Railway News: રેલવેના મુસાફરો માટે સારા સમાચાર, ટ્રેન ઉપડે તેના 15 મિનિટ પહેલા સુધી બદલી શકશો બોર્ડિંગ સ્ટેશન
Railway News: ભારતીય રેલવે મુસાફરોની મુસાફરીને વધુ અનુકૂળ બનાવવા માટે એક મહત્વપૂર્ણ ફેરફારની તૈયારી કરી રહી છે.

Railway News: ભારતીય રેલવે મુસાફરોની મુસાફરીને વધુ અનુકૂળ બનાવવા માટે એક મહત્વપૂર્ણ ફેરફારની તૈયારી કરી રહી છે. રેલવે બોર્ડના નવા પ્રસ્તાવ મુજબ, ટ્રેન ઉપડવાની 15 મિનિટ પહેલાં પણ બોર્ડિંગ સ્ટેશન બદલી શકાશે. રેલવેના નવા પ્રસ્તાવ મુજબ હવે પેસેન્જરો ટ્રેન છૂટવાની 15થી 30 મિનિટ પહેલાં સુધી એટલે કે ટ્રેનનો બીજો ચાર્ટ બન્યા પહેલા પોતાનું બોર્ડિંગ સ્ટેશન બદલી શકશે. હાલની વ્યવસ્થામાં આ બદલાવ માત્ર પ્રથમ રિઝર્વેશન ચાર્ટ બન્યા સુધી જ શક્ય હતું, જે સામાન્ય રીતે ટ્રેન છૂટવાના 10થી 15 કલાક પહેલાં તૈયાર થઈ જાય છે. રિઝર્વેશન સોફ્ટવેરમાં જરૂરી ફેરફારો થયા બાદ આ સુવિધા પ્રથમ તબક્કામાં પ્રિમિયમ ટ્રેનોમાં પાયલટ પ્રોજેક્ટ તરીકે શરૂ થશે.એ પછી નવો નિયમ લાગુ કરાશે. બીજો રિઝર્વેશન ચાર્ટ તૈયાર થાય ત્યાં સુધી બોર્ડિંગ સ્ટેશન બદલવાની છૂટ મળશે. આ ચાર્ટ સામાન્ય રીતે ટ્રેન ઉપડવાના આશરે 30 મિનિટે બને છે. પ્રીમિયમ ટ્રેનો જેમ કે વંદે ભારત એક્સપ્રેસમાં આ સમય મર્યાદા 15 મિનિટ સુધી હોઈ શકે છે.
મુસાફરો હવે બીજો રિઝર્વેશન ચાર્ટ તૈયાર ન થાય ત્યાં સુધી તેમના બોર્ડિંગ સ્ટેશન બદલી શકશે. જો આ નિર્ણય અમલમાં મૂકવામાં આવે તો મુસાફરોને ટ્રેન ઉપાડવાના આશરે 15 મિનિટ પહેલા સુધી તેમના બોર્ડિંગ પોઇન્ટ બદલવાની સ્વતંત્રતા મળશે.આનો અમલ તબક્કાવાર રીતે કરવામાં આવશે, શરૂઆતમાં પસંદગીની ટ્રેનો સાથે અને પછીથી તે બધી ટ્રેનોમાં ઉપલબ્ધ થશે. વર્તમાન નિયમો અનુસાર, મુસાફરો ફક્ત પ્રથમ ચાર્ટ તૈયાર ન થાય ત્યાં સુધી તેમના બોર્ડિંગ સ્ટેશન બદલી શકે છે. ઘણીવાર લાંબા અંતરની ટ્રેનો માટેનો પહેલો ચાર્ટ મુસાફરી શરૂ થયાના આઠ થી 20 કલાક પહેલા તૈયાર કરવામાં આવે છે.
આવી સ્થિતિમાં જો કોઈ મુસાફરને છેલ્લી ઘડીએ બીજા સ્ટેશનથી ટ્રેનમાં ચઢવાની જરૂર હોય તો તેમની પાસે તેમના બોર્ડિંગ પોઇન્ટ બદલવાનો વિકલ્પ રહેશે નહીં. આ સમસ્યાને ઉકેલવા માટે રેલવે બોર્ડે આ નિયમોમાં છૂટછાટ આપવાનો નિર્ણય લીધો છે. 19 ફેબ્રુઆરીના રોજ, રેલવે બોર્ડના ડિરેક્ટર (પેસેન્જર માર્કેટિંગ-II) સંજય મનોચાએ CRIS (સેન્ટર ફોર રેલવે ઇન્ફોર્મેશન સિસ્ટમ્સ) ને એક પત્ર જાહેર કરીને આ નવા પ્રસ્તાવની ટેકનિકલ શક્યતા અંગે રિપોર્ટ માંગ્યો હતો. બોર્ડ બોર્ડિંગ પોઇન્ટ્સને બીજા ચાર્ટમાં બદલવાની મંજૂરી આપવાથી રેલવેની સોફ્ટવેર સિસ્ટમ્સ પર શું અસર થશે તે નક્કી કરવા માંગે છે.























