શોધખોળ કરો

Violence: મણિપુર ફરી સળગ્યું, સ્થિતિ વણસતાં કેન્દ્ર સરકાર એક્શનમાં, ડીજી CRPF મણિપુર જવા રવાના

Manipur Violence: રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સુરક્ષા દળો અને પોલીસ નવી રણનીતિ બનાવી રહ્યા છે. કેટલાક વિસ્તારોમાં જ્યાં કર્ફ્યુમાં રાહત આપવામાં આવી હતી. ત્યાં ફરી કર્ફ્યુ લાદવામાં આવ્યો છે.

Manipur Violence:મણિપુરમાં  હિંસા ફાટી નીકળતાં અને  સ્થિતિ ફરી એકવાર  કાબૂ બહાર થઈ જતાં  કેન્દ્ર સરકાર એક્શનમાં આવી ગઈ છે. હાલની સ્થિતિને જોતા DG CRPF અનિશ દયાલ મણિપુર જવા રવાના થઈ ગયા છે. તે ત્યાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરશે. બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મહારાષ્ટ્રમાં પોતાની તમામ રેલીઓ રદ્દ કરી દીધી છે. તેઓ નાગપુરથી દિલ્હી પરત ફર્યા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સુરક્ષા દળો અને રાજ્ય પોલીસ નવી રણનીતિ બનાવી રહી છે. મણિપુરના કેટલાક વિસ્તારોમાં જ્યાં કર્ફ્યુમાં રાહત આપવામાં આવી હતી. ત્યાં ફરી કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. કેટલાક વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે. ફરી એકવાર મણિપુરના કેટલાક વિસ્તારોમાં સતત તણાવના અહેવાલો સામે આવી રહ્યા છે. બિષ્ણુપુર, ઇમ્ફાલ, જીરીબીમ વિસ્તારોમાં વધુ તણાવ છે. આવી સ્થિતિમાં અહીં પણ ફરી કર્ફ્યુ લાદવામાં આવ્યો છે.

જેના કારણે ફરી હિંસા ફાટી નીકળી છે

નોંધનીય છે કે, મણિપુરમાં તાજેતરની હિંસા એ પછી શરૂ થઈ હતી, જ્યારે જિરીબામમાં ગયા મંગળવારે અપહરણ કરાયેલી એક જ પરિવારની ત્રણ મહિલાઓ અને ત્રણ બાળકોના મૃતદેહ શનિવારે આસામ-મણિપુર બોર્ડર પરથી મળી આવ્યા હતા. આરોપ છે કે કુકીના  આતંકીઓએ  તેમનું અપહરણ કર્યું હતું. આ ક્રૂર હત્યાકાંડ બાદ ગુસ્સે ભરાયેલા મેઇતેઇ લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને સતત હિંસક વિરોધ કરી રહ્યા છે. શનિવારે (ટોળાએ રાજ્યના ત્રણ મંત્રીઓ અને છ ધારાસભ્યોના ઘરોને ઘેરી લીધા અને તોડફોડ કરી. મંત્રીઓના ઘર પર હુમલા બાદ ગુસ્સે ભરાયેલા મેઇતેઇ ટોળાએ મણિપુરના સીએમના ઘર પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.

