શોધખોળ કરો

લેબનો દાવો:  ભારતની 15 ટકા વસ્તી કોરોનાથી થઈ ચૂકી છે મુક્ત, એન્ટીબૉડી ટેસ્ટથી થયો ખુલાસો

દેશની એક મોટી લેબે દાવો કર્યો છે કે, ભારતમાં 15 ટકા વસ્તીમાં કોરોના વાયરસની એન્ટીબોડી છે. લગભગ 18 કરોડ લોકો એવા છે, જેના શરીરમાં વાયરસ આવીને જતો પણ રહ્યો છે.

નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. તેની વચ્ચે દેશની એક મોટી લેબે દાવો કર્યો છે કે, ભારતમાં 15 ટકા વસ્તીમાં કોરોના વાયરસની એન્ટીબોડી છે. લગભગ 18 કરોડ લોકો એવા છે, જેના શરીરમાં વાયરસ આવીને જતો પણ રહ્યો છે. લેબે પોતાની પાસે આવેલા 75 હજાર લોકોના સેમ્પલના આધારે આ આકલન કર્યું છે. જો કોઈ કોરોનાગ્રસ્ત થાય છે, ત્યારે તેનું શરીર વાયરસ સામે લડવાની એન્ટીબોડી તૈયાર કરી લે છે. કેટલાક લોકોમાં કોરોનાના કોઈ લક્ષણ દેખાતા નથી, કેટલામાં સામાન્ય લક્ષણો હોય છે. તો કેટલાકનો જીવ જતો રહે છે. એન્ટીબોડી ટેસ્ટ કરવાથી ખબર પડે છે કે, વ્યક્તિને કોરોના થઈ ચૂક્યો છે કે નહીં. થાયરોકેરના મેનેજિંગ ડાયરેક્ટર ડૉ. એ. વેલુમણિ અનુસાર દેશની વસ્તીનો એક મોટા હિસ્સાએ ઝડપથી કોરોના સામે પ્રતિરક્ષાની ક્ષમતા વિકસિત કરી લીધી છે. તેઓએ આ નિષ્કર્ષ ભારતના 300થી વધુ શહેરમાંથી લેવામાં આવેલા સેમ્પલના આધારે કાઢ્યો છે. વેલુમણિ અનુસાર, જે શહેરમાં કોરોનાના વધુ કેસ આવ્યા છે, ત્યાંથી એન્ટીબોડી પોઝિટિવ પણ વધારે મળ્યા છે. મુંબઈમાં લેવામાં આવેલા સેમ્પલમાં 27 ટકા લોકો એન્ટીબોડી પોઝિટિવ મળી આવ્યા છે. નવી દિલ્હીમાં 24 ટકા, પટનામાં 18, બેંગલુરુ 15 ટકા, હૈદરાબાદમાં 21 ટકા, ચેન્નઈમાં 30 ટકા, કોલકાતામાં 20 ટકા અને અમદાવાદમાં 18 ટકા લોકોમાં કોરોનાના એન્ટીબોડી મળ્યા છે. વેલુમણિ અનુસાર, આ ડેટાની કેટલીક મર્યાદા છે. જેવી કે ડેટા તૈયાર કરતી વખતે સેમ્પલની આયુ વર્ગ, લિંગ અને વ્યવસાયના આધાર પર ઓળખ નથી કરવામાં આવી. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે, ઉત્તર ભારતીય શહેરોમાં તેમને ઓછા સેમ્પલ મળ્યા છે. એન્ટીબોડી ટેસ્ટ સંપૂર્ણ રીતે ફુલ પ્રૂફ નથી. તેમાં 5 થી 10 ટકા ખોટા પરિણામ પણ આવી શકે છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
Year Ender 2025: આ વર્ષે સૌથી વધુ કમાણી કરનારા વિશ્વના 7 ક્રિકેટર્સ; નિવૃત્તિ પછી પણ ભારતનો આ ખેલાડી નંબર-1
Year Ender 2025: આ વર્ષે સૌથી વધુ કમાણી કરનારા વિશ્વના 7 ક્રિકેટર્સ; નિવૃત્તિ પછી પણ ભારતનો આ ખેલાડી નંબર-1

વિડિઓઝ

Surendranagar Police : થાનગઢમાં નાયબ મામલતદારની ટીમ પર હુમલો કરનાર 2 ખનીજ માફિયાની ધરપકડ
Silver Gold Price : વર્ષ 2025માં સોના-ચાંદીના ભાવે રચ્યો ઇતિહાસ, સોનાનો ભાવ થયો 1.38 લાખ રૂપિયા
Hun To Bolish : જીવતે જી સંતાનોને નામ ન કરતા સંપત્તિ
Hun To Bolish : સોના-ચાંદીની ચમક કેટલી અસલી, કેટલી નકલી?
Ahmedabad Protest : અમદાવાદના પેલેડિયમ મોલમાં હિન્દુ સંગઠને નોંધાવ્યો ક્રિસમસ ડેકોરેશનનો વિરોધ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
Year Ender 2025: આ વર્ષે સૌથી વધુ કમાણી કરનારા વિશ્વના 7 ક્રિકેટર્સ; નિવૃત્તિ પછી પણ ભારતનો આ ખેલાડી નંબર-1
Year Ender 2025: આ વર્ષે સૌથી વધુ કમાણી કરનારા વિશ્વના 7 ક્રિકેટર્સ; નિવૃત્તિ પછી પણ ભારતનો આ ખેલાડી નંબર-1
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
Health Tips: વાસી રોટલીમાં કયા કયા પોષક તત્વો હોય છે? સત્ય જાણશો તો રોજ ખાવા લાગશો
Health Tips: વાસી રોટલીમાં કયા કયા પોષક તત્વો હોય છે? સત્ય જાણશો તો રોજ ખાવા લાગશો
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
Embed widget