શોધખોળ કરો

MP Elections 2023: મધ્યપ્રદેશમાં કોંગ્રેસે આ સીટો પર બદલ્યા ઉમેદવાર, જાણો વિગત

MP election: મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે તમામ 230 બેઠકો પર ઉમેદવારો ઉભા કર્યા બાદ કોંગ્રેસે બુધવારે તેના ચાર ઉમેદવારો બદલ્યા છે.

Madhya Pradesh Elections 2023: મધ્યપ્રદેશમાં અસંતુષ્ટોની નારાજગીને દૂર કરવા કોંગ્રેસે ચાર ઉમેદવારો બદલ્યા છે. વર્તમાન ધારાસભ્યો અજય સિંહ કુશવાહા અને મુરલી મોરવાલને ફરીથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ બંને ધારાસભ્યોની ટિકિટ રદ કરવામાં આવી હતી. જ્યારે જમીન પર વિરોધ થયો ત્યારે કોંગ્રેસ નેતૃત્વને ઉમેદવાર બદલવાની ફરજ પડી હતી.

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે તમામ 230 બેઠકો પર ઉમેદવારો ઉભા કર્યા બાદ કોંગ્રેસે બુધવારે તેના ચાર ઉમેદવારો બદલ્યા છે. સુમાવલીથી કુલદીપ સિકરવારની જગ્યાએ ફરીથી ધારાસભ્ય અજબ સિંહ કુશવાહાને ટિકિટ આપવામાં આવી છે. બદનગરથી રાજેન્દ્રસિંહ સોલંકીની જગ્યાએ ધારાસભ્ય મુરલી મોરવાલ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ ઉપરાંત પીપરીયામાં ગુરુચરણની જગ્યાએ વિરેન્દ્ર બેલવંશીને ઉમેદવાર બનાવાયા છે અને જાવરામાં હિંમત શ્રીમલની જગ્યાએ વિરેન્દ્ર સોલંકીને ઉમેદવાર બનાવાયા છે.

બીજી યાદીમાં કોંગ્રેસે ત્રણ ઉમેદવારો બદલ્યા હતા. દતિયામાં અવધેશ નાયકની ટિકિટ બદલીને રાજેન્દ્ર ભારતીને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. અહીં ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા ભાજપ તરફથી ઉમેદવાર છે. પિછોરમાં શૈલેન્દ્ર સિંહની ટિકિટ કાપ્યા બાદ ગોટેગાંવથી અરવિંદ સિંહ લોધી અને પૂર્વ વિધાનસભા અધ્યક્ષ એનપી પ્રજાપતિની ટિકિટ કાપીને અરવિંદ સિંહને ફરીથી ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. અહીં કોંગ્રેસે અગાઉ શેખર ચૌધરીને પોતાના ઉમેદવાર બનાવ્યા હતા.

