શોધખોળ કરો

વર્ષો બાદ એક મંચ પર જોવા મળશે ઉદ્ધવ અને રાજ ઠાકરે! 5 જૂલાઈએ મોટી રેલી, મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું

ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે ભલે રાજકીય રીતે અલગ હોય, પરંતુ તેમણે મરાઠી ભાષાના મુદ્દા પર સાથે આવવાનું નક્કી કર્યું છે.

Uddhav Thackeray Raj Thackery News: ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે ભલે રાજકીય રીતે અલગ હોય, પરંતુ તેમણે મરાઠી ભાષાના મુદ્દા પર સાથે આવવાનું નક્કી કર્યું છે. તેમના પક્ષો હિન્દી ભાષા લાદવા અને ધોરણ 1 થી 5 માટે સરકારના ત્રણ ભાષાના ફોર્મ્યુલા સામે સંયુક્ત રીતે વિરોધ કરશે.

5 જુલાઈના રોજ વિરોધ પ્રદર્શન શિવસેના (ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે) ના વડા ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) ના વડા રાજ ઠાકરેને એક મંચ પર લાવશે. ગુરુવારે એક જ સમયે અલગ અલગ પ્રેસ કોન્ફરન્સ સંબોધતા બંને નેતાઓએ કહ્યું કે તેઓ હિન્દી અને ત્રણ ભાષાના ફોર્મ્યુલા લાદવાનો સખત વિરોધ કરશે.

ઉદ્ધવ તરત જ વિરોધમાં જોડાવા સહમત થયા - સંજય રાઉત

ઉદ્ધવે 7 જુલાઈના રોજ આઝાદ મેદાન ખાતે કેટલાક સંગઠનો દ્વારા આયોજિત વિરોધ પ્રદર્શનમાં જોડાવાની જાહેરાત કરી હતી, જ્યારે તેમના પિતરાઈ ભાઈ રાજે કહ્યું હતું કે તેઓ 6 જુલાઈના રોજ ગિરગાંવ ચોપાટીથી બિન-રાજકીય માર્ચો કાઢશે અને શિવસેના (ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે) સહિત તમામ રાજકીય પક્ષોના નેતાઓને આમંત્રણ આપશે.

શિવસેના (ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે)ના નેતા સંજય રાઉતે શુક્રવારે પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે રાજ ઠાકરેએ તેમને 6 જુલાઈના રોજ વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું છે. તેમણે કહ્યું કે ઉદ્ધવે તાત્કાલિક વિરોધ પ્રદર્શનમાં જોડાવા માટે સંમતિ આપી હતી, પરંતુ તેમણે ચિંતા વ્યક્ત કરી હતી કે રાજ્યભરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવાતી અષાઢ એકાદશી 6 જુલાઈએ છે, જેના કારણે આ વિરોધ દરેક માટે અસુવિધાજનક રહેશે.

5 જુલાઈએ મનસે અને શિવસેના (ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે)નો સંયુક્ત વિરોધ

સંજય રાઉતે કહ્યું કે શિવસેના (ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે)ના વડાએ 5 જુલાઈએ બંને પક્ષો તરફથી સંયુક્ત વિરોધનું સૂચન કર્યું હતું અને રાજ ઠાકરે તેમાં સંમત થયા હતા. તેમણે કહ્યું કે, 5 જુલાઈએ મનસે અને શિવસેના (ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે)નો સંયુક્ત વિરોધ થશે. ફક્ત સમય નક્કી કરવાનો રહેશે, કારણ કે રાજ ઠાકરેએ સવારે 10 વાગ્યે વિરોધનું સૂચન કર્યું છે અને તે લોકો માટે અસુવિધાજનક રહેશે.

તેમણે કહ્યું કે બંને પક્ષો વિરોધ પ્રદર્શનના સમય અંગે ચર્ચા કરશે. છેલ્લા કેટલાક દિવસોથી ઠાકરે બંધુઓ વચ્ચે સંભવિત સમાધાનની વાતો ચાલી રહી છે અને ભાષાનો મુદ્દો તેમને એક સાથે આવવા માટે જરૂરી પ્લેટફોર્મ સાબિત થઈ શકે છે.

હિન્દી વૈકલ્પિક ભાષા હશે, જ્યારે મરાઠી ફરજિયાત છે - દેવેન્દ્ર ફડણવીસ

રાઉતે કહ્યું કે બંને પિતરાઈ ભાઈઓ માને છે કે આ વખતેની લડાઈ 1960 માં રાજ્યની રચના માટે સંયુક્ત મહારાષ્ટ્ર ચળવળ દરમિયાન લડવામાં આવેલી લડાઈ જેવી જ હોવી જોઈએ અને ઠાકરે પરિવારે તેનું નેતૃત્વ કરવું જોઈએ. રાજ્યસભાના સભ્યએ જણાવ્યું હતું કે મુંબઈને તોડવા અને મહારાષ્ટ્રમાંથી મરાઠી માનુષને બહાર કાઢવા માટે હવે આવા જ હુમલાઓ થઈ રહ્યા છે.

