Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Dwarka Suicide News: દ્વારકામાં સરકારી ગોડાઉન અને રેલવે સ્ટેશન વિસ્તાર નજીક રહેતા 25 વર્ષીય મજૂર યુવકે વાછરડાદાદાના મંદિર પાસે અચાનક ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. મહેનત મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા યુવકના આ કટોકટીભર્યા પગલાને કારણે તેની પાંચ માસૂમ દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવતા સમગ્ર વિસ્તારમાં ભારે શોક અને અરેરાટી વ્યાપી ગઈ છે.
મળતી માહિતી મુજબ, મૃતક યુવક દ્વારકાના રેલવે સ્ટેશન અને સરકારી ગોડાઉન નજીક પરિવાર સાથે રહેતો હતો અને દૈનિક મજૂરી કામ કરીને પોતાના ઘરનું ગુજરાન ચલાવતો હતો. અચાનક જ યુવકે વાછરડાદાદાના મંદિર નજીકના વિસ્તારમાં જઈને ગળેફાંસો ખાઈ લેતાં ઘટનાસ્થળે લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતદેહને કબ્જે લઈને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવમાં સૌથી કરુણ બાબત એ સામે આવી છે કે મૃતક યુવકને સંતાનમાં પાંચ નાની દીકરીઓ છે. પિતાની અચાનક વિદાયથી આ પાંચેય માસૂમ બાળકીઓના શિર પરથી પિતાનો સાયો કાયમ માટે ઊઠી ગયો છે. યુવકે કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી, પરંતુ પરિવારે કમાનાર મુખ્ય સભ્યો ગુમાવતા ઘેરા શોકની કાલિમા છવાઈ ગઈ છે.






















