શોધખોળ કરો

Karnataka Election : ખરગેને PM મોદીનો સણસણતો જવાબ, હું તો ઝેરી સાપ છુ પરંતુ...

કર્ણાટકના કોલારમાં જનસભાને સંબોધતા પીએમ મોદીએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના સાપના નિવેદન પર પ્રહારો કર્યા હતા.

Karnataka Election 2023 : કર્ણાટકના કોલારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું છે. આ સાથે જ પીએમ મોદીએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (PM મોદીએ મલ્લિકાર્જુન ખડગે પર પ્રહાર)ની વાંધાજનક ટિપ્પણી પર પણ પલટવાર કર્યો હતો. મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદીને ઝેરીલા સાપ કહ્યાં હતાં જેને લઈને ભારે વિવાદ થયો હતો.

સાપના નિવેદન પર પલટવાર કર્યો

કર્ણાટકના કોલારમાં જનસભાને સંબોધતા પીએમ મોદીએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના સાપના નિવેદન પર પ્રહારો કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ એ જૂનું એન્જિન છે જે હંમેશા વિકાસને અવરોધે છે. કોંગ્રેસ મારી સરખામણી સાપ સાથે કરી રહી છે, પરંતુ તે નથી જાણતી કે, ભગવાન શિવના ગળામાં રહેલો સાપ તેની સુંદરતા છે. મારા માટે દેશના લોકો ભગવાન શિવ સમાન છે.

કોંગ્રેસ જૂનું એન્જિન 

કોંગ્રેસ પર નિશાન સાધતા પીએમએ કહ્યું કે જૂના એન્જિનની જેમ કોંગ્રેસ પણ હંમેશા વિકાસને અવરોધે છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી ગમે તે કરે, કર્ણાટકની જનતા તેના ખોટા વચનોમાં ફસાશે નહીં.

કોંગ્રેસ-જેડીએસ માટે કર્ણાટક માત્ર એટીએમ

પીએમએ કહ્યું હતું કે, જ્યારે કોંગ્રેસ-જેડીએસની સરકારો હોય છે ત્યારે માત્ર અમુક ખાસ પરિવારો જ ખીલે છે, પરંતુ ભાજપ માટે આ દેશમાં દરેક પરિવાર ભાજપનો પોતાનો પરિવાર છે. પીએમએ કહ્યું કે બંને પક્ષો માટે કર્ણાટક માત્ર એક ATM છે, જ્યારે ભાજપ માટે કર્ણાટક દેશના વિકાસનું સૌથી મહત્વનું ગ્રોથ એન્જિન છે.

કર્ણાટક અસ્થિર સરકારોથી બચ્યું

કોંગ્રેસ અને જેડીએસને ભ્રષ્ટાચારના પક્ષો ગણાવતા પીએમએ કહ્યું હતું કે, કર્ણાટકમાં લાંબા સમયથી અસ્થિર સરકારોનું નાટક જોવા મળે છે. અસ્થિર સરકારો માત્ર લૂંટ કરવા માટે લડતી હોય છે, વિકાસ માટે નહીં. પીએમે એમ પણ કહ્યું હતું કે, આ અસ્થિરતા માટે કોંગ્રેસ અને જેડીએસ સૌથી મોટા જવાબદાર છે.

પીએમએ આકરા પ્રહાર યથાવત રાખતા કહ્યું હતું કે, કોંગ્રેસ અને જેડીએસ દેખાવ માટે બે પાર્ટીઓ છે, પરંતુ દિલથી તો એક જ છે. આ બંને પક્ષો વંશવાદી છે અને ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપે છે. તેઓ બંને અસ્થિરતામાં તક જુએ છે.

Karnataka Election : કર્ણાટક ફતેહ કરવા ભાજપે ઘડ્યો ગેમ પ્લાન, મોદી-શાહ કરશે કમાલ?

Karnataka Elections 2023: કર્ણાટકમાં થોડા દિવસો બાદ વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ભાજપ સત્તામાં પાછા ફરવા માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે જેના માટે મેગા પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. છેલ્લા 2 મહિનામાં પીએમ નરેન્દ્ર મોદીએ 8 વખત કર્ણાટકની મુલાકાત લીધી છે, જેમાં ઘણી પરિયોજનાઓનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. ABP CVoterના ઓપિનિયન પોલ મુજબ ભાજપ જીતે તેવી શક્યતા નથી. જેથી કરીને પીએમ મોદીના ચહેરાને આગળ વધારવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ખુદ ભાજપની આ યોજના પર નજર રાખી રહ્યા છે. પીએમ મોદીને સમર્થન આપવા માટે અમિત શાહ, સીએમ યોગી આદિત્યનાથ, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની, સીએમ હિમંતા બિસ્વા સરમા અને બીએસ યેદિયુરપ્પા માટે વધુને વધુ રેલીઓ અને રોડ શોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

