શોધખોળ કરો

Maharashtra lockdown: મહારાષ્ટ્રમાં ફરી લાગી શકે છે લોકડાઉન ? કોરોનાના વધતા કેસ વચ્ચે CM ઉદ્ધવ ઠાકરેએ બેઠકમાં કરી આ વાત

રવિવારે રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)એ સંબંધિત અધિકારીઓ સાથે કોરોના સંક્રમણની સ્થિતિને લઈને એક મહત્વની બેઠક યોજી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રીએ અધિકારીઓને નિર્દેશ આપ્યા કે જો લોકો કોરોનાના નિયમોનું પાલન કરતા નથી તો લોકડાઉનનો રોડમેપ તૈયાર કરવામાં આવે. 

 

 

મુંબઈ: મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના (Corona Virus) સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. તેને ધ્યાનમાં રાખતા રવિવારે રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)એ સંબંધિત અધિકારીઓ સાથે કોરોના સંક્રમણની સ્થિતિને લઈને એક મહત્વની બેઠક યોજી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રીએ અધિકારીઓને નિર્દેશ આપ્યા કે જો લોકો કોરોનાના નિયમોનું પાલન કરતા નથી તો લોકડાઉનનો રોડમેપ તૈયાર કરવામાં આવે. 

રાજ્યમાં ફરી એકવાર  લોકડાઉન (Lockdown)લગાવવા તરફ ઇશારો કરતા મુખ્યમંત્રી ઠાકરેએ કહ્યુ કે, તમામ નિયમોનું કડક પાલન થાય, જો લોકો ન માને તો લોકડાઉન માટે રોડમેપ તૈયાર કરો. 

ઉદ્ધવ ઠાકરેએ બેઠકમાં સતત વધી રહેલા કોરોનાના કેસને લઈને ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યુ કે, વધતા કેસને કારણે સ્વાસ્થ્ય સુવિધાઓ ઓછી પડવા લાગી છે. બેઠકમાં સરકારે નિર્ણય કર્યો કે હવે મંત્રાલયો સહિત તમામ સરકારી ઓફિસમાં મુલાકાતી પર આગામી આદેશ સુધી પ્રતિબંધ રહેશે.

હાલમાં વેન્ટિલેટર અને આઇસોલેશન બેડની શું છે  સ્થિતિ 

જાણકારી પ્રમાણે 3 લાખ 57 હજાર આઇસોલેશન બેડમાંથી 1 લાખ 7 હજાર બેડ ભરેલા છે અને બાકી બેડ પણ ઝડપથી ભરાઈ રહ્યાં છે. 60 હજાર 349 ઓક્સિઝન બેડમાંથી 19 હજાર 930 બેડ ભરાઈ ગયા છે. 

9 હજાર 30 વેન્ટિલેટરમાંથી 1881 પર દર્દીઓને રાખવામાં આવ્યા છે. કેટલાક જિલ્લામાં બેડ ઉપલબ્ધનથી અને સંક્રમણ વધરાને કારણે સુવિધા ઓછી પડી રહી છે. 

ભારતમાં કોરોના સંક્રમણ (Coronavirus) અટકવાનું નામ જ નથી લઈ રહ્યું. સતત બીજા દિવસે 62 હજારથી વધુ કોરોના કેસ આવ્યા છે. જે આ વર્ષે સૌથી વધુ છે. આરોગ્ય મંત્રાલયના (Union Health Ministry) તાજેતરના અહેવાલ મુજબ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 312 લોકોના મોત અને 62,714 કેસ નોંધાયા છે.


આરોગ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં 62,714 નવા કેસ (Corona Cases) અને 312 લોકોના મોત થયા છે. જ્યારે 28,739 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે દેશમાં કોરોનાના કુલ કેસ 1,19,71,624 થયા છે. જ્યારે 1,13,23,762 લોકો કોરોનાથી મુક્ત થઈ ગયા છે. હાલ 4,86,310 એક્ટિવ કેસ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 1,61,552 છે. દેશમાં કુલ 6,02,69,782 લોકો કોરોનાની રસી લઈ ચુક્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

