શોધખોળ કરો

Kanpur Road Accident: કાનપુરમાં શ્રદ્ધાળુઓથી ભરેલી ટ્રેક્ટ્રર ટ્રોલી પલટી, 25 લોકોના મોત

આ તમામ નવરાત્રી નિમિત્તે ઉન્નાવના ચંદ્રિકા દેવી મંદિરથી દર્શન કરીને કોરથા ગામ પરત ફરી રહ્યા હતા.

UP News: ઉત્તર પ્રદેશના કાનપુરમાં શ્રદ્ધાળુઓથી ભરેલી ટ્રેક્ટર-ટ્રોલી પલટી જતાં 22 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ ઘટનામાં 28 લોકો ઘાયલ થયા હતા, જેમાંથી ત્રણ લોકોના હોસ્પિટલમાં મોત થયા હતા અને મૃતકોની સંખ્યા 25 થઈ ગઈ છે. હજુ પણ કેટલાક લોકોની હાલત નાજુક છે. આ તમામ નવરાત્રી નિમિત્તે ઉન્નાવના ચંદ્રિકા દેવી મંદિરથી દર્શન કરીને કોરથા ગામ પરત ફરી રહ્યા હતા. બીજી તરફ, રાજ્ય સરકારે મૃતકોના નજીકના પરિવાર માટે 2-2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. સીએમ યોગી આદિત્યનાથ અને પીએમ નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.

સીએમ યોગી અને પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

સીએમ યોગી આદિત્યનાથે આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે અને તેમણે વહીવટી અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચવાના નિર્દેશ આપ્યા છે. સીએમ યોગીએ ટ્વીટ કર્યું કે, કાનપુર જિલ્લામાં માર્ગ અકસ્માત ખૂબ જ હૃદયદ્રાવક છે. જિલ્લા મેજિસ્ટ્રેટ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચવા અને યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવા અને ઘાયલોની યોગ્ય સારવારની વ્યવસ્થા કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે. ઘાયલોને જલ્દી સ્વસ્થ થવાની કામના. આ અકસ્માતમાં જાનહાનિ ખૂબ જ દુઃખદ છે. મારી સંવેદનાઓ શોકગ્રસ્ત પરિવારના સભ્યો સાથે છે. ભગવાન શ્રી રામ દિવંગત આત્માઓને તેમના ચરણોમાં સ્થાન આપે અને મૃતકોના પરિવારજનોને આ અપૂર્ણ ખોટ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.

પીએમ રિલીફ ફંડમાંથી પણ મદદ આપવામાં આવશે

પીએમ નરેન્દ્ર મોદીએ પીએમઓ દ્વારા જારી ટ્વીટમાં આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે. પીએમઓએ ટ્વીટ કર્યું, 'કાનપુરમાં ટ્રેક્ટર-ટ્રોલી અકસ્માતથી દુઃખી છું.  લોકો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું જેમણે તેમના પરિવારજનો ગુમાવ્યા છે. હું ઘાયલો માટે પ્રાર્થના કરું છું. સ્થાનિક પ્રશાસન તમામ શક્ય મદદ કરી રહ્યું છે. પ્રધાનમંત્રી રાહત કોષમાંથી મૃતકોના પરિજનોને 2 લાખ રૂપિયા, ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે.

વહીવટીતંત્ર પર બેદરકારીનો આક્ષેપ

ઘટનાની માહિતી મળતાં જ એમ્બ્યુલન્સને સ્થળ પર મોકલવામાં આવી હતી. જોકે સ્થાનિક લોકોએ વહીવટીતંત્ર પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે. તેઓ કહે છે કે અધિકારીઓની બેદરકારીને કારણે એમ્બ્યુલન્સ મોડી પહોંચી. જો એમ્બ્યુલન્સ સમયસર પહોંચી હોત તો વધુ જીવ બચાવી શકાયા હોત. કહેવામાં આવી રહ્યું છે કે ટ્રેક્ટર ખૂબ જ ઝડપથી દોડી રહ્યું હતું, જે બેકાબૂ થઈને પલટી ગયું. આ ટ્રેક્ટર ટ્રોલી પાણીથી ભરેલા ખેતરમાં પડી, માનવામાં આવી રહ્યું છે કે ટ્રેક્ટરની અંદર ફસાયેલા લોકોના  શ્વાસ રૂંધાવાથી મોત થયા છે, હાલ રાહત કાર્ય ચાલી રહ્યું છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો

વિડિઓઝ

Surendranagar Police : થાનગઢમાં નાયબ મામલતદારની ટીમ પર હુમલો કરનાર 2 ખનીજ માફિયાની ધરપકડ
Silver Gold Price : વર્ષ 2025માં સોના-ચાંદીના ભાવે રચ્યો ઇતિહાસ, સોનાનો ભાવ થયો 1.38 લાખ રૂપિયા
Hun To Bolish : જીવતે જી સંતાનોને નામ ન કરતા સંપત્તિ
Hun To Bolish : સોના-ચાંદીની ચમક કેટલી અસલી, કેટલી નકલી?
Ahmedabad Protest : અમદાવાદના પેલેડિયમ મોલમાં હિન્દુ સંગઠને નોંધાવ્યો ક્રિસમસ ડેકોરેશનનો વિરોધ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Gold Prices: 22 Carat સોનું ભૂલી જશો! બજારમાં આવ્યો નવો ટ્રેન્ડ, સસ્તામાં મળે છે મજબૂત દાગીના
Gold Prices: 22 Carat સોનું ભૂલી જશો! બજારમાં આવ્યો નવો ટ્રેન્ડ, સસ્તામાં મળે છે મજબૂત દાગીના
SIR પ્રક્રિયાઃ મતદાર યાદીમાંથી BJP ધારાસભ્યના ભાઈનું નામ જ ચૂંટણી પંચે કાઢી નાંખ્યું!
SIR પ્રક્રિયાઃ મતદાર યાદીમાંથી BJP ધારાસભ્યના ભાઈનું નામ જ ચૂંટણી પંચે કાઢી નાંખ્યું!
Embed widget