારે સ્પષ્ટતા કરી છે.

નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલો ભીષણ તણાવ હવે સમાપ્ત થવા જઈ રહ્યો છે. આ ક્ષેત્ર માટે એક મોટા અને રાહતભર્યા સમાચાર સામે આવ્યા છે, જેમાં ભારત સરકારે સત્તાવાર રીતે પાકિસ્તાન સાથે યુદ્ધ વિરામ (સીઝફાયર) ની પુષ્ટિ કરી છે.

ભારત સરકારે શનિવારે સાંજે સત્તાવાર રીતે પુષ્ટિ કરી છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ લાગુ કરવામાં આવ્યો છે. આ યુદ્ધ વિરામનો અમલ આજે સાંજે ૫:૦૦ વાગ્યાથી શરૂ થઈ ગયો છે. આ નિર્ણય સાથે, બંને દેશો વચ્ચે તાજેતરમાં વધેલા સૈન્ય તણાવનો અંત આવવાની આશા સેવાઈ રહી છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે ગોળીબાર અને લશ્કરી કાર્યવાહી બંધ કરવાના નિર્ણય અંગે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કરેલા દાવાઓ બાદ ભારત સરકારે સ્પષ્ટતા કરી છે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે અમેરિકાની મધ્યસ્થીથી બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ કરાર થયો છે. તેમણે X (અગાઉ ટ્વિટર) પર પોસ્ટ કરતા જણાવ્યું હતું કે, "યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા મધ્યસ્થી કરાયેલી લાંબી રાતની વાટાઘાટો પછી, મને જાહેરાત કરતા આનંદ થાય છે કે ભારત અને પાકિસ્તાન સંપૂર્ણ અને તાત્કાલિક યુદ્ધવિરામ માટે સંમત થયા છે. બંને દેશોને અભિનંદન. આ બાબત પર ધ્યાન આપવા બદલ આભાર."

જોકે, ભારત સરકારના ટોચના સૂત્રો દ્વારા આ અંગે પુષ્ટિ કરવામાં આવી છે કે યુદ્ધવિરામનો નિર્ણય બંને દેશો વચ્ચે સીધો લેવામાં આવ્યો હતો. વિદેશ મંત્રાલયના સચિવ વિક્રમ મિશ્રીએ આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, આજે શનિવાર (૧૦ મે, ૨૦૨૫) બપોરે પાકિસ્તાનના ડીજીએમઓએ (ડિરેક્ટર જનરલ ઑફ મિલિટરી ઓપરેશન્સ) ફોન કરીને પહેલ કરી હતી. ત્યારબાદ બંને દેશો વચ્ચે ચર્ચા થઈ હતી અને સર્વસંમતિ સધાઈ હતી. મિશ્રીએ સ્પષ્ટ કર્યું કે, "અન્ય કોઈ સ્થળે અન્ય કોઈ મુદ્દા પર વાતચીત કરવાનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી." આ નિવેદન ટ્રમ્પના મધ્યસ્થીના દાવાને રદિયો આપે છે.

બીજી તરફ, પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડારે પણ X પર પોસ્ટ કરીને પુષ્ટિ કરી હતી કે પાકિસ્તાન અને ભારત તાત્કાલિક અસરથી યુદ્ધવિરામ પર સંમત થયા છે. જોકે, તેમની પોસ્ટમાં ભારતીય પ્રદેશ પર હુમલો કરવાના નિષ્ફળ પ્રયાસો માટે કોઈ માફી માંગવામાં આવી ન હતી. તેમણે વધુમાં દાવો કર્યો હતો કે પાકિસ્તાન હંમેશા તેની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા સાથે કોઈ સમાધાન કર્યા વિના ક્ષેત્રમાં શાંતિ અને સુરક્ષા માટે પ્રયત્નશીલ રહ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાન: આગામી 14 કલાકમાં દેશના 13 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70 kmph ની ઝડપે પવન ફૂંકાશે
આવતીકાલનું હવામાન: આગામી 14 કલાકમાં દેશના 13 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70 kmph ની ઝડપે પવન ફૂંકાશે
Oil Crisis: મિડલ ઇસ્ટના તણાવ વચ્ચે 20 હજાર ટન LPG લઈને ટેન્કર ‘સિમી’ સુરક્ષિત પહોંચ્યું કંડલા
Oil Crisis: મિડલ ઇસ્ટના તણાવ વચ્ચે 20 હજાર ટન LPG લઈને ટેન્કર ‘સિમી’ સુરક્ષિત પહોંચ્યું કંડલા
અમિત શાહે 'મિલિયન માઇન્ડ્સ ટેક સિટી'નું કર્યું ઉદ્ઘાટન, વિવિધ પ્રોજેક્ટ્સ અંગે અધિકારીઓ સાથે યોજી બેઠક
અમિત શાહે 'મિલિયન માઇન્ડ્સ ટેક સિટી'નું કર્યું ઉદ્ઘાટન, વિવિધ પ્રોજેક્ટ્સ અંગે અધિકારીઓ સાથે યોજી બેઠક
Indus Waters Treaty: ભારતે સિંધુ જળ સંધિ પર આંતરરાષ્ટ્રીય કોર્ટના ચુકાદાને ફગાવી દીધો; પાકિસ્તાનને ફરી આપી ચેતવણી
Indus Waters Treaty: ભારતે સિંધુ જળ સંધિ પર આંતરરાષ્ટ્રીય કોર્ટના ચુકાદાને ફગાવી દીધો; પાકિસ્તાનને ફરી આપી ચેતવણી