અયોધ્યામાં ઘ્વજરોહણ સમારોહ, મંદિર દર્શનનો સમય બદલાયો, જાણો PM મોદીનું સંપૂર્ણ શિડ્યુઅલ
અયોધ્યામાં ઘ્વજરોહણ સમારોહ, મંદિર દર્શનનો સમય બદલાયો, જાણો PM મોદીનું સંપૂર્ણ શિડ્યુઅલ
West Bengal: પશ્વિમ બંગાળમાં જમા નથી થયા 10 લાખ SIR ફોર્મ, મતદાર યાદીમાંથી હટી શકે છે નામ
West Bengal: પશ્વિમ બંગાળમાં જમા નથી થયા 10 લાખ SIR ફોર્મ, મતદાર યાદીમાંથી હટી શકે છે નામ
Eighth Pay Commission: જો 18000 બેસિક પે છે તો કેટલી થઈ જશે સેલેરી? જાણો શું રહી શકે છે ફિટમેન્ટ ફેક્ટર
Eighth Pay Commission: જો 18000 બેસિક પે છે તો કેટલી થઈ જશે સેલેરી? જાણો શું રહી શકે છે ફિટમેન્ટ ફેક્ટર
TRAIએ બ્લોક કર્યા 21 લાખ ફોન નંબર્સ, મોબાઈલ યુઝર્સ માટે એડવાઈઝરી જાહેર
TRAIએ બ્લોક કર્યા 21 લાખ ફોન નંબર્સ, મોબાઈલ યુઝર્સ માટે એડવાઈઝરી જાહેર
Advertisement

વિડિઓઝ

Jignesh Mevani : મેવાણીએ હર્ષ સંઘવીને શું કરી ચેલેન્જ? જુઓ અહેવાલ
Protest Against Jignesh Mevani In Gujarat : ગુજરાતમાં મેવાણી સામે આક્રોશ, રાજીનામાની ઉઠી માંગ
Hun To Bolish : હું તો બોલીશ : રાષ્ટ્ર વિરોધી તત્વોની પોલીસ પાસે યાદી
Hun To Bolish : હું તો બોલીશ : બલિનો 'બકરો' !
Hun To Bolish : હું તો બોલીશ : ડર 'SIR'નો, મોત BLOનું ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અયોધ્યામાં ઘ્વજરોહણ સમારોહ, મંદિર દર્શનનો સમય બદલાયો, જાણો PM મોદીનું સંપૂર્ણ શિડ્યુઅલ
અયોધ્યામાં ઘ્વજરોહણ સમારોહ, મંદિર દર્શનનો સમય બદલાયો, જાણો PM મોદીનું સંપૂર્ણ શિડ્યુઅલ
West Bengal: પશ્વિમ બંગાળમાં જમા નથી થયા 10 લાખ SIR ફોર્મ, મતદાર યાદીમાંથી હટી શકે છે નામ
West Bengal: પશ્વિમ બંગાળમાં જમા નથી થયા 10 લાખ SIR ફોર્મ, મતદાર યાદીમાંથી હટી શકે છે નામ
Eighth Pay Commission: જો 18000 બેસિક પે છે તો કેટલી થઈ જશે સેલેરી? જાણો શું રહી શકે છે ફિટમેન્ટ ફેક્ટર
Eighth Pay Commission: જો 18000 બેસિક પે છે તો કેટલી થઈ જશે સેલેરી? જાણો શું રહી શકે છે ફિટમેન્ટ ફેક્ટર
TRAIએ બ્લોક કર્યા 21 લાખ ફોન નંબર્સ, મોબાઈલ યુઝર્સ માટે એડવાઈઝરી જાહેર
TRAIએ બ્લોક કર્યા 21 લાખ ફોન નંબર્સ, મોબાઈલ યુઝર્સ માટે એડવાઈઝરી જાહેર
T20 World Cup 2026 Full Schedule: આ દિવસે કોલંબોમાં ટકરાશે ભારત-પાકિસ્તાન, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
T20 World Cup 2026 Full Schedule: આ દિવસે કોલંબોમાં ટકરાશે ભારત-પાકિસ્તાન, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
ઇથોપિયાના જ્વાળામુખીની રાખ દિલ્હી પહોંચી, જયપુર અને જેસલમેરમાં અસર, ફ્લાઇટ્સ રદ, DGCA એલર્ટ પર
ઇથોપિયાના જ્વાળામુખીની રાખ દિલ્હી પહોંચી, જયપુર અને જેસલમેરમાં અસર, ફ્લાઇટ્સ રદ, DGCA એલર્ટ પર
China-US Relations: ડોનાલ્ડ ટ્રમ્પ એપ્રિલમાં જશે બીજિંગ, ચીની રાષ્ટ્રપતિ પણ કરશે અમેરિકાનો પ્રવાસ
China-US Relations: ડોનાલ્ડ ટ્રમ્પ એપ્રિલમાં જશે બીજિંગ, ચીની રાષ્ટ્રપતિ પણ કરશે અમેરિકાનો પ્રવાસ
'મતદાર યાદીમાંથી હટી જશે તમારુ નામ', ચૂંટણી અધિકારી બની ઠગ કરી રહ્યા છે કૉલ, બચવા આટલું ધ્યાન રાખો
'મતદાર યાદીમાંથી હટી જશે તમારુ નામ', ચૂંટણી અધિકારી બની ઠગ કરી રહ્યા છે કૉલ, બચવા આટલું ધ્યાન રાખો
Embed widget