શોધખોળ કરો

દિલ્હીમાં આજે પ્રચારને છેલ્લો દિવસ, મેદાનમાં ઉતરશે ધ ગ્રેટ ખલી, સાયના નેહવાલ, નિરહુઆ સહિતના દિગ્ગજો

નોંધનીય છે કે, દિલ્હીની 70 વિધાનસભા બેઠક પર 8મી ફેબ્રુઆરીએ મતદાન યોજાવવાનુ છે, જ્યારે 11 ફેબ્રુઆરીએ પરિણામ આવશે

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આજે પ્રચારનો છેલ્લો દિવસ છે, આજે તમામ રાજકીય પાર્ટીઓ પોતાના દિગ્ગજોને મેદાનમાં ઉતરશે. આપથી લઇને બીજેપી અને કોંગ્રેસે પોતાના સ્ટાર પ્રચારકોને દિલ્હીમાં ઉતારી દીધા છે. જોકે, ખાસ વાત છે કે, આજના દિવસે બીજેપી તરફથી મોટી અને લોકપ્રિય હસ્તીઓ મેદાનમાં પ્રચાર કરવા ઉતરવાની છે. જેમાં ધ ગ્રેટ ખલીથી લઇને સાયના નેહવાલ અને નિરહુઆનુ સામલે છે. આમ આદમી પાર્ટી તરફથી સ્ટાર પ્રચારક અરવિંદ કેજરીવાલ, બીજેપી તરફથી અમિત શાહ રૉડ શૉ કરવાના છે, સાથે જેપી નડ્ડા પણ પ્રચારમાં જોડાશે. ખાસ વાત છે કે, બીજેપી તરફથી ભોજપુરી અભિનેતા દિનેશ લાલ યાદવ ઉર્ફે નિરહુઆ સાંજે એક મોટી રેલી કરવાના છે. ઉપરાંત WWEના સ્ટાર રેસલર ધ ગ્રેટ ખલી પણ બીજેપી તરફથી પ્રચાર માટે મેદાનમાં ઉતરવાના છે. તાજેતરમાં જ બીજેપીમાં જોડાયેલી બેડમિન્ટન સ્ટાર સાયના નેહવાલ પણ બીજેપી માટે દિલ્હીના પ્રચાર મેદાનમાં ઉતરવાની છે. દિલ્હીમાં આજે પ્રચારને છેલ્લો દિવસ, મેદાનમાં ઉતરશે ધ ગ્રેટ ખલી, સાયના નેહવાલ, નિરહુઆ સહિતના દિગ્ગજો
કોને કેટલી સીટો મળશે ? એબીપી ન્યૂઝ-સી વોટરના ઓપનિયન પોલ પ્રમાણે આમ આદમી પાર્ટીને 42 થી 56, ભાજપને 10 થી 24, કોંગ્રેસને 0 થી 4 સીટ મળી શકે છે. વોટ શેર પ્રમાણે આમ આદમી પાર્ટીને 45.6%, BJPને 37.1%, કોંગ્રેસને 4.4 % અને અન્યને 12.9% વોટ શેર મળી શકે છે. 11 ફેબ્રુઆરીએ જાહેર થશે પરિણામ દિલ્હીની કુલ 70 સીટો પર 8 ફેબ્રુઆરી, 2020ના રોજ વોટિંગ થશે અને 11 ફેબ્રુઆરીએ પરિણામ જાહેર થશે. આ વખતે દિલ્હીમાં કુલ 1,46,92,136 વોટર્સ મતાધિકારનો ઉપયોગ કરશે. 13750 પોલિંગ સ્ટેશન બનાવાશે અને 2689 સ્થળ પર વોટિંગ થશે. 90 હજાર કર્મચારીઓ ચૂંટણી પ્રક્રિયામાં સામેલ થશે. દિલ્હીમાં આજે પ્રચારને છેલ્લો દિવસ, મેદાનમાં ઉતરશે ધ ગ્રેટ ખલી, સાયના નેહવાલ, નિરહુઆ સહિતના દિગ્ગજો 2015માં AAPને મળી 67 સીટ ગત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 67 સીટો જીતી હતી, જ્યારે ભાજપ માત્ર ત્રણ સીટ જ જીતી શક્યું હતું. 15 વર્ષ સુધી દિલ્હીમાં સત્તામાં રહેલી કોંગ્રેસ ખાતું પણ ખોલાવી શકી નહોતી. 2015 વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 54 ટકા, બીજેપીને 32 ટકા અને કોંગ્રેસને 10 ટકા વોટ મળ્યા હતા. લોકસભામાં ભાજપે મારી બાજી 2019ની લોકસભા ચૂંટણીમાં દિલ્હીમાં ભાજપે તમામ સાત સીટો પર વિજય મેળવ્યો હતો. 2019 લોકસભા ચૂંટણીમાં મળેલા વોટ શેરના આધારે ભાજપને 65 અને કોંગ્રેસને 5 સીટ મળી શકે છે. આમ આદમી પાર્ટીના સૂપડા સાફ થતાં નજરે પડે છે. લોકસભા ચૂંટણીમાં ભાજપને 56 ટકા, કોંગ્રેસને 22.5 ટકા અને આમ આદમી પાર્ટીને 18.1 ટકા વોટ મળ્યા હતા. નોંધનીય છે કે, દિલ્હીની 70 વિધાનસભા બેઠક પર 8મી ફેબ્રુઆરીએ મતદાન યોજાવવાનુ છે, જ્યારે 11 ફેબ્રુઆરીએ પરિણામ આવશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
Nalanda Stampede News: બિહારના નાલંદામાં શીતળા માતાજીના મંદિરમાં ભાગદોડ, આઠનાં મોત
Nalanda Stampede News: બિહારના નાલંદામાં શીતળા માતાજીના મંદિરમાં ભાગદોડ, આઠનાં મોત
રાજ્યસભામાં OBC અનામત પર વિવાદ, ભાજપ સાંસદે કહ્યું- 'મુસ્લિમોને OBCમાંથી બહાર કરો'
રાજ્યસભામાં OBC અનામત પર વિવાદ, ભાજપ સાંસદે કહ્યું- 'મુસ્લિમોને OBCમાંથી બહાર કરો'
IT Rule Social Media: સરકારની ડિજિટલ સ્ટ્રાઇક, બદલાયા નિયમ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વૉટ્સએપ અને ટેલિગ્રામ બધા પર લેવાશે એક્શન
IT Rule Social Media: સરકારની ડિજિટલ સ્ટ્રાઇક, બદલાયા નિયમ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વૉટ્સએપ અને ટેલિગ્રામ બધા પર લેવાશે એક્શન

