શોધખોળ કરો

DGCA એ ઈન્ડિગોને 24 કલાકનો આપ્યો સમય, સંસદીય સમિતિ મોકલી શકે છે સમન્સ

છેલ્લા છ દિવસથી ઇન્ડિગોની ફ્લાઇટ રદ થવાથી સર્જાયેલી અંધાધૂંધી પછી પરિસ્થિતિ હવે સુધરી રહી છે.

છેલ્લા છ દિવસથી ઇન્ડિગોની ફ્લાઇટ રદ થવાથી સર્જાયેલી અંધાધૂંધી પછી પરિસ્થિતિ હવે સુધરી રહી છે. ઇન્ડિગો ધીમે ધીમે તેના ફ્લાઇટ ઓપરેશન્સ વધારી રહી છે અને ટૂંક સમયમાં સ્થિતિ સામાન્ય થવાની અપેક્ષા છે. દરમિયાન, ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિયેશન(DGCA) ઇન્ડિગોને કારણદર્શક નોટિસનો જવાબ આપવા માટે 24 કલાકનો સમય આપ્યો છે.

ઇન્ડિગોએ DGCA ને વધારાનો સમય માંગ્યો છે

DGCA એ શનિવારે (6 ડિસેમ્બર, 2025) ના રોજ ઇન્ડિગોના એકાઉન્ટેબલ મેનેજર અને CEO પીટર એલ્બર્સને વ્યાપક ફ્લાઇટ વિક્ષેપો અને અનેક નિયમોના ઉલ્લંઘન અંગે નોટિસ જાહેર કરી હતી. 7 ડિસેમ્બર, 2025ના રોજ ઇન્ડિગોના બંને જવાબદાર અધિકારીઓએ DGCAને પત્ર લખીને જણાવ્યું હતું કે દેશભરમાં કામગીરી ખૂબ મોટી છે અને અનિવાર્ય કારણોસર ફ્લાઇટ્સ ખોરવાઈ છે અને તેથી તેમને જવાબ તૈયાર કરવા માટે વધુ સમયની જરૂર છે.

જો કોઈ નક્કર જવાબ નહીં મળે તો કાર્યવાહી કરવામાં આવશે: DGCA

DGCA એ હવે 8 ડિસેમ્બર, 2025ના રોજ સાંજે 6 વાગ્યા સુધી સમયમર્યાદા લંબાવી છે. તેણે સ્પષ્ટપણે સૂચના પણ આપી છે કે વધુ કોઈ સમય લંબાવવામાં આવશે નહીં. DGCA ચેતવણી પણ આપી છે કે જો ઈન્ડિગો આ નિર્ધારિત સમયમર્યાદામાં સંપૂર્ણ અને નક્કર જવાબ નહીં આપે તો ઉપલબ્ધ માહિતીના આધારે એકપક્ષીય કાર્યવાહી કરવામાં આવશે.

સંસદીય સમિતિ એરલાઈન કંપનીને બોલાવશે

સેંકડો ઈન્ડિગો ફ્લાઇટ્સ રદ થવાને કારણે પરિવહન, પર્યટન અને નાગરિક ઉડ્ડયન અંગેની સંસદીય સમિતિ ટૂંક સમયમાં ખાનગી એરલાઈન્સના ઉચ્ચ અધિકારીઓ અને ઉડ્ડયન નિયમનકારને બોલાવી શકે છે. JDU સાંસદ સંજય ઝાના નેતૃત્વ હેઠળની સમિતિ DGCA અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓને હાજર રહેવાની નોટિસ પણ આપવાની તૈયારી કરી રહી છે.

સમિતિ એ સમજવાનો પ્રયાસ કરી રહી છે કે આટલા મોટા પાયે ફ્લાઇટ્સ કેવી રીતે અને શા માટે રદ કરવામાં આવી અને ભવિષ્યમાં આવી પરિસ્થિતિને રોકવા માટે શું પગલાં લેવામાં આવી રહ્યા છે. સમિતિના એક સભ્યએ જણાવ્યું હતું કે સમિતિએ હવાઈ સેવાઓમાં વિક્ષેપને કારણે હજારો મુસાફરોને પડતી અસુવિધાઓને ગંભીરતાથી લીધી છે.

