શોધખોળ કરો

Karnataka Election : કર્ણાટક ફતેહ કરવા ભાજપે ઘડ્યો ગેમ પ્લાન, મોદી-શાહ કરશે કમાલ?

કર્ણાટકમાં થોડા દિવસો બાદ વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ભાજપ સત્તામાં પાછા ફરવા માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે.

Karnataka Elections 2023: કર્ણાટકમાં થોડા દિવસો બાદ વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ભાજપ સત્તામાં પાછા ફરવા માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે જેના માટે મેગા પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. છેલ્લા 2 મહિનામાં પીએમ નરેન્દ્ર મોદીએ 8 વખત કર્ણાટકની મુલાકાત લીધી છે, જેમાં ઘણી પરિયોજનાઓનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. ABP CVoterના ઓપિનિયન પોલ મુજબ ભાજપ જીતે તેવી શક્યતા નથી. જેથી કરીને પીએમ મોદીના ચહેરાને આગળ વધારવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ખુદ ભાજપની આ યોજના પર નજર રાખી રહ્યા છે. પીએમ મોદીને સમર્થન આપવા માટે અમિત શાહ, સીએમ યોગી આદિત્યનાથ, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની, સીએમ હિમંતા બિસ્વા સરમા અને બીએસ યેદિયુરપ્પા માટે વધુને વધુ રેલીઓ અને રોડ શોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

પીએમ મોદીની રેલીઓ

પીએમ મોદી 20 થી વધુ સભાઓ અને રોડ શો કરશે. પ્રોજેક્ટ ટાઈગરના 50 વર્ષ પૂરા થવા પર પીએમ મોદી 9 એપ્રિલે બાંદીપુર આવ્યા હતા. પીએમ મોદી ટાઈગર સેન્સસ-2022ના આંકડા જાહેર કરતા જણાવવામાં આવ્યું હતું કે, હાલમાં દેશમાં 3 હજાર 1067 વાઘ છે. ત્યાર બાદ પીએમ મોદીએ મૈસૂર અને ચામરાજ નગરની પણ મુલાકાત લીધી હતી.

અમિત શાહનો ગેમ પ્લાન

કર્ણાટક ચૂંટણીને ધ્યાનમાં રાખીને અમિત શાહ રાજ્યમાં ધામા નાખવાની તૈયારી કરી રહ્યા છે. આ દિવસ દરમિયાન શાહ રેલીઓ અને રોડ શો દ્વારા પાર્ટી માટે પ્રચાર કરશે. કહેવામાં આવી રહ્યું છે કે, અમિત શાહ 25 થી વધુ સભાઓ અને રોડ શો કરશે. અગાઉ ગુરુવારે (23 માર્ચ) રાત્રે, શાહ કર્ણાટક પ્રવાસ માટે રવાના થયા હતા અને શુક્રવારે (24 માર્ચ) સવારે બીએસ યેદિયુરપ્પાના નિવાસસ્થાને તેમને મળ્યા હતા. આ સિવાય બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, સીએમ યોગી આદિત્યનાથ, સ્મૃતિ ઈરાની અને સીએમ હિમંતા બિસ્વા સરમા પણ 25 થી વધુ મીટિંગ કરશે. ઉલ્લેખનીય છે કે, જેપી નડ્ડાએ 1 માર્ચે ચામરાજનગરની મહાડેશ્વર પહાડીઓથી વિશેષ રીતે તૈયાર રથને ઝંડી બતાવીને આ 20 દિવસની યાત્રાની શરૂઆત કરી હતી.

બીએસ યેદિયુરપ્પાની જવાબદારી

ભાજપે કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાને લિંગાયત સમુદાયને સાધવાની જવાબદારી સોંપવામાં આવી છે. બીજેપીનું માનવું છે કે, અત્યાર સુધી કર્ણાટકના 17% લિંગાયત સમુદાય યેદિયુરપ્પાના નેતૃત્વમાં પાર્ટી સાથે છે, જે આ ચૂંટણીમાં પણ સમર્થન કરશે. કર્ણાટકની ભાજપ સરકારે લિંગાયત સમુદાયની ઘણા લાંબા સમયથી પડતર માંગણીઓ મંજૂર કરી છે. તાજેતરમાં ભાજપે છેલ્લી કેબિનેટ બેઠકમાં મુસ્લિમ ઓબીસી માટે 4% અનામત નાબૂદ કરી હતી, જેમાં 2% લિંગાયત સમુદાયમાં અને 2% વોક્કાલિગાસમાં વહેંચવામાં આવી હતી. ભાજપનું માનવું છે કે, તેનો સીધો ફાયદો વિધાનસભા ચૂંટણીમાં મળશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,"અનામતનો લાભ લેનાર જનરલ બેઠકનો હકદાર ન ગણાય"
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,"અનામતનો લાભ લેનાર જનરલ બેઠકનો હકદાર ન ગણાય"
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, એશિયા કપમાં ભારતને ચેમ્પિયન બનાવનાર ખેલાડી ઘાયલ, ન્યુઝીલેન્ડ શ્રેણીમાંથી બહાર!
T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, એશિયા કપમાં ભારતને ચેમ્પિયન બનાવનાર ખેલાડી ઘાયલ, ન્યુઝીલેન્ડ શ્રેણીમાંથી બહાર!
YouTube માં 1 લાખ વ્યૂઝ પર કેટલી થાય છે કમાણી? જાણો ક્યારે મળે છે ગોલ્ડન બટન
YouTube માં 1 લાખ વ્યૂઝ પર કેટલી થાય છે કમાણી? જાણો ક્યારે મળે છે ગોલ્ડન બટન
ભારતની નંબર-1 ઇલેક્ટ્રિક કાર બની આ ગાડી, Tata Nexon EV ને છોડી પાછળ
ભારતની નંબર-1 ઇલેક્ટ્રિક કાર બની આ ગાડી, Tata Nexon EV ને છોડી પાછળ
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
Embed widget