શોધખોળ કરો

J&K: ફરી ધણધણ્યું શોપિયાં, આતંકીઓએ 3 બિન-કાશ્મીરી મજુરોને ગોળીઓ ધરબી

જ્યારે પોલીસ અને સેનાના જવાનોએ શોપિયાંના ગગરાનને ઘેરી લીધું હતું. સુરક્ષા દળો આતંકવાદીઓને શોધવા ઓપરેશન હાથ ધર્યું હતું.

Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરમાં એક હ્રદયસ્પર્શી ઘટના સામે આવી છે. જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ ફરી એકવાર સામાન્ય લોકોને નિશાન બનાવ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગુરુવારે રાત્રે શોપિયાં જિલ્લામાં આતંકવાદીઓએ ત્રણ બિન-કાશ્મીરી મજૂરોને ગોળી મારી દીધી હતી. આ ઘટના બાદ તરત જ ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.

જ્યારે પોલીસ અને સેનાના જવાનોએ શોપિયાંના ગગરાનને ઘેરી લીધું હતું. સુરક્ષા દળો આતંકવાદીઓને શોધવા ઓપરેશન હાથ ધર્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ગોળી વાગવાથી ઘાયલ થયેલા મજૂરોની ઓળખ અનમોલ, હીરાલાલ અને પિન્ટો તરીકે થઈ છે.

જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલાને અપાઈ રહ્યો છે અંજામ

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સતત હુમલા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી અહીં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવતા હુમલાની પેટર્ન બદલાઈ છે. હવે પોલીસ, સુરક્ષાદળોના બદલે સામાન્ય લોકો તેમાં પણ ખાસ કરીને બિન કાશ્મીરી લોકોને નિશાન બનાવવામાં આવે છે. 

આજે પણ આ જ પ્રકારની પેટર્ન જોવા મળી હતી. હુમલામાં ઘાયલ થયેલા તમામ મજૂરો બિહાર રાજ્યના છે. મોડી સાંજે લગભગ 8:45 વાગ્યે હથિયારોથી સજ્જ બે નકાબધારી વ્યક્તિઓ બિન-સ્થાનિક મજૂરોના ભાડાના મકાનમાં પ્રવેશ્યા અને ગોળીબાર કરીને 3 બહારના મજૂરોને ઘાયલ કર્યા હતાં. આ ઘર ગગરાનના રહેવાસી સ્થાનિક વકીલ ઇર્શાદ હુસૈન સોફીનું છે. ઈજાગ્રસ્ત હાલતમાં મજૂરોને નજીકની જિલ્લા હોસ્પિટલ શોપિયાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાંથી પ્રાથમિક સારવાર બાદ તેમને SMHS શ્રીનગર મોકલવામાં આવ્યા હતા. કાશ્મીર ઝોન પોલીસે જણાવ્યું કે ઘાયલ મજૂરો બિહારના સુપૌલ જિલ્લાના રહેવાસી છે. વિસ્તારને કોર્ડન કરીને આતંકીઓને પકડવાનું ઓપરેશન ચાલી રહ્યું છે.

એક ઘુષણખોર આતંકી ઠાર

અગાઉ રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા (એલઓસી) પર ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા એક આતંકવાદીને સેનાએ ઠાર માર્યો હતો. સંરક્ષણ પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ સુનિલ બારતવાલે જણાવ્યું હતું કે,  સૈનિકોએ સોમવારે રાત્રે (10 જુલાઈ) નૌશેરા સેક્ટરમાં એલઓસી પર આતંકવાદીઓના જૂથની શંકાસ્પદ હિલચાલ શોધી કાઢી હતી. ઘૂસણખોરોની હિલચાલ પર સતત નજર રાખવામાં આવી હતી અને જ્યારે તેઓ સુરક્ષા વાડની નજીક આવ્યા ત્યારે તેમને પડકારવામાં આવ્યા હતા અને તેમના પર ગોળીબાર કરવામાં આવ્યો હતો, એમ તેમણે ઉમેર્યું હતું.

