![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
India-China Tensions: ઇન્ડિયન નેવીમાં સામેલ થશે 175 નવા યુદ્ધ જહાજો, દરિયામાં ચીનને ટક્કર આપવાની તૈયારીમાં ભારત
Indian Navy: નેવીને 143 એરક્રાફ્ટ અને 130 હેલિકોપ્ટર ખરીદવાની મંજૂરી પણ મળી છે
![India-China Tensions: ઇન્ડિયન નેવીમાં સામેલ થશે 175 નવા યુદ્ધ જહાજો, દરિયામાં ચીનને ટક્કર આપવાની તૈયારીમાં ભારત Indian Navy: India plans 175-warship Navy by 2035 India-China Tensions: ઇન્ડિયન નેવીમાં સામેલ થશે 175 નવા યુદ્ધ જહાજો, દરિયામાં ચીનને ટક્કર આપવાની તૈયારીમાં ભારત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/11/134841f73430ff9ce42b20a6d59b6ff61662857122845381_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Indian Navy: ભારત અને ચીન વચ્ચે માત્ર જમીની સરહદ પર જ નહીં, પરંતુ સમુદ્રમાં પણ બંને દેશ એકબીજાના હરીફ બની રહ્યા છે. બંને દેશો વચ્ચે સ્પર્ધા હિંદ મહાસાગર ક્ષેત્રમાં છે. આને ધ્યાનમાં રાખીને ભારત પોતાની નૌકાદળને મજબૂત બનાવવાની તૈયારી કરી રહ્યો છે. ઇન્ડિયન નેવીએ 68 યુદ્ધ જહાજોનો ઓર્ડર આપ્યો છે. તેમની કુલ કિંમત 2 લાખ કરોડ રૂપિયા છે. ભારતનો ઉદ્દેશ્ય આગામી વર્ષોમાં તેની નૌકાદળને મજબૂત કરવાનો છે.
નેવીને 143 એરક્રાફ્ટ અને 130 હેલિકોપ્ટર તેમજ 132 યુદ્ધ જહાજ ખરીદવાની પરવાનગી પણ મળી છે. આ સિવાય 8 નેક્સ્ટ જનરેશન કોર્વેટ (નાના યુદ્ધ જહાજો), 9 સબમરીન, 5 સર્વે શિપ અને 2 બહુહેતુક જહાજોના નિર્માણ માટે મંજૂરી આપવામાં આવી છે. આ આગામી વર્ષોમાં તૈયાર કરવામાં આવશે. ભલે નૌકાદળને બજેટની મર્યાદાઓ, ડિકમિશનિંગ અને ભારતીય શિપયાર્ડની મંદી સામે સંઘર્ષ કરવો પડી રહ્યો હોય. પરંતુ 2030 સુધીમાં નેવી પાસે 155 થી 160 યુદ્ધ જહાજ હશે.
2035 સુધીમાં નૌકાદળમાં 175 યુદ્ધ જહાજોને સામેલ કરવાનો લક્ષ્યાંક
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે ભલે આ આંકડો ઘણો સારો લાગે છે. પરંતુ ભારતીય નૌકાદળનો વાસ્તવિક ઉદ્દેશ્ય 2035 સુધીમાં તેના કાફલામાં ઓછામાં ઓછા 175 યુદ્ધ જહાજોનો સમાવેશ કરવાનો છે. આના દ્વારા માત્ર વ્યૂહાત્મક લાભ જ નહીં પરંતુ હિંદ મહાસાગર ક્ષેત્રમાં પણ આપણી પહોંચ મજબૂત થઈ શકે છે. એટલું જ નહીં પરંતુ આ સમયગાળા દરમિયાન ફાઈટર પ્લેન, એરક્રાફ્ટ, હેલિકોપ્ટર અને ડ્રોનની સંખ્યા વધારવા પર પણ ભાર મૂકવામાં આવશે.
ચીન તરફથી વધતો ખતરો
સમુદ્રમાં ચીન તરફથી વધી રહેલા ખતરાને નજરઅંદાજ કરી શકાય તેમ નથી. ચીનની પીપલ્સ લિબરેશન આર્મી-નેવી હિંદ મહાસાગર ક્ષેત્ર અને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં તેના વર્તમાન લોજિસ્ટિક પડકારને દૂર કરવા માંગે છે. તેણે આફ્રિકાના હોર્નમાં ઝિબૂતી, પાકિસ્તાનમાં કરાચી અને ગ્વાદરમાં પોતાનો બેઝ સ્થાપિત કર્યો છે. એવું માનવામાં આવે છે કે ટૂંક સમયમાં ચીની નૌકાદળ પણ કંબોડિયાના રેમમાં પોતાનો વિદેશી બેઝ સ્થાપિત કરશે. તેનો ઉદ્દેશ્ય દરેક સમુદ્રમાં પોતાની પકડ મજબૂત કરવાનો છે.
ચીન તેજ ગતિએ જહાજો બનાવવામાં વ્યસ્ત છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેની પાસે વિશ્વની સૌથી મોટી નેવી છે, જેમાં 335 યુદ્ધ જહાજ અને સબમરીન સામેલ છે. ચીને છેલ્લા 10 વર્ષમાં 150 યુદ્ધ જહાજોને પોતાના કાફલામાં સામેલ કર્યા છે. ચીન આગામી પાંચથી છ વર્ષમાં તેની નૌકાદળમાં યુદ્ધ જહાજોની સંખ્યા વધારીને 555 કરવા માંગે છે. ચીનના વિમાનવાહક જહાજોએ હિંદ મહાસાગર વિસ્તારમાં પેટ્રોલિંગ શરૂ કરી દીધું છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)