શોધખોળ કરો

દેવેન્દ્ર ફડણવીસ અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે મુલાકાત થઈ? સંજય રાઉતે કર્યો ખુલાસો

Maharashtra Election 2024: સંજય રાઉતે કહ્યું કે દેવેન્દ્ર અને ઉદ્ધવની મુલાકાત થઈ એ ખૂબ જ હાસ્યાસ્પદ છે. તેમણે કહ્યું કે ભાજપ સાથે મળવું એ અફઝલ ગુરુ અને શિવાજી મહારાજના મળવા જેવું છે.

Maharashtra Assembly Election 2024: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી વચ્ચે ઉદ્ધવ ઠાકરે અને દેવેન્દ્ર ફડણવીસની કથિત મુલાકાતથી રાજ્યમાં રાજકીય હોબાળો મચી ગયો છે. કથિત રીતે કરવામાં આવેલી આ મુલાકાતથી અનેક રાજકીય અર્થ કાઢવામાં આવી રહ્યા છે. જ્યારે આવા સમાચારોને શિવસેના યુબીટીએ સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે. પાર્ટીના સાંસદ સંજય રાઉતે કહ્યું કે સમાચાર ફેલાવનારા લોકોએ ભાજપ પાસેથી સુપારી લીધી છે.

સંજય રાઉતે આગળ કહ્યું, "ઉદ્ધવથી ભાજપના લોકો ડરેલા છે. હું છેલ્લો માણસ રહીશ જે તેમના ઝંઝટમાં આવીશ. અમારી લડાઈ મહારાષ્ટ્રને લૂંટનારાઓ વિરુદ્ધ છે. લૂંટનારાઓ સાથે અમારું નામ જોડીને ડર દેખાઈ રહ્યો છે. એ ખૂબ જ હાસ્યાસ્પદ છે કે દેવેન્દ્ર અને ઉદ્ધવની મુલાકાત થઈ. ભાજપ સાથે મળવું એ અફઝલ ગુરુ અને શિવાજી મહારાજના મળવા જેવું છે."

મુલાકાતના કથિત સમાચારોથી મચ્યો રાજકીય હોબાળો

એબીપી માઝા અનુસાર મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી વચ્ચે સોમવારે (21 ઓક્ટોબર) શિવસેના યુબીટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને ડેપ્યુટી સીએમ અને ભાજપના દિગ્ગજ નેતા દેવેન્દ્ર ફડણવીસની કથિત મુલાકાતના સમાચારોથી રાજકીય ભૂકંપ આવી ગયો. દાવો તો ત્યાં સુધી કરવામાં આવ્યો કે સંજય રાઉતે અમિત શાહ સાથે પણ મુલાકાત કરી હતી.

કાઢવામાં આવી રહ્યા છે અનેક રાજકીય અર્થ

ઉદ્ધવ ઠાકરે અને દેવેન્દ્ર ફડણવીસની મુલાકાતના સમાચારો એવા સમયે આવ્યા જ્યારે મહાવિકાસ અઘાડીમાં સામેલ શિવસેના યુબીટી અને કોંગ્રેસ વચ્ચે બેઠકોને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં આ પ્રકારના સમાચારોના અનેક રાજકીય અર્થ કાઢવામાં આવી રહ્યા છે.

જોકે ઉદ્ધવ ઠાકરે જૂથે દાવો કર્યો છે કે શિવસેના યુબીટીનો મહારાષ્ટ્રમાં એકલા ચૂંટણી લડવાનો કોઈ ઇરાદો નથી. પાર્ટી તરફથી એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે મહાવિકાસ અઘાડીમાં કોઈ પ્રકારનો વિવાદ નથી અને એમવીએ એકજૂથ થઈને રાજ્યમાં વિધાનસભા ચૂંટણી લડશે.

બેઠક વહેંચણી અંગે જ્યારે શિવસેના (UBT)ના સાંસદ સંજય રાઉતને સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે સોમવારે (21 ઓક્ટોબર)ના રોજ કહ્યું કે અમારી વાતચીત ચાલી રહી છે. આજે સાંજ સુધીમાં ફાઇનલ થઈ જશે. અમે બધા બેસીને નિર્ણય લઈશું. કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે વાતચીત થઈ રહી છે. રાજ્યના કોંગ્રેસ નેતાઓ અમારા મિત્રો છે. બેઠક વહેંચણીમાં બધાએ થોડું ઘણું ત્યાગ કરવો પડે છે. કોંગ્રેસનું આલાકમાન દિલ્હીમાં બેસે છે.

નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં MVAમાં કોંગ્રેસ અને શિવસેના (UBT)ની સાથે શરદ પવારની NCP (SP) સામેલ છે. આ ગઠબંધનનો મુકાબલો BJP, એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની NCPથી છે.

