શોધખોળ કરો

Video:ફ્લાઇટમાં વિલંબ થતા ઇન્ડિગો પર ભડક્યા મુસાફરો, રનવે પર બેસી જમવા લાગ્યા

દિલ્હી-NCR સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડી અને ધુમ્મસનો કહેર જોવા મળી રહ્યો છે

દિલ્હી-NCR સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડી અને ધુમ્મસનો કહેર જોવા મળી રહ્યો છે. જેના કારણે ઘણી ટ્રેનો અને ફ્લાઈટ્સ પ્રભાવિત થઈ રહી છે. પરિણામે મુસાફરોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આવી સ્થિતિમાં સોશિયલ મીડિયા પર કેટલાક આવા વીડિયો પણ સામે આવી રહ્યા છે, જેમાં ફ્લાઈટ પ્રભાવિત થવાને કારણે હવાઈ મુસાફરો પોતાનો ગુસ્સો એર સ્ટાફ પર ઠાલવી રહ્યા છે. આવો જ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં મુસાફરો રનવે પર ઈન્ડિગો પ્લેનની એકદમ નજીક બેસીને ભોજન લેતા જોવા મળે છે. આ વીડિયો રવિવારે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ એરપોર્ટનો હોવાનું કહેવાય છે.

વાસ્તવમાં રવિવારે ગોવાથી ઉપડેલી ફ્લાઇટ ગાઢ ધુમ્મસને કારણે દિલ્હી એરપોર્ટ પર ઉતરી શકી ન હતી અને તેને મુંબઈ એરપોર્ટ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી. ગોવામાં ફ્લાઈટ પહેલાથી જ મોડી પડી હોવાથી પેસેન્જરો પહેલેથી જ ગુસ્સે હતા અને જ્યારે પ્લેન મુંબઇમાં લેન્ડ થયું ત્યારે તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને લેન્ડિંગ પછી ઇન્ડિગોના વિરોધમા રનવે પર બેસીને ખાવાનું શરૂ કર્યું હતું.

રનવે પર બેસીને મુસાફરોએ જમવાનુ શરૂ કર્યું

આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોવા મળી રહ્યું છે કે પ્લેન લેન્ડ થતાની સાથે જ ઘણા પેસેન્જર્સ રનવે પર બેસી ગયા હતા અને ત્યાં જમતા પણ જોવા મળ્યા હતા. ઈન્ડિગોના પ્રવક્તાએ કહ્યું કે એરલાઈન્સ આ ઘટનાની તપાસ કરી રહી છે અને તેણે તેના ગ્રાહકોની માફી પણ માંગી છે.

મુંબઈ એરપોર્ટના એક અધિકારીએ આ અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓને કારણે ઈન્ડિગો ફ્લાઇટ 6E 2195 (ગોવાથી દિલ્હી)ને ડાયવર્ટ કરવામાં આવી હતી. આ પછી એરપોર્ટ ઓપરેટરે, CISF QRT સાથે સંકલન કરીને મુસાફરોને સુરક્ષા ક્ષેત્રમાં લઇ ગયા હતા. મુસાફરોએ ટર્મિનલ બિલ્ડિંગ તરફ આગળ વધવાની ના પાડી દીધી હતી. નોંધનીય છે કે એરપોર્ટ રનવે પર મુસાફરોને આવવાની મંજૂરી નથી અને આ ઘટના સ્પષ્ટ રીતે સુરક્ષાનો ભંગ છે. આ ઘટના પર લેવામાં આવેલી કાર્યવાહી અંગેની માહિતી તાત્કાલિક ઉપલબ્ધ નથી.

ઓછી વિઝિબિલિટીના કારણે ફ્લાઈટને મુંબઈ ડાયવર્ટ કરાઇ હતી

આ અંગે ઈન્ડિગોએ કહ્યું કે, અમે રવિવારે ગોવાથી દિલ્હી જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ નંબર 6E2195 સંબંધિત ઘટનાથી વાકેફ છીએ. દિલ્હીમાં વિઝિબિલિટી ઓછી હોવાને કારણે ફ્લાઈટને મુંબઈ ડાયવર્ટ કરવામાં આવી હતી. અમે અમારા ગ્રાહકોની માફી માંગીએ છીએ. અમે મામલાની તપાસ કરી રહ્યા છીએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
Aadhaar Name Change: શું આધાર કાર્ડમાં 3જી વખત નામ બદલી શકાય? જાણો UIDAI નો નિયમ
Aadhaar Name Change: શું આધાર કાર્ડમાં 3જી વખત નામ બદલી શકાય? જાણો UIDAI નો નિયમ

વિડિઓઝ

Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Gujarat Govt : ખાતરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય
Chaudhary Samaj Sammelan : ચૌધરી સમાજના સંમેલનમાં મોટી જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓની નૌટંકી
Hun To Bolish : હું તો બોલીશ : કૃત્રિમ પનીર પર પ્રતિબંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
Weather Forecast: દેશના 19 રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
Weather Forecast: દેશના 19 રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
Embed widget