2018ની વિધાનસભા ચૂંટણીમાં અહીં કોઈ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી શકી ન હતી પરંતુ 230 સભ્યોની વિધાનસભામાં કૉંગ્રેસ 114 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી બનીને ઊભરી આવી હતી. જ્યારે ભાજપને 109 બેઠકો પર વિજય મળ્યો હતો. કૉંગ્રેસે બસપા, સપા અને અન્ય પક્ષોનો ટેકો લઇને સરકાર રચી હતી. રાજ્યમાં 15 વર્ષ પછી કૉંગ્રેસની સરકાર કમલનાથના નેતૃત્વમાં બની હતી. પરંતુ લગભગ 15 મહિના પછી કૉંગ્રેસમાં બળવો થતા અનેક ધારાસભ્યો ભાજપમાં સામેલ થયા. એ જ સમયે જ્યોતિરાદિત્ય સિંધિયા પણ કૉંગ્રેસ છોડી ભાજપમાં સામેલ થઈ ગયા. બળવાખોરીને કારણે રાજીનામાં અને અન્ય ત્રણ બેઠકો પર ધારાસભ્યોના નિધનને કારણે 28 બેઠકો પર પેટાચૂંટણી થઈ જેમાં ભાજપે 19 બેઠકો પર વિજય મેળવ્યો. હાલમાં ભાજપ પાસે 128 બેઠકો છે અને મુખ્ય મંત્રી શિવરાજસિંહ ચૌહાણના નેતૃત્વમાં સરકાર ચાલી રહી છે. રાજ્યમાં લગભગ 19 વર્ષથી સત્તામાં રહેલા ભાજપે આ વખતે તેના કેન્દ્રીય મંત્રીઓ અને સાંસદોને પણ વિધાનસભાની ચૂંટણી જીતવા મેદાનમાં ઊતાર્યા છે ત્યારે રોચક લડાઈની સંભાવના છે. કૉંગ્રેસ સાથે અહીં આમ આદમી પાર્ટી પણ આ વખતે મેદાનમાં છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોકરોચ જનતા પાર્ટીની મોટી જાહેરાત: દિલ્હી બાદ હવે 11 જૂને આ શહેરમાં થશે ઉગ્ર વિરોધ પ્રદર્શન
કોકરોચ જનતા પાર્ટીની મોટી જાહેરાત: દિલ્હી બાદ હવે 11 જૂને આ શહેરમાં થશે ઉગ્ર વિરોધ પ્રદર્શન
આવતીકાલનું હવામાનઃ આગામી 21 કલાકમાં 15 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ; 90 ની ઝડપે ફૂંકાશે વાવાઝોડું
આવતીકાલનું હવામાનઃ આગામી 21 કલાકમાં 15 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ; 90 ની ઝડપે ફૂંકાશે વાવાઝોડું
વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં બ્લાસ્ટ: 1600 ડીગ્રીએ પીગળેલું ગરમ લોખંડ પડતાં 8 કામદારોના કરુણ મોત
વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં બ્લાસ્ટ: 1600 ડીગ્રીએ પીગળેલું ગરમ લોખંડ પડતાં 8 કામદારોના કરુણ મોત
મમતા બેનર્જીને મોટો ફટકો: 20 ટીએમસી સાંસદોએ સ્પીકરને પત્ર લખી NDAને ટેકો જાહેર કર્યો
મમતા બેનર્જીને મોટો ફટકો: 20 ટીએમસી સાંસદોએ સ્પીકરને પત્ર લખી NDAને ટેકો જાહેર કર્યો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નેતાપુત્રનું ગૌચર પર દબાણ ?
Hun To Bolish : હું તો બોલીશ : અંધશ્રદ્ધાનો દરબાર ?
Modasa News: મોડાસાની સાર્વજનિક હોસ્પિટલનો કર્મચારીની દારૂના મસમોટા જથ્થા સાથે પોલીસે કરી ધરપકડ
Textbooks Shortage in School : પાઠ્યપુસ્તકોની અછત મુદ્દે મંડળના ચેરમેનનું નિવેદન
School Van Fare Hike: વાલીઓને મોંઘવારીનો માર, સ્કૂલ વર્ધી એસો.એ સ્કૂલવાન ભાડામાં કર્યો વધારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ આગામી 21 કલાકમાં 15 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ; 90 ની ઝડપે ફૂંકાશે વાવાઝોડું
આવતીકાલનું હવામાનઃ આગામી 21 કલાકમાં 15 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ; 90 ની ઝડપે ફૂંકાશે વાવાઝોડું
મોદી સરકારે ઉજ્જવલા યોજનાના 10 કરોડથી વધુ લોકોને આપ્યો મોટો ઝટકો, ઘટશે સબસિડીનો લાભ!
મોદી સરકારે ઉજ્જવલા યોજનાના 10 કરોડથી વધુ લોકોને આપ્યો મોટો ઝટકો, ઘટશે સબસિડીનો લાભ!
જમીન પર વિનાશ, આકાશમાં બારૂદ: 24 કલાકમાં જ બદલાયો મધ્ય પૂર્વનો માહોલ, દુનિયામાં ખળભળાટ
જમીન પર વિનાશ, આકાશમાં બારૂદ: 24 કલાકમાં જ બદલાયો મધ્ય પૂર્વનો માહોલ, દુનિયામાં ખળભળાટ
ભારતીય થાળી અને ડાયાબિટીસ: શું રોજ દાળ-રોટલી અને ભાત ખાવાથી બ્લડ સુગર ખરેખર વધે છે?
ભારતીય થાળી અને ડાયાબિટીસ: શું રોજ દાળ-રોટલી અને ભાત ખાવાથી બ્લડ સુગર ખરેખર વધે છે?
પેટ્રોલ-ડીઝલ સસ્તા થશે! કેન્દ્રીય મંત્રીએ જણાવ્યા ભાવ ઘટવાના કારણો, જનતાને મળશે રાહત
પેટ્રોલ-ડીઝલ સસ્તા થશે! કેન્દ્રીય મંત્રીએ જણાવ્યા ભાવ ઘટવાના કારણો, જનતાને મળશે રાહત
વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં બ્લાસ્ટ: 1600 ડીગ્રીએ પીગળેલું ગરમ લોખંડ પડતાં 8 કામદારોના કરુણ મોત
વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં બ્લાસ્ટ: 1600 ડીગ્રીએ પીગળેલું ગરમ લોખંડ પડતાં 8 કામદારોના કરુણ મોત
કોકરોચ જનતા પાર્ટીની મોટી જાહેરાત: દિલ્હી બાદ હવે 11 જૂને આ શહેરમાં થશે ઉગ્ર વિરોધ પ્રદર્શન
કોકરોચ જનતા પાર્ટીની મોટી જાહેરાત: દિલ્હી બાદ હવે 11 જૂને આ શહેરમાં થશે ઉગ્ર વિરોધ પ્રદર્શન
ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં અંધશ્રદ્ધાનો ખેલ? ધુણતી મહિલાનો હુમલો, પીપળિયાનો પડકાર
ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં અંધશ્રદ્ધાનો ખેલ? ધુણતી મહિલાનો હુમલો, પીપળિયાનો પડકાર
Embed widget