શોધખોળ કરો

Indo-Nepal : ભારત-નેપાળ વચ્ચે થયા 'રોટી-બેટી'ના ઐતિહાસિક કરાર, ચીનના પુંછડે આગ

પ્રચંડની ભારત મુલાકાત પહેલા નેપાળના રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડ્યાલે દેશના નાગરિક કાયદામાં વિવાદાસ્પદ સુધારાને મંજૂરી આપી હતી.

Nepal-India-China : નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ ઐતિહાસિક ભૂલમાંથી બોધપાઠ લઈને પોતાના પહેલા વિદેશ પ્રવાસે ભારત પહોંચ્યા છે. નેપાળના વડાપ્રધાન અને પીએમ મોદી વચ્ચે ઉષ્માભરી મુલાકાત થઈ હતી. બંને દેશો વચ્ચે વીજળી, ખાતર સહિત અનેક કરારો થયા છે. પરંતુ ભારત અને નેપાળ વચ્ચે એક એવા મહત્વના અને ઐતિહાસિક કરાર થયા છે જેનાથી ચીનમાં પેટમાં ધગધતું તેલ રેડાઈ શકે છે. 

પ્રચંડની આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે ભારત અને ચીન વચ્ચેના સંબંધો ખૂબ જ તંગ ચાલી રહ્યાં છે. પ્રચંડની ભારત મુલાકાત પહેલા નેપાળના રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડ્યાલે દેશના નાગરિક કાયદામાં વિવાદાસ્પદ સુધારાને મંજૂરી આપી હતી. આ સુધારા સાથે હવે જો કોઈ વિદેશી મહિલા નેપાળી નાગરિક સાથે લગ્ન કરશે તો તેને રાજકીય અધિકાર મળશે. નેપાળના આ પગલાથી જ્યાં ભારતીયોને શાનદાર લાભ થવા જઈ રહ્યો છે. .ભારત-નેપાળના આ કરારથી ચીન ભારોભાર નારાજ થાય તે નિશ્ચિત માનવામાં આવે છે.

હકીકતમાં ભારત અને નેપાળ વચ્ચે રોટી-બેટીનો સંબંધ છે. ભારત અને નેપાળ વચ્ચે સદીઓથી ધાર્મિક અને સામાજિક સંબંધો છે. ભારતના ઉત્તર પ્રદેશ અને બિહાર રાજ્યોમાંથી મોટી સંખ્યામાં છોકરીઓના લગ્ન નેપાળમાં કરવામાં આવ્યા છે. પૌરાણિક માન્યતા છે કે ભગવાન રામના લગ્ન પણ જનકપુરમાં જ થયા હતા. આ મધુર સંબંધોની વચ્ચે નેપાળમાં ડાબેરી શાસન આવ્યા પછી સંબંધો બગડવા લાગ્યા. ચીનના ઈશારે નાચનાર કેપી શર્મા ઓલી વડાપ્રધાન બન્યા બાદ બંને દેશોના સંબંધો રસાતાળમાં ચાલ્યા ગયા હતાં.

જાણો ભારતીયોને કેવી રીતે ફાયદો થશે? 

ઓલીએ તો ત્યાં સુધી કહ્યું હતું કે, અસલી અયોધ્યા નેપાળમાં છે અને ભગવાન રામ નેપાળી છે. ઓલીને વડાપ્રધાન પદેથી હટાવ્યા બાદ અને તેમના સમર્થક રાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારી બાદ ફરી એકવાર ભારત અને નેપાળના સંબંધો વધુ મજબૂત થઈ રહ્યા છે. આ અંતર્ગત નેપાળી કોંગ્રેસના નેતા રહેલા પ્રમુખ પૌડ્યાલે નાગરિકતા સંશોધનને મંજૂરી આપી હતી. આ સંશોધન બિલ પૂર્વ રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડારી દ્વારા અટકાવી રાખવામાં આવ્યું હતું. ઘણી વખત સંસદની મંજૂરી બાદ પણ બિદ્યા દેવીએ મંજૂરી આપી ન હતી.

નેપાળી રાષ્ટ્રપતિ પાસેથી આ સુધારાને મંજૂરી મળ્યા બાદ હવે નેપાળી નાગરિકો સાથે લગ્ન કરનાર વિદેશી મહિલાઓને તરત જ નાગરિકતા મળશે. આટલું જ નહીં આ મહિલાઓને રાજકીય અધિકારોની પણ ખાતરી આપવામાં આવશે. આ સાથે નેપાળનો કાયદો વિશ્વના સૌથી ઉદાર કાયદાઓમાંનો એક બની ગયો છે. નેપાળના આ પગલાથી ચીન બરાબરનું ઉશ્કેરવાઈ શકે છે. ચીન આ કાયદામાં સુધારાનો સતત વિરોધ કરી રહ્યું છે.

નેપાળમાં ચીનને મોટો ફટકો, કેમ સતાવી રહ્યો છે ડર?

ચીનને ડર છે કે, તેના બળવાખોર તિબેટીયન શરણાર્થીઓને આ કાયદા દ્વારા નાગરિકતા મળશે. એટલું જ નહીં આ તિબેટીયનોને સંપત્તિનો અધિકાર પણ મળશે. તિબેટમાં કોઈ બળવા થવાના ભયથી ચીન હંમેશા સતર્ક રહે છે. ચીનના નેતાઓ વારંવાર નેપાળના નેતાઓ સામે આ તિબેટીયન બળવાખોરો સામે કાર્યવાહીની માંગ કરે છે. ચીન અને નેપાળ વચ્ચે સરહદ છે અને તિબેટના બળવાખોરો ચીની વિસ્તારમાં પ્રવેશતા રહે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget