શોધખોળ કરો
J&K: પુલવામામાં આતંકી અને સુરક્ષા દળ વચ્ચે અથડામણ, એક આતંકી ઠાર
અવંતીપોરામાં સુરક્ષાદળોને આતંકવાદી છૂપાયા હોવાની સૂચના બાદ મંગળવારે સવારે સર્ચ ઑપરેશન શરૂ કર્યું હતું.

શ્રીનગર: જમ્મુ કાશ્મીરના પુલવામામાં અવંતીપોરામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે મંગળવારે સવારે થયેલી અથડામણમાં અત્યાર સુધી એક આતંકીને ઠાર કર્યો છે. તેની પાસેથી મોટા પ્રમાણમાં હથિયાર અને ગોળા બારુદ જપ્ત કરવામાં આવ્યો છે. અવંતીપોરામાં સુરક્ષાદળોને આતંકવાદી છૂપાયા હોવાની સૂચના બાદ મંગળવારે સવારે સર્ચ ઑપરેશન શરૂ કર્યું હતું. તે દરમિયાન આતંકીઓને સુરક્ષાદળો પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જેનો જડબાતોડ જવાબ આપતા એક આતંકીને ઠાર કર્યો હતો.
માર્યો ગયેલ આતંકીની ઓળખ શાહિદ તરીકે થઈ છે. તે હિજબુલ મુજાહિદ્દીન સંગઠન સાથે જોડાયેલ હોવાના અહેવાલ સામે આવ્યા છે. સુલેમાનીની અંતિમ વિદાયમાં રડ્યું આખુ ઇરાન, દીકરીએ કહ્યુ- અમેરિકાના ખરાબ દિવસો શરૂ#UPDATE Kashmir Zone Police: 1 terrorist killed. Arms & ammunition recovered. Identity & affiliation being ascertained. Search continues https://t.co/d12UHkw1zL
— ANI (@ANI) January 7, 2020
સુલેમાનીની હત્યાથી ગુસ્સામાં ઇરાન, ટ્રમ્પના માથા પર રાખ્યું આઠ કરોડ ડોલરનું ઇનામ
વધુ વાંચો