વિડિઓઝ

CM Bhupendra Patel : મુખ્યમંત્રીએ આજથી શરૂ થયેલી સ્વ ગણતરીનો કરાવ્યો પ્રારંભ
Ambalal Patel Forecast: વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી
CR Patil: સુરતમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના નિવાસસ્થાનેથી વસતી ગણતરીની કામગીરીનો પ્રારંભ
Rajdhani Train Fire: દિલ્હી-ત્રિવેન્દ્રમ રાજધાનીના AC કોચમાં લાગી ભીષણ આગ લાગતા મચી અફરાતફરી
Amit Shah in Gujarat: અમદાવાદમાં ગૃહમંત્રી અમિત શાહનું સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: આગામી 14 કલાકમાં દેશના 13 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70 kmph ની ઝડપે પવન ફૂંકાશે
આવતીકાલનું હવામાન: આગામી 14 કલાકમાં દેશના 13 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70 kmph ની ઝડપે પવન ફૂંકાશે
ગુજરાતમાં વસતી ગણતરીનો આરંભ: CM પટેલ અને કેન્દ્રીય મંત્રી પાટીલે ઓનલાઈન નોંધાવી વિગતો
ગુજરાતમાં વસતી ગણતરીનો આરંભ: CM પટેલ અને કેન્દ્રીય મંત્રી પાટીલે ઓનલાઈન નોંધાવી વિગતો
પંજાબને 23 રનથી હરાવી RCB પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની, કોહલી અને ઐયર ચમક્યા
પંજાબને 23 રનથી હરાવી RCB પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની, કોહલી અને ઐયર ચમક્યા
સોના-ચાંદીના ભાવ આસમાને: સોનું ₹6540 અને ચાંદી ₹5000 મોંઘી થતાં હાહાકાર! ખરીદતા પહેલાં લેટેસ્ટ રેટ જાણો!
સોના-ચાંદીના ભાવ આસમાને: સોનું ₹6540 અને ચાંદી ₹5000 મોંઘી થતાં હાહાકાર! ખરીદતા પહેલાં લેટેસ્ટ રેટ જાણો!
IPL 2026: વિરાટ કોહલીએ રચ્યો ઇતિહાસ, બનાવ્યો એવો મહારેકોર્ડ જે તોડવો લગભગ અશક્ય છે
IPL 2026: વિરાટ કોહલીએ રચ્યો ઇતિહાસ, બનાવ્યો એવો મહારેકોર્ડ જે તોડવો લગભગ અશક્ય છે
સુરતમાં લવ જેહાદ: રહીમ 'રોહન' બની મહિલા વકીલને ફસાવી, લગ્નની લાલચે આચર્યું દુષ્કર્મ
સુરતમાં લવ જેહાદ: રહીમ 'રોહન' બની મહિલા વકીલને ફસાવી, લગ્નની લાલચે આચર્યું દુષ્કર્મ
ભારતમાલા રોડ પર નીલગાય આડી આવતાં સ્કોર્પિયો પલટી, ધાનેરાના ૩ આશાસ્પદ યુવાનોના કરુણ મોત
ભારતમાલા રોડ પર નીલગાય આડી આવતાં સ્કોર્પિયો પલટી, ધાનેરાના ૩ આશાસ્પદ યુવાનોના કરુણ મોત
UAE માં મોટા ડ્રોન હુમલા બાદ ફાટી નીકળી ભીષણ આગ, બરાકાહ પરમાણુ પ્લાન્ટને બનાવવામાં આવ્યો નિશાન
UAE માં મોટા ડ્રોન હુમલા બાદ ફાટી નીકળી ભીષણ આગ, બરાકાહ પરમાણુ પ્લાન્ટને બનાવવામાં આવ્યો નિશાન
Embed widget