શોધખોળ કરો

બળવા બાદ શરદ પવારે સતારામાં બતાવ્યો પાવર, કહ્યું- ભાજપને તેની જગ્યા.....

Maharashtra NCP Crisis: રવિવારે NCP નેતા અજિત પવાર વરિષ્ઠ પવારને ઝટકો આપતા શિંદે સરકારમાં જોડાયા. તેમણે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા.

Sharad Pawar In Satara: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)માં અજિત પવારના બળવાના એક દિવસ પછી, પાર્ટીના વડા શરદ પવારે સોમવારે (3 જુલાઈ) સતારામાં સમર્થકોને સંબોધિત કર્યા. આ દરમિયાન એનસીપી નેતાએ કહ્યું, આજે આપણે બધાએ એક થવાની જરૂર છે.

શરદ પવાર સોમવારે મહારાષ્ટ્રના સતારા પહોંચ્યા અને વાય બી ચૌહાણને શ્રદ્ધાંજલિ આપી. સતારાનાં કરાડમાં વાયબી ચવ્હાણ સ્મારક સ્થળ પર પાર્ટી સમર્થકોને સંબોધતા વરિષ્ઠ પવારે કહ્યું, આપણે બધાએ હવે એકજૂટ રહેવાની જરૂર છે. આ પહેલા શરદ પવારે રોડ શો કરીને પોતાની તાકાત બતાવી હતી.

મહારાષ્ટ્રે એકતા બતાવવી પડશે - શરદ પવાર

તેમણે કહ્યું કે, મહારાષ્ટ્રને જાતિ અને ધર્મના નામે વહેંચવામાં આવી રહ્યું છે. ધાર્મિક વિવાદ ઉશ્કેરવામાં આવી રહ્યો છે. અમે મહારાષ્ટ્રને મજબૂત કર્યા વિના રોકાઈશું નહીં. મહારાષ્ટ્રે પોતાની એકતા બતાવવી પડશે. ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર કરતા એનસીપીના વડાએ કહ્યું કે, ભાજપ હંમેશા આ પ્રકારની રમત રમે છે. ભાજપને તેનું યોગ્ય સ્થાન બતાવતા રહીશું.

અમે ફરીથી મજબૂત બનીશું - શરદ પવાર

પવારે કહ્યું, ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં અમે મહારાષ્ટ્રની સેવા કરી રહ્યા હતા, પરંતુ કેટલાક લોકોએ તેને પડતો મૂક્યો. માત્ર મહારાષ્ટ્રમાં જ નહીં, પરંતુ દેશમાં - દિલ્હી, પંજાબ, બંગાળ, જ્યાં પણ સરકાર લોકતાંત્રિક રીતે કામ કરી રહી છે, તેના પર પ્રહારો થઈ રહ્યા છે.

અમે આ બધાની સામે ઊભા રહેવાનો પ્રયાસ કર્યો પરંતુ કમનસીબે અમારામાંથી કેટલાક બાકાત રહી ગયા. તમારા સમર્થનથી અમે ફરી મજબૂત બનીશું અને મહારાષ્ટ્ર ફરી એકવાર પ્રગતિના પંથે આગળ વધશે.

શરદ પવારની પાર્ટી એનસીપીને તેમના જ ભત્રીજા અજિત પવારે તોડી નાંખી છે. અજિત પવારે ભાજપ અને એકનાથ શિંદેની સરકારને સમર્થન આપ્યું અને ડેપ્યુટી સીએમની ખુરશી પર બેઠા. પવાર પરિવારમાં આ વિદ્રોહની ઘણી ચર્ચા છે અને કહેવામાં આવી રહ્યું છે કે આ વિખવાદ ઘણા સમયથી ચાલી રહ્યો હતો. હવે NCP ચીફ શરદ પવારે આ અંગે જવાબ આપ્યો છે. તેમણે કહ્યું છે કે ગમે તે થાય પરંતુ પરિવારમાં કોઈ સમસ્યા નથી.

એનડીટીવીને આપેલા ઈન્ટરવ્યુમાં શરદ પવારે કહ્યું કે પરિવારમાં કોઈ સમસ્યા નથી. અમે પરિવારમાં રાજકારણની ચર્ચા કરતા નથી, પરિવારમાં દરેકને પોતાનો નિર્ણય લેવાનો અધિકાર છે અને તેઓ પણ તેમ જ કરે છે. આ ઈન્ટરવ્યુ દરમિયાન શરદ પવારે સ્પષ્ટ કર્યું હતું કે તેમણે હાલમાં કોઈ ધારાસભ્ય સાથે વાત કરી નથી અને તેઓ અત્યારે કોઈના સંપર્કમાં નથી. તેમણે કહ્યું કે તે સતારા જઈ રહ્યા છે. જ્યાં તેઓ સ્વાતંત્ર્ય સેનાની વાયબી ચવ્હાણના સ્મારકની મુલાકાત લેશે.

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Embed widget