શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
PM મોદી બાદ મમતા બેનર્જીની મોટી જાહેરાત, બંગાળ સરકાર જૂન 2021 સુધી આપશે મફત અનાજ
મમતા બેનર્જીએ જાહેરાત કરી કે જૂન 2021 સુધી રાજ્યમાં તમામ લાભાર્થીઓને મફત અનાજ આપવામાં આવશે.
![PM મોદી બાદ મમતા બેનર્જીની મોટી જાહેરાત, બંગાળ સરકાર જૂન 2021 સુધી આપશે મફત અનાજ Mamta banerjee big announcement bengal government will give free ration by june 2021 PM મોદી બાદ મમતા બેનર્જીની મોટી જાહેરાત, બંગાળ સરકાર જૂન 2021 સુધી આપશે મફત અનાજ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/06/01022915/mamta-banerjee-west-bangal-cm.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હી : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કેંદ્રની મોદી સરકારે દેશની તમામ જનતાને મફત અનાજ આપવું જોઈએય આ સાથે જ મમતા બેનર્જીએ જાહેરાત કરી કે જૂન 2021 સુધી રાજ્યમાં તમામ લાભાર્થીઓને મફત અનાજ આપવામાં આવશે. આ સિવાય મમતા બેનર્જીએ ચીન સાથેના તણાવ મુદ્દે પણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કેટલીક એપ પર પ્રતિબંધ મુકવો પર્યાપ્ત નથી, આપણે ચીનને યોગ્ય જવાબ આપવો પડશે.
આ સાથે જ મમતા બેનર્જીએ રાજ્યમાં એક જૂલાઈથી શરૂ થઈ રહેલા અનલોક 2ને લઈને ઘણી છૂટની જાણકારી આપી છે. આ સાથે જ પ્રાઈવેટ બસ ઓપરેટરોને ચેતવ્યા કે તેઓ ભાડુ વધારવાની માંગ છોડી દે.
મમતા બેનર્જીએ કહ્યું કે પશ્ચિમ બંગાળમાં સવારે 5.30થી 8.30 સુધી મોર્નિંગ વોકની છૂટ રહેશે. આ સમયે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું પડશે. રાજ્યમાં યોજાના લગ્ન સમારોહમાં 50 લોકો સામેલ થઈ શકશે. જ્યારે મરણમાં 25 લોકોને ભેગા થવાની છૂટ હશે.
ઉલ્લેખનીય છે કે દેશમાં એક જૂલાઈથી અનલોક 2 લાગૂ થઈ રહ્યું છે. કેંદ્ર સરકારે તેને લઈને સોમવારે ગાઈડલાઈન પણ જાહેર કરી છે. અનલોક 1ની જેમ અનલોક 2માં પણ રાજ્યોને છૂટ આપવામાં આવી છે કે તેઓ પોતાની જરૂરિયાત મુજબ કેંદ્રના દિશાનિર્દેશમાં બદલાવ કરી શકે છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
શિક્ષણ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)