![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Hijab Row: ઓવૈસીએ Ireland નો ઉલ્લેખ કરીને Modi સરકાર પર સાધ્યું નિશાન, કહી આ મોટી વાત
Hijab Row: અસદુદ્દીન ઓવૈસીએ ટ્વીટમાં લખ્યું, 2019માં આયરલેંડ પોલીસે વર્દીમાં હિજાબ અને પાઘડીની મંજૂરી આપી હતી. મોદી સરકારે આ ફેંસલાને પ્રવાસી ભારતીયોના હિતમાં જણાવીને સ્વાગત કર્યું હતું.
![Hijab Row: ઓવૈસીએ Ireland નો ઉલ્લેખ કરીને Modi સરકાર પર સાધ્યું નિશાન, કહી આ મોટી વાત Karnataka Hijab Row: AIMIM chief Asaduddin Owaisi attacks on Modi govt and tweets Hijab Row: ઓવૈસીએ Ireland નો ઉલ્લેખ કરીને Modi સરકાર પર સાધ્યું નિશાન, કહી આ મોટી વાત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/12/13505a9bd70dafc5fd42e0b6790ba846_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Asaduddin Owaisi Attacks Modi Government : હિજાબ મામલે વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. એઆઈએમઆઈએમના નેતા અસદુદ્દીન ઓવૈસીએ આયરલેંડનો ઉલ્લેખ કરીને મોદી સરકાર પર પ્રહાર કર્યો છે.
અસદુદ્દીન ઓવૈસીએ ટ્વીટમાં લખ્યું, 2019માં આયરલેંડ પોલીસે વર્દીમાં હિજાબ અને પાઘડીની મંજૂરી આપી હતી. મોદી સરકારે આ ફેંસલાને પ્રવાસી ભારતીયોના હિતમાં જણાવીને સ્વાગત કર્યું હતું. જો આયરલેંડ માટે ઐતિહાસિક હતું તો કર્ણાટકની છોકરીઓથી તકલીફ કેમ ? તેમના આત્મસન્માનના ધજાગરા કેમ ઉડાવવામાં આવી રહ્યા છે ?
2019 में आयरलैंड ने पुलिस वर्दी में हिजाब और पगड़ी की इजाज़त दी थी।मोदी सरकार ने फ़ैसले को प्रवासी भारतीयों के हित में बताते हुए उसका स्वागत किया था।अगर आयरलैंड के लिए ये “ऐतिहासिक” था तो कर्नाटक की बच्चियों से तकलीफ़ क्यूँ? उनकी dignity की धज्जियाँ क्यूँ उड़ाई जा रही हैं? pic.twitter.com/SDzjCaRK2F
— Asaduddin Owaisi (@asadowaisi) February 15, 2022
કર્ણાટક હિજાબ મામલો હવે રાજકીય રંગ લઈ ચુક્યો છે. અનેક રાજકીય પક્ષો સ્કૂલ-કોલેજોમાં મુસ્લિમ વિદ્યાર્થીનીઓના હિજાબ પહેરવાની વકીલાત કરી રહ્યા છે. જ્યારે સત્તાધારી બીજેપી સ્કૂલ-કોલેજોમાં યૂનિફોર્મની તરફેણ કરી છે.
મેંગાલુરૂમાં કલમ 144 નીચે પ્રતિબંધક હુકમો અમલી
કર્ણાટકમાંથી જ શરૂ થયેલો હિજાબ વિવાદ શમવાનું નામ નથી લેતો તે મેંગાલુરૂમાં વધુ તીવ્ર બનતા મેંગ્લોર પોલીસ કમીશ્નરને શહેરમાં ફોજદારી ધારાની કલમ 144 અમલમાં મુકવી પડી છે અને વિશેષત: શાળાઓ અને કોલેજો ફરતે તો તેનો ઘણી કડક રીતે અમલ કરવામાં આવી રહ્યો છે. સીટી પોલીસ કમિશ્નરે તે શનિવાર તા. ૧૯ ફેબ્રુઆરી સુધી અમલી કરવા નિર્ણય લીધો છે. પોલીસ કમીશ્નર એન. શશીકુમારે આપેલા કલમ 144 નીચેના પ્રતિબંધક હુકમો સોમવાર સવારના તા. 19 ફેબ્રુઆરી, શનિવારના સાંજના 6 વાગ્યા સુધી અમલી રહેશે. આ અંગે પોલીસ કમીશ્નરે જણાવ્યું કે, મેંગાલુરૂ શહેર જ સમગ્રત: સંવેદનશીલ વિસ્તાર ગણાય છે તેથી શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા આ પ્રતિબંધક હુકમો પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)