શોધખોળ કરો

જનરલ રાવતની એક દીકરી રહે છે મુંબઇ, બીજી કરે છે દિલ્હી હાઇકોર્ટમાં પ્રેક્ટિસ

ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતનું સાસરું શહડોલ જિલ્લાના સોહાગપુરમાં છે. રાવતનાં પત્ની મધુલિકા સિંહ રીયાસતદાર કુંવર મૃગેન્દ્ર સિંહનાં વચલાં પુત્રી હતાં

નવી દિલ્લીઃ તમિલનાડુના કુનૂરના જંગલોમાં બુધવારે બપોરે 12:20 વાગ્યે ભારતીય લશ્કરના  હેલિકોપ્ટર ક્રેશમાં દેશના પહેલા ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ બિપિન રાવત અને તેમનાં પત્ની મધુલિકાનું નિધન થયું છે. તેમના નિધન સાથે તેમની બંને દીકરીઓએ એક સાથે માતા-પિતાને ગુમાવ્યા છે.

જનરલ રાવતને કૃતિકા રાવત અને તારિણી એણ બે દીકરી છે. જનરલ બિપિન રાવતના અંગત જીવન વિશે લોકોને બહુ ઓછી માહિતી છે તેથી તેમની બંને દીકરી શું કરે છે એ વિશે લોકોને બહુ માહિતી નથી પણ તેમની બંને દીકરીઓ પિતાનું નામ રોશન કરી રહી છે. આ પૈકી કૃતિકા રાવતનાં લગ્ન થઈ ચૂક્યાં છે અને કૃતિકા મુંબઈમાં રહે છે. બીજી દીકરી તારિણી દિલ્લીમાં રહે છે અને વકીલ છે. તારિણી દિલ્હી હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરે છે.

ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતનું સાસરું શહડોલ જિલ્લાના સોહાગપુરમાં છે. રાવતનાં પત્ની મધુલિકા સિંહ રીયાસતદાર કુંવર મૃગેન્દ્ર સિંહનાં વચલાં પુત્રી હતાં અને રાજવી પરિવારમાંથી આવતાં હતાં.  

મધુલિકા રાવત ગ્વાલિયરની સિંધિયા સ્કૂલનાં વિદ્યાર્થિની રહ્યાં છે. મધુલિકાના લગ્ન જનરલ બિપિન રાવત  સાથે 1985માં થયાં હતાં. મધુલિકાના પિતા મૃગેન્દ્ર સિંહ કોંગ્રેસના ટોચના નેતા હતા. સોહાગપુરથી કોંગ્રેસની ટિકિટ પર બે વખત ધારસભ્ય તરીકે ચૂંટાયા હતા. મૃગેન્દ્ર સિંહ 1967 અને 1972માં એણ બે વાર ધારાસભ્ય રહ્યા છે.

દિલ્હી યુનિવર્સિટીમાંથી મનોવૈજ્ઞાનિકનો અભ્યાસ કરનારાં મધુલિકા રાવત આર્મી વાઈવ્સ વેલ્ફેર એસોસિયેશન (AWWA)નાં પ્રેસિડેન્ટ હતાં. મધુલિકા રાવત લશ્કરના જવાનોની પત્ની, બાળકો અને આશ્રિતોને આનંદ મળી રહે એ માટે કામ કરતાં હતાં. સાથે સાથે જવાનોની વિધવાઓના અધિકારો માટે પણ સતત કાર્યરત હતાં.

મેરઠ યુનિવર્સિટીમાંથી ડોકટરેટની ડીગ્રી મેળવનાર રાવતનો ઈન્દોર સાથે પણ ગાઢ સંબંધ રહ્યો છે. તેઓ મહુમાં પોતાની સેવા આપી ચૂક્યા છે. તેમણે ડીફેન્સ અને મેનેજમેન્ટ વિષયમાં એમ.ફિલ.ની ડીગ્રી ઈન્દોરના દેવી અહિલ્યા યુનિવર્સિટીમાંથી મેળવી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઇસ્લામાબાદમાં નમાજ દરમિયાન બોમ્બ વિસ્ફોટ, 12 લોકોના મોત, ઈમરજન્સી જાહેર
ઇસ્લામાબાદમાં નમાજ દરમિયાન બોમ્બ વિસ્ફોટ, 12 લોકોના મોત, ઈમરજન્સી જાહેર
BMC Mayor 2026: મુંબઈમાં મેયર પદને લઈ તૈયારીઓ શરુ, BJP કાલે જાહેર કરશે ઉમેદવારનું નામ
BMC Mayor 2026: મુંબઈમાં મેયર પદને લઈ તૈયારીઓ શરુ, BJP કાલે જાહેર કરશે ઉમેદવારનું નામ
ડિજિટલ ફ્રોડ કે નાણાકીય છેતરપિંડી પર  હવે ગ્રાહકોને 25,000 વળતર મળશે,  RBI એ મૂક્યો પ્રસ્તાવ  
ડિજિટલ ફ્રોડ કે નાણાકીય છેતરપિંડી પર  હવે ગ્રાહકોને 25,000 વળતર મળશે,  RBI એ મૂક્યો પ્રસ્તાવ  
RBI એ વધાર્યું GDP ગ્રોથ અનુમાન, ભારતીય અર્થવ્યવસ્થા 2026-27 માં રહેશે મજબૂત 
RBI એ વધાર્યું GDP ગ્રોથ અનુમાન, ભારતીય અર્થવ્યવસ્થા 2026-27 માં રહેશે મજબૂત 

વિડિઓઝ

CM Bhupendra Patel: બાળકોમાં વધતા મોબાઈલના ચલણને લઈ CMએ વ્યક્ત કરી ચિંતા
Seventh Day School Controversy: અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં ફરી મારામારી!
Gold Silver Price Today: સોના- ચાંદીના ભાવમાં ભૂકંપ જેવી સ્થિતિ
Thakor Samaj Bandharan Controversy: ઠાકોર સમાજના બંધારણ સામે સમાજના કલાકારોએ જ માંડ્યો મોરચો
Pariksha Pe Charcha 2026: PM મોદીની વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પર ચર્ચા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઇસ્લામાબાદમાં નમાજ દરમિયાન બોમ્બ વિસ્ફોટ, 12 લોકોના મોત, ઈમરજન્સી જાહેર
ઇસ્લામાબાદમાં નમાજ દરમિયાન બોમ્બ વિસ્ફોટ, 12 લોકોના મોત, ઈમરજન્સી જાહેર
BMC Mayor 2026: મુંબઈમાં મેયર પદને લઈ તૈયારીઓ શરુ, BJP કાલે જાહેર કરશે ઉમેદવારનું નામ
BMC Mayor 2026: મુંબઈમાં મેયર પદને લઈ તૈયારીઓ શરુ, BJP કાલે જાહેર કરશે ઉમેદવારનું નામ
ડિજિટલ ફ્રોડ કે નાણાકીય છેતરપિંડી પર  હવે ગ્રાહકોને 25,000 વળતર મળશે,  RBI એ મૂક્યો પ્રસ્તાવ  
ડિજિટલ ફ્રોડ કે નાણાકીય છેતરપિંડી પર  હવે ગ્રાહકોને 25,000 વળતર મળશે,  RBI એ મૂક્યો પ્રસ્તાવ  
RBI એ વધાર્યું GDP ગ્રોથ અનુમાન, ભારતીય અર્થવ્યવસ્થા 2026-27 માં રહેશે મજબૂત 
RBI એ વધાર્યું GDP ગ્રોથ અનુમાન, ભારતીય અર્થવ્યવસ્થા 2026-27 માં રહેશે મજબૂત 
PM Kisan Yojana: તમારા ખાતામાં પૈસા આવશે કે નહીં, લિસ્ટમાં આ રીતે ચેક કરી લો તમારુ નામ 
PM Kisan Yojana: તમારા ખાતામાં પૈસા આવશે કે નહીં, લિસ્ટમાં આ રીતે ચેક કરી લો તમારુ નામ 
વૈભવ સૂર્યવંશીએ વર્લ્ડ કપ ફાઇનલમાં રચ્યો ઈતિહાસ, ફટકારી સૌથી ઝડપી સદી, બનાવ્યો નવો વિશ્વ રેકોર્ડ
વૈભવ સૂર્યવંશીએ વર્લ્ડ કપ ફાઇનલમાં રચ્યો ઈતિહાસ, ફટકારી સૌથી ઝડપી સદી, બનાવ્યો નવો વિશ્વ રેકોર્ડ
'DJ બંધ થવાથી સુધારો નહીં આવે, કલાકારો બેરોજગાર થશે'- બંધારણ મામલે વિક્રમ ઠાકોરે સમાજના આગેવાનોને આડેહાથ લીધા
'DJ બંધ થવાથી સુધારો નહીં આવે, કલાકારો બેરોજગાર થશે'- બંધારણ મામલે વિક્રમ ઠાકોરે સમાજના આગેવાનોને આડેહાથ લીધા
'વિક્રમ ઠાકોર રાજકારણમાં આવે... તેના માટે માથુ પણ આપીશ' - સમાજ બહાર મુકાયા બાદ અર્જુન ઠાકોરનો હુંકાર
'વિક્રમ ઠાકોર રાજકારણમાં આવે... તેના માટે માથુ પણ આપીશ' - સમાજ બહાર મુકાયા બાદ અર્જુન ઠાકોરનો હુંકાર
Embed widget