શોધખોળ કરો

નવી દિલ્હીઃ હનુમાન જયંતિ પર હિંસા બાદ એક્શનમાં દિલ્હી પોલીસ, 15 લોકોની કરાઇ અટકાયત

જહાંગીરપુરી હિંસાને લઇને આખી દિલ્હીમા એલર્ટ જાહેર કરાયુ છે. સંવેદનશીલ સ્થળો પર પોલીસ ફોર્સ વધારવામાં આવી છે

LIVE

Key Events
નવી દિલ્હીઃ  હનુમાન જયંતિ પર હિંસા બાદ એક્શનમાં દિલ્હી પોલીસ, 15 લોકોની કરાઇ અટકાયત

Background

દિલ્હીઃ દિલ્હીના જહાંગીરપુરીમાં હનુમાન જયંતિની શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો થયો હતો. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર શોભાયાત્રામાં લોકો પર પથ્થરમારો અને આગચંપી કરવામાં આવી હતી. આ મામલે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. જહાંગીરપુરીમાં થયેલી હિંસાની કેટલીક તસવીરો સામે આવી છે. પોલીસે આ મામલે પૂછપરછ માટે મોડી રાત્રે 15 શંકાસ્પદોની અટકાયત કરી છે.

જહાંગીરપુરી હિંસાને લઇને આખી દિલ્હીમા એલર્ટ જાહેર કરાયુ છે. સંવેદનશીલ સ્થળો પર પોલીસ ફોર્સ વધારવામાં આવી છે. સૂત્રોના મતે હિંસા મામલામાં દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલ અને ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરશે. હિંસાની તપાસ માટે 10 ટીમો બનાવવામાં આવી છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે દિલ્હીના જહાંગીર પુરીમાં શોભાયાત્રામાં પથ્થરમારાની ઘટના ખૂબ નિંદનીય છે. જે પણ દોષિત હોય  તેમના વિરુદ્ધ કાર્યવાહી થવી જોઇએ. ભાજપ સાંસદ મનોજ તિવારીએ કહ્યું કે હનુમાન જન્મોત્સવ પર જહાંગીરપુરીમાં થયેલી પથ્થરમારાની ઘટના એક મોટા કાવતરા હેઠળ કરવામાં આવી છે. જેની તપાસ થવી જોઇએ અને દોષિતોને કડક સજા થવી જોઇએ.

દિલ્હી પોલીસ કમિશનરે કહ્યું કે તોફાનીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી થશે. સાથે જ નાગરિકોને અપીલ કરી હતી કે તે સોશિયલ મીડિયા પર અફવાઓ અને ફેક ન્યૂઝ પર ધ્યાન ના આપે.

08:40 AM (IST)  •  17 Apr 2022

જહાંગીરપુરી હિંસાના બે વીડિયો આવ્યા સામે

 દિલ્હીના જહાંગીરપુરી હિંસાના બે વીડિયો સામે આવ્યા છે. એક વીડિયોમાં તોફાનીઓને દિલ્હી પોલીસ સામે  તલવાર લહેરાવતા જોઇ શકાય છે.  બીજા એક અન્ય વીડિયોમાં મોટી સંખ્યામાં ભીડ ઘર અને દુકાનોમાં તોડફોડ કરી રહી છે, પથ્થરમારો કરી રહી છે.  દિલ્હી પોલીસ કમિશનરે કહ્યું કે આ મામલામાં એફઆઇઆર દાખલ કરવામાં આવી છે જેના આધાર પર દિલ્હી પોલીસ તપાસ કરશે. 

07:19 AM (IST)  •  17 Apr 2022

છ પોલીસ જવાનો ઘાયલ

દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં થયેલી હિંસામાં છ પોલીસ જવાનો ઘાયલ થયા હતા જેમાં સબ ઇન્સ્પેક્ટર પણ સામેલ છે. 

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget