શોધખોળ કરો

Kejriwal : હવે અરવિંદ કેજરીવાલનો વારો? થઈ શકે છે આકરી કાર્યવાહી

દિલ્હી સરકારે 2020 અને 2022 વચ્ચે મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસસ્થાનના નવીનીકરણ પર લગભગ રૂપિયા 45 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.

CAG Audit of Delhi CM Arvind Kejriwal : એક તરફ આમ આદમી પાર્ટી તેના દિગ્ગજ નેતાઓ સામે ચાલી રહેલી તપાસને લઈને હેરાન પરેશાન છે ત્યાં હવે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ સામે મુશ્કેલી ઉભી થઈ છે. સીએમ અરવિંદ કેજરીવાલના બંગલાના સમારકામ પર થયેલા ખર્ચને લઈને તપાસનો ધમધમાટ શરૂ થવાના ચક્રો ગતિમાન થયા છે. કેજરીવાલ દ્વારા સીએમ બંગલાના રિનોવેશન પાછળ થયેલા ખર્ચનું કેગ ઓડિટ થશે. એલજીની ભલામણ બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા કેગ ઓડિટ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

આ પહેલા સીએમ કેજરીવાલના આવાસ પર થયેલા ખર્ચને લઈને એક સ્ટિંગ ઓપરેશન સામે આવ્યું હતું. ટાઈમ્સ નાઉ નવભારતના ઓપરેશન શીશ મહેલમાં જણાવવામાં આવ્યું હતું કે, સીએમ આવાસમાં 8-8 લાખ રૂપિયાના મોંઘાદાટ પડદા લગાવવામાં આવ્યા હોવાનો અને અન્ય બાંધકામ પાછળ પણ કરોડો રૂપિયાનું આંધણ કર્યું હોવાનો ખુલાસો થયો હતો. 

બંગલાનું રિનોવેશન કેસ

હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, દિલ્હી સરકારે 2020 અને 2022 વચ્ચે મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસસ્થાનના નવીનીકરણ પર લગભગ રૂપિયા 45 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. આ નાણા ઈમ્પોર્ટેડ માર્બલ, ઈન્ટીરીયર જેવા કામો પાછળ ખર્ચવામાં આવ્યા હતા. સીએમ આવાસમાં લગાવવામાં આવેલા કુલ પડદા પાછળ કુલ એક કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, કુલ 23 પડદાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. દિલ્હી ભાજપે આ અંગે આમ આદમી પાર્ટીને ઘેરી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, સીએમ કેજરીવાલના સત્તાવાર નિવાસસ્થાન પર લગાવવામાં આવેલ માર્બલ વિયેતનામથી આયાત કરવામાં આવ્યો હતો. આ ડાયોર પર્લ માર્બલની કિંમત એક કરોડ 15 લાખ રૂપિયા જણાવવામાં આવી હતી. 

AAPએ સ્પષ્ટતા કરી હતી

આ સમગ્ર મામલે આમ આદમી પાર્ટી દ્વારા સ્પષ્ટતા પણ આપવામાં આવી હતી. AAP સાંસદ અને પાર્ટીના પ્રવક્તા રાઘવ ચઢ્ઢાએ કહ્યું હતું કે, કેજરીવાલ જ્યાં રહે છે તે ઘર 1942માં બનાવવામાં આવ્યું હતું. ચઢ્ઢાએ કહ્યું હતું કે, ઘરની અંદરથી બેડરૂમમાં છત પરથી પાણી ટપકતું હતું. જાહેર બાંધકામ વિભાગ (PWD) દ્વારા તેનું ઓડિટ કરવામાં આવ્યું હતું. આ સરકારી બંગલો છે. અન્ય સીએમ અને પીએમ સાથે પણ સરખામણી થવી જોઈએ. AAP પ્રવક્તાએ કહ્યું હતું કે, સીએમ શિવરાજના આવાસ પર 20 કરોડ રૂપિયાનો ચૂનો લગાવવામાં આવ્યો હતો. PM મોદીનું આવાસ બની રહ્યું છે, જેનો અંદાજિત ખર્ચ 500 કરોડ છે. આ રકમ બમણી અથવા તેનાથી પણ વધુ હોઈ શકે છે.

ભાજપનું નિશાન તમારા પર

આ સમગ્ર મામલે ભારે રાજનીતિ થઈ હતી. ભાજપ અને AAP વચ્ચે ઉગ્ર શાબ્દિક યુદ્ધ છેડાયું હતું અને ભાજપે મુખ્યમંત્રી પર નિશાન સાધતા રિનોવેશનને લઈને અનેક આક્ષેપો કર્યા હતા. પણ હવે દિલ્હીના કેજરીવાલના માથે તપાસની તલવાર લટકી રહી છે. CAGના રિપોર્ટ બાદ કેજરીવાલ વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવશે કે કેમ તે બાબત સ્પષ્ટ થશે. 

https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,"અનામતનો લાભ લેનાર જનરલ બેઠકનો હકદાર ન ગણાય"
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,"અનામતનો લાભ લેનાર જનરલ બેઠકનો હકદાર ન ગણાય"
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, એશિયા કપમાં ભારતને ચેમ્પિયન બનાવનાર ખેલાડી ઘાયલ, ન્યુઝીલેન્ડ શ્રેણીમાંથી બહાર!
T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, એશિયા કપમાં ભારતને ચેમ્પિયન બનાવનાર ખેલાડી ઘાયલ, ન્યુઝીલેન્ડ શ્રેણીમાંથી બહાર!
YouTube માં 1 લાખ વ્યૂઝ પર કેટલી થાય છે કમાણી? જાણો ક્યારે મળે છે ગોલ્ડન બટન
YouTube માં 1 લાખ વ્યૂઝ પર કેટલી થાય છે કમાણી? જાણો ક્યારે મળે છે ગોલ્ડન બટન
ભારતની નંબર-1 ઇલેક્ટ્રિક કાર બની આ ગાડી, Tata Nexon EV ને છોડી પાછળ
ભારતની નંબર-1 ઇલેક્ટ્રિક કાર બની આ ગાડી, Tata Nexon EV ને છોડી પાછળ
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
Embed widget