Maharashtra Politics: મહા વિકાસ અઘાડી ગઠબંધન સાથે ચૂંટણી લડશે ? NCP ચીફ શરદ પવારે આપ્યો જવાબ
Sharad Pawar On Alliance: મહારાષ્ટ્રમાં મહા વિકાસ અઘાડી (MVA) ગઠબંધનમાં NCP સિવાય કોંગ્રેસ અને શિવસેનાનો સમાવેશ થાય છે.
![Maharashtra Politics: મહા વિકાસ અઘાડી ગઠબંધન સાથે ચૂંટણી લડશે ? NCP ચીફ શરદ પવારે આપ્યો જવાબ maharashtra politics ncp chief sharad pawar says mva should fight elections together Maharashtra Politics: મહા વિકાસ અઘાડી ગઠબંધન સાથે ચૂંટણી લડશે ? NCP ચીફ શરદ પવારે આપ્યો જવાબ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/15/002861903310aee61bbcda32ac04b1d81657897751_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Sharad Pawar On Alliance: મહારાષ્ટ્રમાં મહા વિકાસ અઘાડી (MVA) ગઠબંધનમાં NCP સિવાય કોંગ્રેસ અને શિવસેનાનો સમાવેશ થાય છે. આ ગઠબંધન ચાલુ રાખવા અને ભવિષ્યમાં ચૂંટણી લડવાના પ્રશ્ન પર શરદ પવારે કહ્યું કે તેમની પાર્ટીમાં આ અંગે ચર્ચા થઈ નથી. તેમણે કહ્યું,‘‘એમવીએ સાથે મળીને ચૂંટણી લડવી જોઈએ તે મારો અંગત અભિપ્રાય છે.’’ એનસીપી અધ્યક્ષે કહ્યું કે મહારાષ્ટ્રમાં નવી સરકાર બન્યાને 15 દિવસ થઈ ગયા છે, પરંતુ હજુ સુધી માત્ર બે લોકો જ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ વહીવટ સંભાળી રહ્યા છે. "કેબિનેટની રચનામાં વિલંબ કેમ થઈ રહ્યો છે, તે જાણી શકાયું નથી. તેઓ માત્ર MVA સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયોને રદ કરવા માટે કામ કરી રહ્યા છે. આ એક સારું ઉદાહરણ નથી."
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના પ્રમુખ શરદ પવારે શુક્રવારે સંસદ ભવન સંકુલમાં દેખાવો અને ધરણા પર પ્રતિબંધ મૂકવાના નિર્ણયનો સખત વિરોધ કર્યો હતો. તેમણે તેને ચૂંટાયેલા પ્રતિનિધિઓના લોકતાંત્રિક અધિકારો પર હુમલો ગણાવ્યો હતો. નોંધનીય છે કે રાજ્યસભા સચિવાલયે એક પરિપત્ર જારી કરીને કહ્યું છે કે સંસદ ભવન સંકુલમાં કોઈ પ્રદર્શન, ધરણા કે ધાર્મિક કાર્યક્રમો નહીં થાય.
પવારે વિરોધ પ્રદર્શનો પર પ્રતિબંધ અંગે આ વાત કહી
પવારે કહ્યું, "લોકતાંત્રિક અધિકારો પરના કોઈપણ હુમલાને સહન કરવામાં આવશે નહીં." સંસદનું ચોમાસુ સત્ર 18મી જુલાઈથી શરૂ થઈ રહ્યું છે. પવારે કહ્યું કે જ્યારે સંસદની અંદર સાંસદોનો અવાજ સંભળાતો નથી, ત્યારે તેઓ વોકઆઉટ કરે છે અને પરિસરમાં સ્થિત મહાત્મા ગાંધીની પ્રતિમાની સામે શાંતિપૂર્વક વિરોધ કરે છે. ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાને કહ્યું, "અધિકારો આપવામાં ઇનકાર કરવામાં આવી રહ્યો છે, જે સહન કરવામાં આવશે નહીં." જ્યારે તેમને સમર્થન જાહેર કરવા માટે પૂછવામાં આવ્યું ત્યારે પવારે કહ્યું, "દરેક રાજકીય પક્ષને પોતાનો નિર્ણય લેવાનો અધિકાર છે."
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)