સતત વધતા કોરોના સંક્રમણને લઈ મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકારની નવી ગાઈડલાઈન, જાણો શું બંઘ રહેશે અને શું ખુલ્લું રહેશે ?
રવિવારે મંત્રીપરિષદની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો કે રાત્રે 8 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ લાગુ રહેશે. આ સિવાય દિવસ દરમિયાન કલમ 144 લાગુ રહેશે. એક જગ્યા પર પાંચથી વધુ લોકો એકઠા થવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. 9 એપ્રિલથી સમગ્ર રાજ્યમાં વીકેન્ડ લોકડાઉન, દરેક શુક્રવારે રાત્રે 8 વાગ્યાથી સોમવાર સવારે 7 વાગ્યા સુધી કડક નિયંત્રણો રહેશે.
મુંબઈ: મહારાષ્ટ્ર(Maharashtra)માં કોરોના વાયરસ(Coronavirus)ના વધી રહેલા સંક્રમણ વચ્ચે ઉદ્ધવ ઠાકરે સરકારે નવી ગાઈડલાઈન(Guidelines) જાહેર કરી છે. રવિવારે મંત્રીપરિષદની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો કે રાત્રે 8 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ (Night curfew)લાગુ રહેશે. આ સિવાય દિવસ દરમિયાન કલમ 144 લાગુ રહેશે. એક જગ્યા પર પાંચથી વધુ લોકો એકઠા થવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. 9 એપ્રિલથી સમગ્ર રાજ્યમાં વીકેન્ડ લોકડાઉન, દરેક શુક્રવારે રાત્રે 8 વાગ્યાથી સોમવાર સવારે 7 વાગ્યા સુધી કડક નિયંત્રણો રહેશે.
કેબિનેટે નિર્ણય કર્યો છે કે આવશ્યક ચીજવસ્તુઓની સેવા સાથે જોડાયેલા લોકોને જ રાત્રીના સમયે બહાર નિકળવા મંજૂરી મળશે. આ ઉપરાંત હોટેલ અને રેસ્ટોરેન્ટમાં બેસીને ભોજન કરવા પર પ્રતિબંધ રહેશે. જોકે પેકિંગ સુવિધા ચાલૂ રહેશે. મહારાષ્ટ્રમાં તમામ પાર્ક બંધ રહેશે. થિયેટર પણ બંધ રહેશે. આ ઉપરાંત કોઈ મોટા શૂટિંગ માટે પણ મંજૂરી આપવામાં આવશે નહીં.
મહારાષ્ટ્રમાં શું ચાલુ અને શું રહેશે બંધ
શુક્રવારે સાંજે 8 થી સોમવારે સવારે 7 વાગ્યે લોકડાઉન
લોકલ ટ્રેન ચાલુ રહેશે
જીમ બંધ થશે
આવશ્યક સેવાઓ માટેની પરવાનગી
ફક્ત આવશ્યક સેવાઓમાં લોકોને વાહન ચલાવવાની મંજૂરી છે
માત્ર આવશ્યક સેવાઓ ચાલુ રહેશે
ધાર્મિક સ્થળો પર પ્રતિબંધ રહેશે
સિનેમા, થિયેટરો સંપૂર્ણપણે બંધ
બગીચા, મેદાન બંધ
જ્યાં કેસ વધી રહ્યા છે ત્યાં નિર્ણય લેવાનો અધિકાર સ્થાનિક વહીવટી તંત્રને છે
મૂવીઝ અને સિરીયલોનું શૂટિંગ મોટી સંખ્યામાં થઈ શકતું નથી
રિક્ષા-ડ્રાઇવર + 2 લોકો
તમે બસથી જ મુસાફરી કરી શકો છો
ટેક્સીમાં માસ્ક પહેરો
કચેરીઓને ઘરેથી કામ શરૂ કરવા સૂચના
મંત્રાલય, મહત્વપૂર્ણ સ્થાનો પર મુલાકાતીઓ પર પ્રતિબંધ છે
ફિલ્મના શૂટિંગની મંજૂરી છે, પરંતુ તેમાં ભીડ ન હોવી જોઈએ
પ્રતિબંધિત વિસ્તાર બનાવો
સોસાયટીની બહાર બોર્ડ લગાવવું અન્યથા દંડ ફટકારશે
20 લોકોને અંતિમ વિધિ માટે મંજૂરી
લગ્નોમાં ભાગ લેનારા લોકોની સંખ્યા મર્યાદિત છે
હવાઇ મુસાફરીમાં કોઈ પરિવર્તન નથી, તેમ છતાં, પરીક્ષણ કડક કરવામાં આવશે.
Before You Go
Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત





















