શોધખોળ કરો

દેવેન્દ્ર ફડણવીસ અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે મુલાકાત થઈ? સંજય રાઉતે કર્યો ખુલાસો

Maharashtra Election 2024: સંજય રાઉતે કહ્યું કે દેવેન્દ્ર અને ઉદ્ધવની મુલાકાત થઈ એ ખૂબ જ હાસ્યાસ્પદ છે. તેમણે કહ્યું કે ભાજપ સાથે મળવું એ અફઝલ ગુરુ અને શિવાજી મહારાજના મળવા જેવું છે.

Maharashtra Assembly Election 2024: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી વચ્ચે ઉદ્ધવ ઠાકરે અને દેવેન્દ્ર ફડણવીસની કથિત મુલાકાતથી રાજ્યમાં રાજકીય હોબાળો મચી ગયો છે. કથિત રીતે કરવામાં આવેલી આ મુલાકાતથી અનેક રાજકીય અર્થ કાઢવામાં આવી રહ્યા છે. જ્યારે આવા સમાચારોને શિવસેના યુબીટીએ સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે. પાર્ટીના સાંસદ સંજય રાઉતે કહ્યું કે સમાચાર ફેલાવનારા લોકોએ ભાજપ પાસેથી સુપારી લીધી છે.

સંજય રાઉતે આગળ કહ્યું, "ઉદ્ધવથી ભાજપના લોકો ડરેલા છે. હું છેલ્લો માણસ રહીશ જે તેમના ઝંઝટમાં આવીશ. અમારી લડાઈ મહારાષ્ટ્રને લૂંટનારાઓ વિરુદ્ધ છે. લૂંટનારાઓ સાથે અમારું નામ જોડીને ડર દેખાઈ રહ્યો છે. એ ખૂબ જ હાસ્યાસ્પદ છે કે દેવેન્દ્ર અને ઉદ્ધવની મુલાકાત થઈ. ભાજપ સાથે મળવું એ અફઝલ ગુરુ અને શિવાજી મહારાજના મળવા જેવું છે."

મુલાકાતના કથિત સમાચારોથી મચ્યો રાજકીય હોબાળો

એબીપી માઝા અનુસાર મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી વચ્ચે સોમવારે (21 ઓક્ટોબર) શિવસેના યુબીટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને ડેપ્યુટી સીએમ અને ભાજપના દિગ્ગજ નેતા દેવેન્દ્ર ફડણવીસની કથિત મુલાકાતના સમાચારોથી રાજકીય ભૂકંપ આવી ગયો. દાવો તો ત્યાં સુધી કરવામાં આવ્યો કે સંજય રાઉતે અમિત શાહ સાથે પણ મુલાકાત કરી હતી.

કાઢવામાં આવી રહ્યા છે અનેક રાજકીય અર્થ

ઉદ્ધવ ઠાકરે અને દેવેન્દ્ર ફડણવીસની મુલાકાતના સમાચારો એવા સમયે આવ્યા જ્યારે મહાવિકાસ અઘાડીમાં સામેલ શિવસેના યુબીટી અને કોંગ્રેસ વચ્ચે બેઠકોને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં આ પ્રકારના સમાચારોના અનેક રાજકીય અર્થ કાઢવામાં આવી રહ્યા છે.

જોકે ઉદ્ધવ ઠાકરે જૂથે દાવો કર્યો છે કે શિવસેના યુબીટીનો મહારાષ્ટ્રમાં એકલા ચૂંટણી લડવાનો કોઈ ઇરાદો નથી. પાર્ટી તરફથી એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે મહાવિકાસ અઘાડીમાં કોઈ પ્રકારનો વિવાદ નથી અને એમવીએ એકજૂથ થઈને રાજ્યમાં વિધાનસભા ચૂંટણી લડશે.

બેઠક વહેંચણી અંગે જ્યારે શિવસેના (UBT)ના સાંસદ સંજય રાઉતને સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે સોમવારે (21 ઓક્ટોબર)ના રોજ કહ્યું કે અમારી વાતચીત ચાલી રહી છે. આજે સાંજ સુધીમાં ફાઇનલ થઈ જશે. અમે બધા બેસીને નિર્ણય લઈશું. કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે વાતચીત થઈ રહી છે. રાજ્યના કોંગ્રેસ નેતાઓ અમારા મિત્રો છે. બેઠક વહેંચણીમાં બધાએ થોડું ઘણું ત્યાગ કરવો પડે છે. કોંગ્રેસનું આલાકમાન દિલ્હીમાં બેસે છે.

નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં MVAમાં કોંગ્રેસ અને શિવસેના (UBT)ની સાથે શરદ પવારની NCP (SP) સામેલ છે. આ ગઠબંધનનો મુકાબલો BJP, એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની NCPથી છે.

આ પણ વાંચોઃ

ઉદ્ધવ ઠાકરેનો પ્લાન B તૈયાર? કોંગ્રેસના દાવાઓથી મહારાષ્ટ્રની રાજનીતિમાં ખળભળાટ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  

વિડિઓઝ

Somnath Temple: સોમનાથ મંદિર પર આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થતાં PM મોદીએ લખ્યો બ્લોગ
Surat News: સુરતમાં તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ
Bagdana Controversy: બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર
Gujarat Weather Update: રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો,11 શહેરમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન
Singer Hardil Pandya attacked: સોંગના ક્રેડિટ વિવાદમાં મુંબઈના સિંગર હાર્દિલ પંડ્યા પર અમદાવાદમાં હુમલો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
Indian Railways: રેલવેએ ટિકિટ બુકિંગ નિયમોમાં કર્યો મોટો બદલાવ, આધાર લિંક વગર સવારે 8થી 4 ટિકિટ બુક નહીં થાય
Indian Railways: રેલવેએ ટિકિટ બુકિંગ નિયમોમાં કર્યો મોટો બદલાવ, આધાર લિંક વગર સવારે 8થી 4 ટિકિટ બુક નહીં થાય
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
Embed widget