મેતેઇ  સમાજના લોકોએ અલ્ટીમેટમ આપ્યું

મણિપુરમાં નાગરિક સમાજ જૂથોએ રાજ્ય સરકારને 24 કલાકનું અલ્ટીમેટમ જાહેર કર્યું છે, જેમાં સશસ્ત્ર આતંકવાદી જૂથો સામે નિર્ણાયક કાર્યવાહીની માંગણી કરવામાં આવી છે. મણિપુર અખંડિતતા   સંકલન સમિતિના પ્રવક્તા ખુરૈઝામ અથૌબાએ જણાવ્યું હતું કે, "રાજ્યોના તમામ પ્રતિનિધિઓ અને તમામ ધારાસભ્યોએ સાથે બેસીને આ સંકટને વહેલી તકે ઉકેલવા માટે કેટલાક નિર્ણાયક પગલાં લેવા જોઈએ." "જો તેઓ મણિપુરના લોકોના સંતોષ માટે કોઈ નિર્ણય નહીં લે, તો તેમને લોકોના અસંતોષનો ભોગ બનવું પડશે. અમે ભારત સરકાર અને મણિપુર સરકારને કેટલાક નિર્ણાયક પગલાં લેવા માટે 24 કલાકનો સમય આપ્યો છે અને તમામ સશસ્ત્ર જૂથો સામે લશ્કરી કાર્યવાહીનું અલ્ટીમેટમ આપ્યું છે.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાંચીમાં BJPના  દિગગ્જ  નેતાની ગોળી મારીને હત્યા, ધોળા દિવસે ફાયરિંગથી લોકોમાં ફફડાટ
રાંચીમાં BJPના દિગગ્જ નેતાની ગોળી મારીને હત્યા, ધોળા દિવસે ફાયરિંગથી લોકોમાં ફફડાટ
ભારતમાં છે દુનિયાના સૌથી વધુ મુસલમાન ? કેન્દ્રીય મંત્રીએ સંસદમાં કર્યો મોટો દાવો
ભારતમાં છે દુનિયાના સૌથી વધુ મુસલમાન ? કેન્દ્રીય મંત્રીએ સંસદમાં કર્યો મોટો દાવો
IPL- RR vs KKR: આજે ગુવાહાટીમાં વરસાદ બનશે વિલન ? જાણો પીચ રિપોર્ટ, હવામાન સહિત અન્ય ડિટેલ્સ...
IPL- RR vs KKR: આજે ગુવાહાટીમાં વરસાદ બનશે વિલન ? જાણો પીચ રિપોર્ટ, હવામાન સહિત અન્ય ડિટેલ્સ...
અમરેલીના મોટી મુંજીયાસરની શાળામાં એક સાથે 40 વિદ્યાર્થીઓએ હાથ પર બ્લેડથી માર્યો કાપા, જાણો શું છે મામલો
અમરેલીના મોટી મુંજીયાસરની શાળામાં એક સાથે 40 વિદ્યાર્થીઓએ હાથ પર બ્લેડથી માર્યો કાપા, જાણો શું છે મામલો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Police Officer Death: હરિયાણામાં સર્જાઈ મોટી દુર્ઘટના, ગુજરાત પોલીસના ત્રણ પોલીસકર્મીના મોતBharuch: સામાન્ય બાબતમાં મિત્રએ જ મિત્રની કરી નાંખી ઘાતકી હત્યા, જાણો આખો મામલો વીડિયોમાંAhmedabad Muder: સામાન્ય બાબતમાં યુવકની છરી મારીને હત્યા, પેટ્રોલિંગ વખતે પોલીસ કરી રહી હતી આરામSurat Crime:દુષ્કર્મ અને પોક્સોના આરોપીએ શૌચાલયમાં ગળેફાંસો ખાઈને કરી આત્મહત્યા | 26-3-2025

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાંચીમાં BJPના  દિગગ્જ  નેતાની ગોળી મારીને હત્યા, ધોળા દિવસે ફાયરિંગથી લોકોમાં ફફડાટ
રાંચીમાં BJPના દિગગ્જ નેતાની ગોળી મારીને હત્યા, ધોળા દિવસે ફાયરિંગથી લોકોમાં ફફડાટ
ભારતમાં છે દુનિયાના સૌથી વધુ મુસલમાન ? કેન્દ્રીય મંત્રીએ સંસદમાં કર્યો મોટો દાવો
ભારતમાં છે દુનિયાના સૌથી વધુ મુસલમાન ? કેન્દ્રીય મંત્રીએ સંસદમાં કર્યો મોટો દાવો
IPL- RR vs KKR: આજે ગુવાહાટીમાં વરસાદ બનશે વિલન ? જાણો પીચ રિપોર્ટ, હવામાન સહિત અન્ય ડિટેલ્સ...
IPL- RR vs KKR: આજે ગુવાહાટીમાં વરસાદ બનશે વિલન ? જાણો પીચ રિપોર્ટ, હવામાન સહિત અન્ય ડિટેલ્સ...
અમરેલીના મોટી મુંજીયાસરની શાળામાં એક સાથે 40 વિદ્યાર્થીઓએ હાથ પર બ્લેડથી માર્યો કાપા, જાણો શું છે મામલો
અમરેલીના મોટી મુંજીયાસરની શાળામાં એક સાથે 40 વિદ્યાર્થીઓએ હાથ પર બ્લેડથી માર્યો કાપા, જાણો શું છે મામલો
Railway ALP Vacancy 2025: રેલવેમાં આસિસ્ટન્ટ લોકો પાયલટની નવી ભરતી, 9900થી વધુ ભરતી માટે નોટિફિકેશન જાહેર
Railway ALP Vacancy 2025: રેલવેમાં આસિસ્ટન્ટ લોકો પાયલટની નવી ભરતી, 9900થી વધુ ભરતી માટે નોટિફિકેશન જાહેર
Health Tips: શું ખરેખર ઝેર સમાન છે અંકુરિત બટાકા? તેને ખાશો તો આવશે ગંભીર પરિણામ
Health Tips: શું ખરેખર ઝેર સમાન છે અંકુરિત બટાકા? તેને ખાશો તો આવશે ગંભીર પરિણામ
WhatsApp પર ચાલશે Instagram, તમે Reelsનો પણ આનંદ માણી શકશો, ખૂબ ઉપયોગી છે આ ટ્રિક
WhatsApp પર ચાલશે Instagram, તમે Reelsનો પણ આનંદ માણી શકશો, ખૂબ ઉપયોગી છે આ ટ્રિક
China Earthquake: ચીનમાં મોડી રાત્રે ભયંકર ભૂકંપનો આવ્યો આંચકો, 4.2ની તીવ્રતાથી ઘ્રૂજી ધરા
China Earthquake: ચીનમાં મોડી રાત્રે ભયંકર ભૂકંપનો આવ્યો આંચકો, 4.2ની તીવ્રતાથી ઘ્રૂજી ધરા
Embed widget