શોધખોળ કરો
Advertisement
જમ્મુ-કાશ્મીરઃ સેના અને આતંકીઓ વચ્ચે ભીષણ અથડામણ, એક આતંકીએ કર્યુ સરેન્ડર
આ આતંકીઓમાંથી એકે સુરક્ષાદળોની અપીલ બાદ સમર્પણ કરી દીધુ પરંતુ જ્યારે બીજો હજુ પણ ઇમારતમાં છુપાયેલો છે. આ આતંકી સતત સુરક્ષાદળો પર ફાયરિંગ કરી રહ્યો છે
શ્રીનગઃ જમ્મુ-કાશ્મીરની રાજધાની શ્રીનગરના બહારના વિસ્તાર લાવેપોરાના ઉમરાબાદમાં આતકીઓ અને સુરક્ષાદળો વચ્ચે 12 કલાકથી વધુ સમયથી એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. કાલે મોડી સાંજે શરૂ થયેલુ આ એન્કાઉન્ટરામાં માનવામાં આવે છે કે બે આતંકીઓ એક ઘરમાં છુપાયેલા હતા.
આ આતંકીઓમાંથી એકે સુરક્ષાદળોની અપીલ બાદ સમર્પણ કરી દીધુ પરંતુ જ્યારે બીજો હજુ પણ ઇમારતમાં છુપાયેલો છે. આ આતંકી સતત સુરક્ષાદળો પર ફાયરિંગ કરી રહ્યો છે. બતાવવામાં આવી રહ્યું છે કે આ બન્ને લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા આતંકી છે. એન્કાઉન્ટર હાઇવેની પાસે છે, આ કારણે ત્યાં કાલ સાંજથી અવરજવર બંધ કરી દેવામાં આવી છે.
બે દિવસ પહેલા પણ પકડાયા હતા બે આતંકી
પુંછ જિલ્લામાં સુરક્ષાદળોએ રવિવારે જમ્મુ-કાશ્મીર ગજની ફોર્મસના બે આતંકીઓને પકડ્યા હતા. આતંકીઓની પાસે વિસ્ફોટક સામગ્રી પણ મળી આવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
દેશ
Advertisement
for smartphones
and tablets
and tablets