2027ની વિધાનસભા ચૂંટણીને જોતા રાહુલ ગાંધીના ગુજરાતમાં ધામા, 33 જિલ્લામાં કરશે પ્રવાસ
2027ની વિધાનસભા ચૂંટણીને જોતા રાહુલ ગાંધીના ગુજરાતમાં ધામા, 33 જિલ્લામાં કરશે પ્રવાસ
Rahul Gandhi: રાહુલ ગાંધીએ રોકડું પરખાવ્યું, કોંગ્રેસમાં રહીને ભાજપનું કામ કરતા નેતાઓને ઘર ભેગા કરવા પડશે
Rahul Gandhi: રાહુલ ગાંધીએ રોકડું પરખાવ્યું, કોંગ્રેસમાં રહીને ભાજપનું કામ કરતા નેતાઓને ઘર ભેગા કરવા પડશે
PM Modi in Navsari:દેશમાં પહેલી વખત મહિલાઓએ સંભાળી PMની સુરક્ષાની કમાન,  લખપતિ દીદીઓ સાથે કર્યો સંવાદ
PM Modi in Navsari:દેશમાં પહેલી વખત મહિલાઓએ સંભાળી PMની સુરક્ષાની કમાન, લખપતિ દીદીઓ સાથે કર્યો સંવાદ
Women's Day પર દિલ્હીની મહિલાઓને ભેટ, મહિલા સમૃદ્ધિ યોજના લાગુ, હવે દર મહિને મળશે 2500 રૂપિયા
Women's Day પર દિલ્હીની મહિલાઓને ભેટ, મહિલા સમૃદ્ધિ યોજના લાગુ, હવે દર મહિને મળશે 2500 રૂપિયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

PM Modi Full Speech In Navsari : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન, મહિલાઓને આપી મોટી ભેટRahul Gandhi Gujarat Visit : રાહુલ નાંખશે ગુજરાતમાં ધામા , કોંગ્રેસને કરી શકશે બેઠી?Rahul Gandhi In Gujarat : ગુજરાત આવેલા રાહુલને નેતાઓએ શું કરી ફરિયાદ? રાહુલે શું આપી ખાતરી?PM Modi's Interesting Conversations With Lakhpati Didis:  PM મોદીએ લખપતિ દીદી સાથે શું કરી વાત?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
2027ની વિધાનસભા ચૂંટણીને જોતા રાહુલ ગાંધીના ગુજરાતમાં ધામા, 33 જિલ્લામાં કરશે પ્રવાસ
2027ની વિધાનસભા ચૂંટણીને જોતા રાહુલ ગાંધીના ગુજરાતમાં ધામા, 33 જિલ્લામાં કરશે પ્રવાસ
Rahul Gandhi: રાહુલ ગાંધીએ રોકડું પરખાવ્યું, કોંગ્રેસમાં રહીને ભાજપનું કામ કરતા નેતાઓને ઘર ભેગા કરવા પડશે
Rahul Gandhi: રાહુલ ગાંધીએ રોકડું પરખાવ્યું, કોંગ્રેસમાં રહીને ભાજપનું કામ કરતા નેતાઓને ઘર ભેગા કરવા પડશે
PM Modi in Navsari:દેશમાં પહેલી વખત મહિલાઓએ સંભાળી PMની સુરક્ષાની કમાન,  લખપતિ દીદીઓ સાથે કર્યો સંવાદ
PM Modi in Navsari:દેશમાં પહેલી વખત મહિલાઓએ સંભાળી PMની સુરક્ષાની કમાન, લખપતિ દીદીઓ સાથે કર્યો સંવાદ
Women's Day પર દિલ્હીની મહિલાઓને ભેટ, મહિલા સમૃદ્ધિ યોજના લાગુ, હવે દર મહિને મળશે 2500 રૂપિયા
Women's Day પર દિલ્હીની મહિલાઓને ભેટ, મહિલા સમૃદ્ધિ યોજના લાગુ, હવે દર મહિને મળશે 2500 રૂપિયા
International Women's Day 2025 : મહિલા દિવસ પર PM મોદીએ શક્તિને કર્યાં સલામ અને સોંપી આ મહત્વની જવાબદારી
International Women's Day 2025 : મહિલા દિવસ પર PM મોદીએ શક્તિને કર્યાં સલામ અને સોંપી આ મહત્વની જવાબદારી
Rajasthan: 'પાન મસાલામાં કેસર' હોવાના દાવાને લઈને શાહરૂખ, અજય અને ટાઇગર શ્રોફની મુશ્કેલી વધી, ફટકારવામાં આવી નોટિસ
Rajasthan: 'પાન મસાલામાં કેસર' હોવાના દાવાને લઈને શાહરૂખ, અજય અને ટાઇગર શ્રોફની મુશ્કેલી વધી, ફટકારવામાં આવી નોટિસ
Gandhinagar: હોળી પર વતન જતા લોકોને નહીં પડે કોઈ અગવડ,એસટી નિગમ દોડવશે 1200 એકસ્ટ્ર બસો
Gandhinagar: હોળી પર વતન જતા લોકોને નહીં પડે કોઈ અગવડ,એસટી નિગમ દોડવશે 1200 એકસ્ટ્ર બસો
Mahila Samriddhi Yojana:  આ યોજના હેઠળ કઇ મહિલાને મળશે 2500 રૂપિયાનો લાભ, જાણો શું છે લાભાર્થીના માપદંડ
Mahila Samriddhi Yojana: આ યોજના હેઠળ કઇ મહિલાને મળશે 2500 રૂપિયાનો લાભ, જાણો શું છે લાભાર્થીના માપદંડ
Embed widget