આ પણ વાંચોઃ

ઉદ્ધવ ઠાકરેનો પ્લાન B તૈયાર? કોંગ્રેસના દાવાઓથી મહારાષ્ટ્રની રાજનીતિમાં ખળભળાટ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

MVA માંથી બહાર થઈ જશે ઉદ્ધવ ઠાકરેની પાર્ટી? મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રભારીએ આપ્યો આવો જવાબ
MVA માંથી બહાર થઈ જશે ઉદ્ધવ ઠાકરેની પાર્ટી? મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રભારીએ આપ્યો આવો જવાબ
Crime News: 1, 2 નહીં 4 પ્રેમી સાથે મળીને પત્નીએ પતિની હત્યા કરી, ખુદ પોલીસને ફોન કરી બોલાવી પછી....
Crime News: 1, 2 નહીં 4 પ્રેમી સાથે મળીને પત્નીએ પતિની હત્યા કરી, ખુદ પોલીસને ફોન કરી બોલાવી પછી....
અમેરિકન ગ્રીન કાર્ડ મેળવવું ભારતીયો માટે આસાન બન્યું! USCIS એ ગાઈડલાઈનમાં કર્યો સુધારો
અમેરિકન ગ્રીન કાર્ડ મેળવવું ભારતીયો માટે આસાન બન્યું! USCIS એ ગાઈડલાઈનમાં કર્યો સુધારો
કેન્દ્રીય કર્મચારીઓની નિવૃત્તિને લઈને મોદી સરકારે બનાવ્યા નવા નિયમ, જાણો શું ફેરફાર થયા
કેન્દ્રીય કર્મચારીઓની નિવૃત્તિને લઈને મોદી સરકારે બનાવ્યા નવા નિયમ, જાણો શું ફેરફાર થયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ: આ ચિંતા કોણ કરશેHun To Bolish: હું તો બોલીશ : હવે તો પહેરો હેલ્મેટAmreli Farmer : અમરેલીમાં આકાશી આફતે ખેડૂતોને કર્યા બરબાદ, જુઓ VIDEOBhavnagar news: ભાવનગર શહેરને જોડતો રીંગરોડ પર ખાડાઓનું સામ્રાજ્ય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
MVA માંથી બહાર થઈ જશે ઉદ્ધવ ઠાકરેની પાર્ટી? મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રભારીએ આપ્યો આવો જવાબ
MVA માંથી બહાર થઈ જશે ઉદ્ધવ ઠાકરેની પાર્ટી? મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રભારીએ આપ્યો આવો જવાબ
Crime News: 1, 2 નહીં 4 પ્રેમી સાથે મળીને પત્નીએ પતિની હત્યા કરી, ખુદ પોલીસને ફોન કરી બોલાવી પછી....
Crime News: 1, 2 નહીં 4 પ્રેમી સાથે મળીને પત્નીએ પતિની હત્યા કરી, ખુદ પોલીસને ફોન કરી બોલાવી પછી....
અમેરિકન ગ્રીન કાર્ડ મેળવવું ભારતીયો માટે આસાન બન્યું! USCIS એ ગાઈડલાઈનમાં કર્યો સુધારો
અમેરિકન ગ્રીન કાર્ડ મેળવવું ભારતીયો માટે આસાન બન્યું! USCIS એ ગાઈડલાઈનમાં કર્યો સુધારો
કેન્દ્રીય કર્મચારીઓની નિવૃત્તિને લઈને મોદી સરકારે બનાવ્યા નવા નિયમ, જાણો શું ફેરફાર થયા
કેન્દ્રીય કર્મચારીઓની નિવૃત્તિને લઈને મોદી સરકારે બનાવ્યા નવા નિયમ, જાણો શું ફેરફાર થયા
નકલી પોલીસ અને અધિકારીઓ બાદ હવે નકલી કોર્ટ પકડાઈ; સિટી સિવિલ કોર્ટની સામે ફૂટ્યો ભાંડો
નકલી પોલીસ અને અધિકારીઓ બાદ હવે નકલી કોર્ટ પકડાઈ; સિટી સિવિલ કોર્ટની સામે ફૂટ્યો ભાંડો
રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત
રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત
Unseasonal rain: પાછોતરા વરસાદથી રાજકોટના ખેડૂતો થયા બરબાદ, સરકાર સર્વે કરી સહાય ચૂકવે તેવી ખેડૂતોની માગ
પાછોતરા વરસાદથી રાજકોટના ખેડૂતો થયા બરબાદ
Aadhaar update: આધાર કાર્ડ અપડેટ કરવું થયું વધુ સરળ, સરકારે આ સ્થળોએ પણ શરૂ કરી સુવિધા
Aadhaar update: આધાર કાર્ડ અપડેટ કરવું થયું વધુ સરળ, સરકારે આ સ્થળોએ પણ શરૂ કરી સુવિધા
Embed widget