વિડિઓઝ

PM Modi Speech: સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’ લોકાર્પણ કાર્યક્રમમાં PM મોદીનું સંબોધન
PM Modi Gujarat Visit: PM મોદીએ કોબામાં જૈન મ્યૂઝિયમનું કર્યું ઉદ્ઘાટન
Rajkot News: રાજકોટમાં સ્વિમિંગ પુલમાં ડુબી જવાથી ભાઈ-બહેનના મોત
Mehsana Hit and Run News: મહેસાણાના બહુચરાજીમાં રફતારનો કહેર, બે લોકોના મોત, આઠ લોકો થયા ઘાયલ
Hun To Bolish : હું તો બોલીશ : PM આવશે, વિકાસ લાવશે

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
Nalanda Stampede News: બિહારના નાલંદામાં શીતળા માતાજીના મંદિરમાં ભાગદોડ, આઠનાં મોત
Nalanda Stampede News: બિહારના નાલંદામાં શીતળા માતાજીના મંદિરમાં ભાગદોડ, આઠનાં મોત
Rain: ફરી માવઠાની આગાહી, આગામી 2 અને 3 એપ્રિલે ગુજરાતમાં આંધી-વંટોળ સાથે પડશે વરસાદ
Rain: ફરી માવઠાની આગાહી, આગામી 2 અને 3 એપ્રિલે ગુજરાતમાં આંધી-વંટોળ સાથે પડશે વરસાદ
1 એપ્રિલથી ATMમાંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા! HDFCથી લઈને PNB બેન્કે કર્યા મોટા ફેરફારો
1 એપ્રિલથી ATMમાંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા! HDFCથી લઈને PNB બેન્કે કર્યા મોટા ફેરફારો
Mehsana News: બહુચરાજીમાં રફતારનો કહેર, દેલવાડા નજીક પગપાળા જતા યાત્રિકો પર ફરી વળ્યું આઈસર
Mehsana News: બહુચરાજીમાં રફતારનો કહેર, દેલવાડા નજીક પગપાળા જતા યાત્રિકો પર ફરી વળ્યું આઈસર
Rain: આજે વરસાદની આગાહી, આગામી 3 કલાકમાં આ વિસ્તારોમાં ખાબકશે કમોસમી વરસાદ
Rain: આજે વરસાદની આગાહી, આગામી 3 કલાકમાં આ વિસ્તારોમાં ખાબકશે કમોસમી વરસાદ
Ahmedabad: નારણપુરામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા ઘરમાં સૂઈ રહેલા 5 દાઝ્યા, આજુબાજુના ઘરના કાચ તૂટ્યા
Ahmedabad: નારણપુરામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા ઘરમાં સૂઈ રહેલા 5 દાઝ્યા, આજુબાજુના ઘરના કાચ તૂટ્યા
PM Modi Gujarat Visit Live: મિડલ ઈસ્ટ સંકટ પર બોલ્યા પીએમ મોદી, કહ્યું- આજે સમગ્ર દુનિયામાં અસ્થિરતા અને અશાંતિ
PM Modi Gujarat Visit Live: મિડલ ઈસ્ટ સંકટ પર બોલ્યા પીએમ મોદી, કહ્યું- આજે સમગ્ર દુનિયામાં અસ્થિરતા અને અશાંતિ
Embed widget