શોધખોળ કરો

પુલવામામાં મોટો આતંકી હુમલો: 2547 જવાન હોવા છતાં કઇ રીતે થઇ સુરક્ષામાં ચૂક ?, કેવી રીતે થયો હુમલો ?, જાણો વિગત

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના પુલાવામામાં જિલ્લામાં ગુરુવારે ઉરી બાદ સૌથી મોટો આંતકી હુમલો થયો છે. પુલવામામાં જૈશ-એ મોહમ્મદના એક આતંકીએ વિસ્ફોટકથી ભરેલા વાહનથી સીઆરપીએફના કાફલામાં એક બસને ટક્કર મારી હતી જેમાં 42 જવાન સવાર હતા. આ આત્મઘાતી હુમલામાં 40થી વધુ જવાન શહીદ થઇ ગયા છે. ધમાકો એટલો જબરજસ્ત હતો કે બસનું કચ્ચરઘાણ થઇ ગયું હતું. પોલીસે આતંકવાદીની ઓળખ પુલવામાના કાકાપોરાનો રહેવાસી આદિલ અહમદ તરીકે કરી છે. તેઓએ જણાવ્યું કે અહમદ 2018માં જૈશ-એ-મોહમ્મદ સંગઠનમાં સામેલ થયો હતો. કેવી રીતે કરવામાં આવે છે સુરક્ષા સુરક્ષાદળોનો જ્યારે કોઈ મોટો કાફલો પસાર થાય છે ત્યારે હાઇવે પર સવારે 8 વાગ્યાથી લઇને રાત્રે 8 વાગ્યા સુધી સુરક્ષાદળ તૈનાત રહે છે. આ પ્રકારની મૂવમેન્ટ દરમિયાન પણ ચાર થી પાંચ ગાડીઓ કાફલાની સુરક્ષા માટે આગળ ચાલતી હોય છે. તે સિવાય કેટલાક જવાનો ચાલતા ચાલતા નજર રાખે છે કે કોઈ આતંકી કાફલામાં ઘુસવાનો પ્રયાસ ના કરે. દર 500 મીટરના અંતરે જવાન તૈનાત રહે છે. તેમ છતાં આ મોટો આતંકી હુમલો થવું સુરક્ષામાં મોટી ચૂક માનવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, સુરક્ષાદળોનો કાફલો જ્યારે પસાર થાય છે તે દરમિયાન હાઇવે પર સામાન્ય લોકોની અવર જવર પર કોઈ રોક લગાવવામાં આવતી નથી. એવામાં આતંકવાદીઓએ આ વાતનો ફાયદો ઉઠાવીને મોટા હુમલાને અંજામ આપ્યો. કેવી રીતે થયો હુમલો પ્રાપ્ત જાણકારી પ્રમાણે એક ફોર વ્હીલરમાં ફિદાયીન હુમલાવર બેઠો હતો અને તે IED વિસ્ફોટકથી ભરેલી ગાડી લઇને બસ સાથે ટકરાવી. આ બ્લાસ્ટ બાદ આતંકીઓએ ફાયરિંગ અને ગ્રેનેડ હુમલો પણ કર્યો. વિસ્ફોટ એટલો ભયંકર હતો કે તેનો અવાજ લગભગ પાંચ કિમી સુધી સંભળાયો હતો. જે ફિદાયીન ગાડીનો ઉપયોગ પુલવામામાં હુમલાને અંજામ આપવા માટે કર્યો હતો તેમાં 200 કિલોથી વધુ વિસ્ફોટક ભર્યું હતું. આ કાફલામાં CRPFની લગભગ 78 વાહનો હતા અને તેમાં 2547 જવાન સવાર હતા. આ કાફલમાં સીઆરપીએફની 54મી, 179મી અને 34મી બટાલિયન એક સાથે જઈ રહી હતી. તે દરમિયાન 54મી બટાલિયનને પર આ હુમલો થયો. આતંકીઓ 3 વાગીને 37 મિનિટ પર પુલવામાના અવંતીપુરામાં લાતૂ મોડ પર કર્યો. આ હુમલો એ વખતે થયો જ્યારે સીઆરપીએફના જવાનો શ્રીનગરથી પુલવામાં જઈ રહ્યા હતા.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?

વિડિઓઝ

Junagadh news: જૂનાગઢ જિલ્લાના બારા રોડ પર  જુની અદાવતમાં પિતા-પુત્ર પર જીવલેણ હુમલો
Alpesh Kathiriya: સુરતમાં પાસ નેતા અલ્પેશ કથીરિયા, તેના ભાઈ સહિત 3 સામે નોંધાયો ગુનો
Surat News: સુરતમાં પત્નીની આત્મહત્યાના કેસમાં પતિની ધરપકડ
Ahmedabad liquor party: અમદાવાદમાં શરાબ, શબાબ, હુક્કા પાર્ટીનો પર્દાફાશ, 4 યુવતી, 17 યુવકો ઝડપાયા
Gujarat Weather Update: ગુજરાતમાં ઠંડીનો ચમકારો, 6 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુંગાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
રાજ ઠાકરેનું 22 શહેરોમાં ખાતું પણ ન ખુલ્યું,  મુંબઈમાં MNS ડબલ ડિજિટ પણ પાર કરી શકી નહીં
રાજ ઠાકરેનું 22 શહેરોમાં ખાતું પણ ન ખુલ્યું,  મુંબઈમાં MNS ડબલ ડિજિટ પણ પાર કરી શકી નહીં
ગૌતમ ગંભીરના કારણે રોહિત શર્માને છોડવી પડી વનડે કેપ્ટનશિપ? ભૂતપૂર્વ ક્રિકેટરના નિવેદનથી મચ્યો હોબાળો
ગૌતમ ગંભીરના કારણે રોહિત શર્માને છોડવી પડી વનડે કેપ્ટનશિપ? ભૂતપૂર્વ ક્રિકેટરના નિવેદનથી મચ્યો હોબાળો
Embed widget