શોધખોળ કરો

Indian Railways : રેલવે સ્ટેશન પર માત્ર 100 રૂપિયામાં જ મળશે હોટલ જેવો રૂમ

રેલવેની અનેક સુવિધાઓથી મુસાફરો વાકેફ નથી. આજે અમે એવી જ એક સુવિધા વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

IRCTC Retiering Room Booking:  રેલવેને દેશની લાઈફ લાઈન કહેવામાં આવે છે. તેમાં રોજ કરોડો લોકો મુસાફરી કરે છે. તો સામે ભારતીય રેલવે મુસાફરો માટે ઘણી સુવિધાઓ પૂરી પાડે છે. જેથી કરીને લોકોની મુસાફરી આરામદાયક બની રહે. તહેવારો અને ઉનાળા દરમિયાન સ્પેશિયલ ટ્રેન દોડાવીને મુસાફરોને રાહત આપવામાં આવે છે. તેમજ ટિકિટ બુકિંગ અને અન્ય સુવિધાઓ સમયાંતરે આપવામાં આવે છે. રેલવેની અનેક સુવિધાઓથી મુસાફરો વાકેફ નથી. આજે અમે એવી જ એક સુવિધા વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

જો તમે રેલવેમાં મુસાફરી કરી રહ્યા હોવ અને તમારે રેલવે સ્ટેશન પર જ રોકાવું હોય તો તમને સ્ટેશન પર જ રૂમ મળી જશે. તમારે કોઈ હોટેલ કે ક્યાંય જવાની જરૂર નથી. આ રૂમ ખૂબ જ ઓછી કિંમતે ઉપલબ્ધ થશે. તો ચાલ જાણીએ કે કેટલા રૂપિયામાં અને કેવી રીતે ટિકિટ બુક કરાવી શકશો.

હોટેલ જેવો રૂમ માત્ર 100 રૂપિયામાં થશે બુક 

રેલવે સ્ટેશન પર મુસાફરોને રહેવા માટે હોટલ જેવા રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. આ એક એસી રૂમ હશે અને તેમાં સૂવા માટે બેડ અને રૂમની તમામ જરૂરી વસ્તુઓ ઉપલબ્ધ હશે. એક રાત માટે રૂમ બુક કરાવવા તમારે 100 રૂપિયાથી 700 રૂપિયા ચૂકવવા પડી શકે છે.

કેવી રીતે કરવું બુકિંગ?

જો તમે રેલવે સ્ટેશન પર હોટલ જેવો રૂમ બુક કરાવવા માંગો છો, તો તમારે અહીં જણાવેલી કેટલીક પ્રક્રિયાઓનું પાલન કરવું પડશે.

સૌથી પહેલા તમારું IRCTC એકાઉન્ટ ખોલો. 

હવે લોગિન કરો અને માય બુકિંગ પર જાઓ.

તમારી ટિકિટ બુકિંગના નીચેના ભાગ પર રિટાયરિંગ રૂમનો વિકલ્પ દેખાશે. 

અહીં ક્લિક કર્યા પછી તમને રૂમ બુક કરવાનો વિકલ્પ દેખાશે. 

PNR નંબર દાખલ કરવાની જરૂર નથી. 

પરંતુ કેટલીક અંગત માહિતી અને મુસાફરીની માહિતી ભરવાની રહેશે. 

હવે પેમેન્ટ કર્યા બાદ તમારો રૂમ બુક થઈ જશે. 

નોંધપાત્ર વાત એ છે કે, રેલવે હાલમાં મુસાફરોની સુવિધા માટે ઘણી સમર સ્પેશિયલ ટ્રેનો ચલાવી રહી છે. દિલ્હી-બિહાર રૂટ સિવાય પણ ઘણી જગ્યાએ સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવી રહી છે. જેથી મુસાફરોને કન્ફર્મ ટિકિટ મળી શકે. જ્યારે 18 સમર સ્પેશિયલ ટ્રેનોનો સમયગાળો પણ લંબાવવામાં આવ્યો છે.

https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદીએ સંગમમાં આસ્થાની લગાવી ડૂબકી, સૂર્ય અર્ઘ્ય સાથે કર્યુ ગંગા પૂજન અને મંત્રજાપ
PM મોદીએ સંગમમાં આસ્થાની લગાવી ડૂબકી, સૂર્ય અર્ઘ્ય સાથે કર્યુ ગંગા પૂજન અને મંત્રજાપ
Delhi Assembly Election LIVE Updates: દિલ્હીમાં 11 વાગ્યા સુધી 19.95 ટકા મતદાન, મનીષ સિસોદિયાએ કહ્યુ- 'શિક્ષણની ક્રાંતિ જીતશે'
Delhi Assembly Election LIVE Updates: દિલ્હીમાં 11 વાગ્યા સુધી 19.95 ટકા મતદાન, મનીષ સિસોદિયાએ કહ્યુ- 'શિક્ષણની ક્રાંતિ જીતશે'
Delhi Election 2025:જો BJP જીતશે તો આપ બનશો મુખ્યમંત્રી, જાણો પ્રવેશ વર્માએ મતદાન કર્યાં બાદ  શું આપ્યું નિવેદન
Delhi Election 2025:જો BJP જીતશે તો આપ બનશો મુખ્યમંત્રી, જાણો પ્રવેશ વર્માએ મતદાન કર્યાં બાદ શું આપ્યું નિવેદન
હાઈકોર્ટે બેટ દ્વારકામાં ડિમોલિશન મુદ્દે થયેલી અરજી ફગાવી, ફરી ચાલ્યુ બુલડોઝર
હાઈકોર્ટે બેટ દ્વારકામાં ડિમોલિશન મુદ્દે થયેલી અરજી ફગાવી, ફરી ચાલ્યુ બુલડોઝર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Indians Returning from America: ગેરકાયદે પ્રવેશતા 33 જેટલા ગુજરાતીઓ ઘરભેગા, જુઓ કાર્યવાહી205 Indians Returning from America: 200થી વધુ ભારતીયો અમેરિકાથી થયા ઘરભેગા, 30થી વધુ ગુજરાતીDelhi Assembly Election 2025: દિલ્હીની 70 વિધાનસભા સીટ પર મતદાન | Voting UpdatesJunagadh Accident: ઝાડ સાથે ધડાકાભેર કાર અથડાતા બે લોકોના મોત, કારનો બોલાઈ ગ્યો ભુક્કો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીએ સંગમમાં આસ્થાની લગાવી ડૂબકી, સૂર્ય અર્ઘ્ય સાથે કર્યુ ગંગા પૂજન અને મંત્રજાપ
PM મોદીએ સંગમમાં આસ્થાની લગાવી ડૂબકી, સૂર્ય અર્ઘ્ય સાથે કર્યુ ગંગા પૂજન અને મંત્રજાપ
Delhi Assembly Election LIVE Updates: દિલ્હીમાં 11 વાગ્યા સુધી 19.95 ટકા મતદાન, મનીષ સિસોદિયાએ કહ્યુ- 'શિક્ષણની ક્રાંતિ જીતશે'
Delhi Assembly Election LIVE Updates: દિલ્હીમાં 11 વાગ્યા સુધી 19.95 ટકા મતદાન, મનીષ સિસોદિયાએ કહ્યુ- 'શિક્ષણની ક્રાંતિ જીતશે'
Delhi Election 2025:જો BJP જીતશે તો આપ બનશો મુખ્યમંત્રી, જાણો પ્રવેશ વર્માએ મતદાન કર્યાં બાદ  શું આપ્યું નિવેદન
Delhi Election 2025:જો BJP જીતશે તો આપ બનશો મુખ્યમંત્રી, જાણો પ્રવેશ વર્માએ મતદાન કર્યાં બાદ શું આપ્યું નિવેદન
હાઈકોર્ટે બેટ દ્વારકામાં ડિમોલિશન મુદ્દે થયેલી અરજી ફગાવી, ફરી ચાલ્યુ બુલડોઝર
હાઈકોર્ટે બેટ દ્વારકામાં ડિમોલિશન મુદ્દે થયેલી અરજી ફગાવી, ફરી ચાલ્યુ બુલડોઝર
Ahmedabad News: અમદાવાદમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા, 1500 કિલો ભેળસેળયુક્ત પનીરનો જથ્થો જપ્ત
Ahmedabad News: અમદાવાદમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા, 1500 કિલો ભેળસેળયુક્ત પનીરનો જથ્થો જપ્ત
Delhi Elction: VIP મતદારો કોણ છે, શું તેમને મતદાન કરતી વખતે કોઈ ખાસ સુવિધા મળે છે?
Delhi Elction: VIP મતદારો કોણ છે, શું તેમને મતદાન કરતી વખતે કોઈ ખાસ સુવિધા મળે છે?
અમેરિકાએ ગેરકાયદેસર રહેતા 205 ભારતીયોને કર્યા રવાના, 33 ગુજરાતીઓ પણ સામેલ
અમેરિકાએ ગેરકાયદેસર રહેતા 205 ભારતીયોને કર્યા રવાના, 33 ગુજરાતીઓ પણ સામેલ
'ChatGPT અને DeepSeekનો ઉપયોગ ના કરે કર્મચારી...', કેન્દ્ર સરકારે આપી ચેતવણી
'ChatGPT અને DeepSeekનો ઉપયોગ ના કરે કર્મચારી...', કેન્દ્ર સરકારે આપી ચેતવણી
Embed widget