તેમણે કહ્યું કે અન્ય રાજકીય પક્ષોને પણ વિરોધમાં ભાગ લેવા માટે આમંત્રિત કરવામાં આવશે. MNS મુંબઈ એકમના પ્રમુખ સંદીપ દેશપાંડેએ કહ્યું, "મરાઠી માનુષ તરીકે, હું રાજ સાહેબે મરાઠી માનુષ માટે જે રીતે નેતૃત્વ કર્યું તેનાથી ખુશ છું અને ઉદ્ધવ સાહેબે પણ એ જ રીતે સકારાત્મક પ્રતિભાવ આપ્યો. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સ્પષ્ટ કર્યું છે કે હિન્દી વૈકલ્પિક ભાષા રહેશે, જ્યારે મરાઠી ફરજિયાત છે." 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bihar MLC Election 2026: BJPએ પવન સિંહને તો JDUએ નિશાંત કુમારને બનાવ્યા MLC ઉમેદવાર
Bihar MLC Election 2026: BJPએ પવન સિંહને તો JDUએ નિશાંત કુમારને બનાવ્યા MLC ઉમેદવાર
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
નોઇડા સેક્ટર-75ની Ivy County સોસાયટીમાં ભયંકર આગ, ફ્લેટ બળીને ખાક, જાણો અપડેટ્સ
નોઇડા સેક્ટર-75ની Ivy County સોસાયટીમાં ભયંકર આગ, ફ્લેટ બળીને ખાક, જાણો અપડેટ્સ
"મને આઘાત લાગ્યો,રાજીનામું આપી રહ્યો છું..." CM DK શિવકુમારને કોણે આપ્યો મોટો ઝટકો, આપી દીધુ રાજીનામું

વિડિઓઝ

PM Modi in Daman: દમણમાં PM મોદીનું સંબોધન
Hun To Bolish : હું તો બોલીશ : પ્રિ-મોન્સૂન કામગીરી પેપર પર ?
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ ડંકી રૂટ
PM Modi on Congress: સુરતમાં PM મોદીના કોંગ્રેસ પર આકરા પ્રહાર
Amit Khunt suicide case: અમિત ખૂંટ આત્મહત્યા કેસના સહઆરોપીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Daman Visit : 'યુદ્ધ વચ્ચે પણ ભારતનો વિકાસ દર નથી અટક્યો': PM મોદી
PM Modi Daman Visit : 'યુદ્ધ વચ્ચે પણ ભારતનો વિકાસ દર નથી અટક્યો': PM મોદી
Bihar MLC Election 2026: BJPએ પવન સિંહને તો JDUએ નિશાંત કુમારને બનાવ્યા MLC ઉમેદવાર
Bihar MLC Election 2026: BJPએ પવન સિંહને તો JDUએ નિશાંત કુમારને બનાવ્યા MLC ઉમેદવાર
ભાજપ સાંસદ મનસુખ વસાવાની વિવાદીત સલાહ, 'કેમિકલયુક્ત દારુ પીવા કરતાં ઘરે મહુડાનો દારુ બનાવીને પીવો'
ભાજપ સાંસદ મનસુખ વસાવાની વિવાદીત સલાહ, 'કેમિકલયુક્ત દારુ પીવા કરતાં ઘરે મહુડાનો દારુ બનાવીને પીવો'
PM Modi Gujarat Visit: 'જ્યાં પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
PM Modi Gujarat Visit: 'જ્યાં પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
Driving License: એક્સપાયર ડ્રાઈવિંગ લાઈસન્સ હોવા પર થઈ શકે છે ભારે દંડ, જાણો નિયમો
Driving License: એક્સપાયર ડ્રાઈવિંગ લાઈસન્સ હોવા પર થઈ શકે છે ભારે દંડ, જાણો નિયમો
GSRTC Recruitment 2026: GSRTCના ડ્રાઈવર-કંડક્ટર માટે ભરતી જાહેર, જાણો ક્યારથી ભરી શકાશે ઓનલાઈન ફોર્મ
GSRTC Recruitment 2026: GSRTCના ડ્રાઈવર-કંડક્ટર માટે ભરતી જાહેર, જાણો ક્યારથી ભરી શકાશે ઓનલાઈન ફોર્મ
Googleમાં ફરી છટણી! ક્લાઉડ અને ટૉપ સાયબર સિક્યોરિટી ટીમના કર્મચારીઓએ ગુમાવી નોકરી
Googleમાં ફરી છટણી! ક્લાઉડ અને ટૉપ સાયબર સિક્યોરિટી ટીમના કર્મચારીઓએ ગુમાવી નોકરી
India GDP Growth: નાણાકીય વર્ષ 2026માં GDP વૃદ્ધિ દર 7.7 ટકા રહ્યો, સરકારે જાહેર કર્યા આંકડા
India GDP Growth: નાણાકીય વર્ષ 2026માં GDP વૃદ્ધિ દર 7.7 ટકા રહ્યો, સરકારે જાહેર કર્યા આંકડા
Embed widget