શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Covid19: દેશમાં કોરોનાના નવા 1993 કેસ, સંક્રમિત દર્દીઓની સંખ્યા 35043 થઈ
છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 1993 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને હવે 35043 થઈ ગઈ છે.
![Covid19: દેશમાં કોરોનાના નવા 1993 કેસ, સંક્રમિત દર્દીઓની સંખ્યા 35043 થઈ last 24 hours 1993 covid19 positive cases reported Covid19: દેશમાં કોરોનાના નવા 1993 કેસ, સંક્રમિત દર્દીઓની સંખ્યા 35043 થઈ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/05/01220930/LUV-agrawal-press.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હી: છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 1993 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને હવે 35043 થઈ ગઈ છે. જેમાંથી 25007 એક્ટિવ કેસની અલગ-અલગ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. છેલ્લા 24 કલાકમાં 554 લોકો સ્વસ્થ થયા છે. દેશમાં અત્યાર સુધી 8888 દર્દી સાજા થયા,કોરોનાના કારણે અત્યાર સુધી દેશમાં 1147 લોકોના મોત થયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર આપણા રિકવરી રેટમાં પણ વધારો થઈ રહ્યો છે. હવે 25.37 ટકા થઈ ગયો છે.
ગૃહ મંત્રાલય દ્વારા આજે ફસાયેલા વિદ્યાર્થીઓ, કામદારો, પ્રવાસીઓ, યાત્રાળુઓ વગેરેની અવરજવરને મંજૂરી આપવામાં આવી છે. રેલવે દ્વારા લોકો પોતાના રાજ્યમં પહોંચશે. રાજ્ય અને રેલ્વે બોર્ડ જરૂરી વ્યવસ્થા કરશે. બીજા રાજ્યોમાં ફસાયેલા લોકોને ટ્રેનથી જવા માટે મંજૂરી અપાઈ છે.
લોકડાઉનના કારણે તેલંગાણામાં ફસાયેલા 1200 મજૂરોને લઈને પહેલી સ્પેશ્યલ ટ્રેન ઝારખંડ રવાના થઈ ગઈ છે. સવારે 4.50 વાગ્યે લિંગમપલ્લીથી નીકળેલી આ ગાડી રાતે 11 વાગ્યે ઝારખંડના હટિયા પહોંચશે. આ મજૂરોને મોકલવામાં તમામ જરૂરી દિશા નિર્દેશોનું પાલન કરાઈ રહ્યું છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)