શોધખોળ કરો

સમીર વાનખેડેના સમર્થનમાં કેંદ્રીય મંત્રી રામદાસ અઠાવલે, જાણો શું કહ્યું ?

મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસને લઈ NCB ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે પર મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી અને NCP નેતા નવાબ મલિક સતત આરોપ લગાવી રહ્યા છે.

Ramdas Athawale on Nawab Maliks Claims:  મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસને લઈ NCB ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે પર મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી અને NCP નેતા નવાબ મલિક સતત આરોપ લગાવી રહ્યા છે. નવાબ મલિકનો આરોપ છે કે સમીર વાનખેડે અનુસૂચિત જાતિના નથી. આ મામલે રિપબ્લિકન પાર્ટીના વડા અને કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે સમીર વાનખેડેના સમર્થનમાં આવ્યા છે. આ સાથે જ મંત્રી રામદાસ આઠવલેના નિવેદન બાદ સમીર વાનખેડેની પત્ની ક્રાંતિ રેડકર વાનખેડે અને તેના પિતા જ્ઞાનદેવ વાનખેડેનું નિવેદન પણ આવ્યું છે.

અધિકારી સમીર વાનખેડેના બચાવમાં આવેલા કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ કહ્યું, "હું નવાબ મલિકને સમીર વાનખેડે અને તેના પરિવારને બદનામ કરવાના ષડયંત્રને રોકવા માટે કહેવા માંગુ છું. જો તેઓ કહે છે કે સમીર મુસ્લિમ છે, તો પછી તે મુસલમાન પર આરોપ કેમ લગાવી રહ્યા છે. આઠવલેએ કહ્યું કે સમીર વાનખેડે સાથે રિપબ્લિકન પાર્ટી ઉભી છ, સમીર વાનખેડેને કોઈ નુકસાન નહી થાય.

સમીર વાનખેડેના પત્ની ક્રાંતિ અને પિતા ધ્યાનદેવ વાનખેડેએ રામદાસ આઠવલેની આજે મુલાકાત કરી. રામદાસ આઠવલેએ કહ્યું કે વાનખેડે પર નવાબ મલિકના આરોપ નિરાધાર છે. તેમાં કોઈ તથ્ય નથી. સમીર વાનખેડે દલિત છે. તેઓ દલિત સમાજથી આવે છે. તેમના પર જાણી જોઈને રોજ આરોપ લગાવવામાં આવી રહ્યા છે. તેમના પર આરોપ લગાવીને સમગ્ર દલિત સમાજને બદનામ કરવાની કોશિશ થઈ રહી છે. અમારી પાર્ટી સમીર વાનખેડેની સાથે છે. તેમને કોઈ નુકસાન પહોંચવા દઈશું નહીં. 

આઠવલેએ કહ્યું કે આરપીઆઈ તરફથી હું નવાબ મલિકને કહેવા માંગુ છું કે સમીર અને તેના પરિવારને બદનામ કરવાની કોશિશ બંધ કરો. જો તેઓ કહી રહ્યા છે કે સમીર મુસલમાન છે, તો તેઓ પણ મુસલમાન છે. તો પછી આરોપ કેમ લગાવી રહ્યા છે?

કેન્દ્રીય મંત્રી આઠવલેએ કહ્યું, "સમીર વાનખેડેના પિતા જ્ઞાનદેવ વાનખેડેએ અમને દસ્તાવેજો બતાવ્યા કે તેમના પત્ની મુસ્લિમ હતા, તેઓ મહાર જાતિના છે. તેમણે અમને આ સંબંધિત દસ્તાવેજો પણ બતાવ્યા છે. જે રીતે સમીર વાનખેડે પર આરોપો લગાવવામાં આવી રહ્યા છે, જેમ કે મેં મદદની માંગણી કરી છે, જેના માટે પિતા જ્ઞાનદેવ વાનખેડે અને સમીરની પત્ની ક્રાંતિ અહીં આવ્યા છે. સમીર વાનખેડે દલિત પરિવારના છે, તેને અનામત લેવાનો અધિકાર છે. આરક્ષણ દ્વારા IRS બન્યા છે."

 

તે જ સમયે, સમીર વાનખેડેની પત્ની ક્રાંતિ રેડકર વાનખેડેએ કહ્યું, "અમે આજે અહીં આવ્યા છીએ, રામદાસ આઠવલેએ કહ્યું કે તે દુર્ભાગ્યપૂર્ણ છે કે મલિક એક દલિતની સીટ છીનવી રહ્યા છે. આઠવલે અમારી સાથે ઉભા છે, કારણ કે તેઓ દરેક દલિતની કાળજી રાખે છે. નવાબ મલિકના અત્યાર સુધીના તમામ આરોપો ખોટા સાબિત થયા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget