શોધખોળ કરો

ભાજપ દેશના મોટા રાજ્યના મુખ્યમંત્રીને બદલશે, આ દિગ્ગજ નેતાએ પોતાના રાજ્યમાં ભાજપનો કર્યો વિસ્તાર પણ

યેદુરપ્પા 16 જુલાઈએ અચાનક દિલ્હી પહોંચીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. અચાનક થયેલી આ મુલાકાતના પગલે યેદિયુરપ્પાના રાજીનામુ આપવાના છે કે કેમ તેવી ચર્ચા થવા લાગી છે.

બેંગલૂરૂઃ ભાજપ વધુ એક રાજ્યના મુખ્યમંત્રીન બદલી નાંખશે એવા અહેવાલ છે. કર્ણાટકના મુખ્યમંત્રી યેદુરપ્પાને રાજીનામું આપવા કહી દેવાયું હોવાના અહેવાલ છે. યેદુરપ્પા સરકારને 26 જુલાઈએ બે વર્ષ પૂરાં થવાનાં છે. યેદુરપ્પાને બે વર્ષ પૂરાં કરીને 26 જુલાઈએ રાજીનામું આપવા કહી દેવાયું હોવાનો ભાજપનાં સૂત્રોનો દાવો છે.

યેદુરપ્પા 16 જુલાઈએ અચાનક દિલ્હી પહોંચીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. અચાનક થયેલી આ મુલાકાતના પગલે યેદિયુરપ્પાના રાજીનામુ આપવાના છે કે કેમ તેવી ચર્ચા થવા લાગી છે. ટોચનાં અખબારોમાં છપાયેલા અહેવાલ પ્રમાણે યેદુરપ્પાને મોદી દ્વારા પશ્ચિમ બંગાળમાં ગવર્નર પદની ઓફર કરવામાં આવી હતીય

જો કે  યેદુરપ્પાએ વડાપ્રધાન મોદીને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે, તમને મારી કામગીરથી સંતોષ ના હોય તો રાજીનામુ લઈ લો પણ પશ્ચિમ બંગાળમાં કે બીજા કોઈ પણ રાજ્યમાં ગવર્નર બનવાની મારી ઈચ્છા નથી. યેદુરપ્પામની નજીકનાં સૂત્રોન દાવો છે કે,  ભાજપ દ્વારા તેમના પુત્ર વિજયેન્દ્રને મુખ્યમંત્રીપદના દાવેદાર જાહેર ન કરાય ત્યાં સુધી યેદુરપ્પા કર્ણાટકના રાજકારણમાંથી નિવૃત થવા માંગતા નથી.

યેદુરપ્પા  શનિવારે ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને પણ મળ્યા હતા. આ મુલાકાત તેમણ દાવો કર્યો કે, હાલ મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપવાનો સવાલ પેદા થતો નથી. શુક્રવારે મેં વડાપ્રધાન સાથે મુલાકાત કરી હતી અને  અમે રાજ્યના વિકાસ અંગે વિગતે ચર્ચા કરી હતી.

જો કે સૂત્રોનો દાવો છે કે, યેદુરપ્પાની વિદાય નક્કી છે. સૂત્રોના જણાવ્યા મુજબ તેમને હાઈકમાન્ડ તરફથી ભરોસો આપવામાં આવ્યો છે કે તે 26 જુલાઈએ પોતાના 2 વર્ષના શાસનની ઉજવણી કરી શકે છે. યેદુરપ્પાએ કોંગ્રેસ-જેડીએસની સરકારને ગબડાવીને ભાજપની સરકારની રચના કરાવી હતી. યેદુરપ્પા ભાજપના દિગ્ગજ નેતા છે અને કર્ણાટકમાં ભાજપનો વિસ્તાર કરવાનો યશ તેમને અપાય છે. ભાજપ આ કારણે યેદુરપ્પાને અડકતાં લાંબા સમયથી ખચકાય છે પણ હવે અસંતોષ વધી જતાં તેમને ખસેડવાનું નક્કી કર્યું હોવાનું કહેવાય છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Embed widget