સંસદ સભ્યોની ફરિયાદો

એક અન્ય સભ્યએ જણાવ્યું હતું કે શિયાળુ સત્ર માટે રાષ્ટ્રીય રાજધાનીમાં હાજર રહેલા સાંસદોને પણ ઇન્ડિગો દ્વારા ફ્લાઇટ રદ કરવામાં આવી હતી અને અન્ય એરલાઇન્સ દ્વારા વિલંબ થયો હતો. ઘણા સાંસદોને જાહેર જનતા તરફથી એવી ફરિયાદો પણ મળી હતી કે આ પરિસ્થિતિને કારણે હવાઈ ભાડામાં નોંધપાત્ર વધારો થયો છે.

સીપીએમ રાજ્યસભાના સાંસદ જોન બ્રિટાસે ફ્લાઇટ્સમાં વ્યાપક વિક્ષેપની તપાસ માટે સંયુક્ત સંસદીય સમિતિની રચના અથવા ન્યાયિક તપાસની માંગ કરી હતી. બ્રિટાસ પરિવહન પરની સ્થાયી સમિતિના સભ્ય નથી. ઇન્ડિગો હાલમાં તેની 2,300 દૈનિક સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સમાંથી 1,650 ચલાવી રહી છે, જ્યારે 650 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.

ઇન્ડિગોની કામગીરીમાં સુધારો

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું હતું કે દેશભરમાં ફ્લાઇટ કામગીરીમાં ઝડપથી સુધારો કરવામાં આવી રહ્યો છે અને ઇન્ડિગો સેવાઓ સામાન્ય થઈ રહી છે. મંત્રાલયે કહ્યું હતું કે, "વધારે ભાડાને ટાળવા માટે હવાઈ ભાડા પર નિયંત્રણ રાખવામાં આવ્યું છે, રિફંડ તાત્કાલિક આપવામાં આવી રહ્યું છે અને સામાન ડિલિવરીને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે."

સરકારે જણાવ્યું હતું કે ઇન્ડિગોએ અત્યાર સુધીમાં રદ થયેલી અથવા ગંભીર રીતે મોડી પડેલી ફ્લાઇટ્સ માટે 610 કરોડ રૂપિયાના રિફંડની પ્રક્રિયા કરી છે અને શનિવાર સુધીમાં મુસાફરોને 3,000 બેગ પહોંચાડવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
Advertisement

વિડિઓઝ

Silver Price All Time High : ચાંદીનો ભાવ પહોંચ્યો ઓલટાઈમ હાઈ, કેટલો થયો ભાવ?
Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી સંઘવીએ નામ લીધા વગર મેવાણી પર શું કર્યા પ્રહાર?
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુટલેગર
Hun To Bolish : હું તો બોલીશના અહેવાલની અસર, રાજકોટમાં મળી આવ્યા 'ગોગો' પેપર
Hun To Bolish : હું તો બોલીશ : ગંજેડીનો 'ગોગો' બંધ કરો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
ફિલિપાઇન્સની રાજધાનીમાં ભીષણ આગ, 500થી વધુ મકાન બળીને ખાક, પરિવાર થયા બેઘર
ફિલિપાઇન્સની રાજધાનીમાં ભીષણ આગ, 500થી વધુ મકાન બળીને ખાક, પરિવાર થયા બેઘર
OLA, Bajaj, અને Ather ની બાદશાહત ખતમ! ઇલેક્ટ્રિક સ્કૂટર વેંચાણમાં આ કંપની બની નંબર વન
OLA, Bajaj, અને Ather ની બાદશાહત ખતમ! ઇલેક્ટ્રિક સ્કૂટર વેંચાણમાં આ કંપની બની નંબર વન
Match Fixing:મેચ ફિક્સિંગના ગુનામાં શું થઇ શકે છે સજા? ભારતીય દંડ સંહિતાની કઈ કલમો થાય છે લાગૂ?
Match Fixing:મેચ ફિક્સિંગના ગુનામાં શું થઇ શકે છે સજા? ભારતીય દંડ સંહિતાની કઈ કલમો થાય છે લાગૂ?
પાકિસ્તાનનો ચોંકાવનારો નિર્ણય, 1947 પછી પહેલીવાર બાળકોને શીખવવામાં આવશે સંસ્કૃત, શાળાઓમાં મળશે ગીતા જ્ઞાન
પાકિસ્તાનનો ચોંકાવનારો નિર્ણય, 1947 પછી પહેલીવાર બાળકોને શીખવવામાં આવશે સંસ્કૃત, શાળાઓમાં મળશે ગીતા જ્ઞાન
Embed widget