https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Atul Subhash Suicide Case: ‘પુરૂષો માટે નથી કોઇ કાયદો’ પત્નીના ટોર્ચરથી પરેશાન એન્જિનિયર પતિએ  કર્યો આપઘાત
Atul Subhash Suicide Case:‘પુરૂષો માટે નથી કોઇ કાયદો’ પત્નીના ટોર્ચરથી પરેશાન એન્જિનિયર પતિએ કર્યો આપઘાત
'પતિ સાથે અંગત બદલો લેવા માટે દહેજના કાયદાનો થઇ રહ્યો છે ખોટો ઉપયોગ,' સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી
'પતિ સાથે અંગત બદલો લેવા માટે દહેજના કાયદાનો થઇ રહ્યો છે ખોટો ઉપયોગ,' સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી
Fake PAN- Aadhar: નકલી આધાર અને પાન કાર્ડ રાખવા પર કેટલી મળે છે સજા? જાણો નિયમ
Fake PAN- Aadhar: નકલી આધાર અને પાન કાર્ડ રાખવા પર કેટલી મળે છે સજા? જાણો નિયમ
Online Shopping કરનારાઓની વધી મુશ્કેલી, હવે ઓર્ડર કેન્સલ કરવા પર ચૂકવવા પડી શકે છે આટલા રૂપિયા
Online Shopping કરનારાઓની વધી મુશ્કેલી, હવે ઓર્ડર કેન્સલ કરવા પર ચૂકવવા પડી શકે છે આટલા રૂપિયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat: ડાન્સ સાથે તમંચે પે ડિસ્કો કરનાર ભાજપ કાર્યકરે શું કરી સ્પષ્ટતા? | Abp Asmita | 11-12-2024Gujarat Weather: ઠંડીનું જોર વધ્યું, ગુજરાતનું આ શહેર સૌથી વધુ ઠુંઠવાયું | Abp AsmitaSurat : મોરાભાગળમાં લાઈટ જતા બિલ્ડીંગની લિફ્ટમાં ફસાયા ચાર વ્યક્તિ, જુઓ આ વીડિયોમાંMount Abu:માઈનસ ત્રણ ડિગ્રી તાપમાનમાં ફેલાઈ ગઈ બરફની ચાદર, જુઓ નજારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Atul Subhash Suicide Case: ‘પુરૂષો માટે નથી કોઇ કાયદો’ પત્નીના ટોર્ચરથી પરેશાન એન્જિનિયર પતિએ  કર્યો આપઘાત
Atul Subhash Suicide Case:‘પુરૂષો માટે નથી કોઇ કાયદો’ પત્નીના ટોર્ચરથી પરેશાન એન્જિનિયર પતિએ કર્યો આપઘાત
'પતિ સાથે અંગત બદલો લેવા માટે દહેજના કાયદાનો થઇ રહ્યો છે ખોટો ઉપયોગ,' સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી
'પતિ સાથે અંગત બદલો લેવા માટે દહેજના કાયદાનો થઇ રહ્યો છે ખોટો ઉપયોગ,' સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી
Fake PAN- Aadhar: નકલી આધાર અને પાન કાર્ડ રાખવા પર કેટલી મળે છે સજા? જાણો નિયમ
Fake PAN- Aadhar: નકલી આધાર અને પાન કાર્ડ રાખવા પર કેટલી મળે છે સજા? જાણો નિયમ
Online Shopping કરનારાઓની વધી મુશ્કેલી, હવે ઓર્ડર કેન્સલ કરવા પર ચૂકવવા પડી શકે છે આટલા રૂપિયા
Online Shopping કરનારાઓની વધી મુશ્કેલી, હવે ઓર્ડર કેન્સલ કરવા પર ચૂકવવા પડી શકે છે આટલા રૂપિયા
દિલ્હીમાં વિદ્યાર્થીઓની બલ્લે-બલ્લે, બિઝનેસ શરૂ કરવા સરકાર આપી રહી છે સીડ મની, આવો છે પ્રૉગ્રામ
દિલ્હીમાં વિદ્યાર્થીઓની બલ્લે-બલ્લે, બિઝનેસ શરૂ કરવા સરકાર આપી રહી છે સીડ મની, આવો છે પ્રૉગ્રામ
પુષ્પા 2એ કલ્કિને આપી ધોબી પછાડ,બની ગઇ  ઇન્ડિયાની સૌથી ચોથી હાઇએસ્ટ ગ્રોસિંગ ફિલ્મ
પુષ્પા 2એ કલ્કિને આપી ધોબી પછાડ,બની ગઇ ઇન્ડિયાની સૌથી ચોથી હાઇએસ્ટ ગ્રોસિંગ ફિલ્મ
'કોરોનાની રસી નહીં, આ પાંચ કારણો દેશમાં યુવાઓના થઇ રહ્યાં છે અચાનક મોત' - સરકારે રજૂ કર્યો રિપોર્ટ
'કોરોનાની રસી નહીં, આ પાંચ કારણો દેશમાં યુવાઓના થઇ રહ્યાં છે અચાનક મોત' - સરકારે રજૂ કર્યો રિપોર્ટ
રાજકોટમાં અશાંતધારાના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન, હિંદુઓના નામે મુસ્લિમો ખરીદી રહ્યા છે મકાનો
રાજકોટમાં અશાંતધારાના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન, હિંદુઓના નામે મુસ્લિમો ખરીદી રહ્યા છે મકાનો
Embed widget