શોધખોળ કરો

Manipur Violence: ભારે વિરોધ પ્રદર્શનો વચ્ચે ઇમ્ફાલમાં કર્ફ્યૂ, ભીડે પોલીસની ગાડીઓમાં ચાંપી આગ

Protest in Manipur:  મણિપુરમાં પાંચ મહિના પહેલા શરૂ થયેલી હિંસાની અસર હજુ પણ દેખાઈ રહી છે

Protest in Manipur:  મણિપુરમાં પાંચ મહિના પહેલા શરૂ થયેલી હિંસાની અસર હજુ પણ દેખાઈ રહી છે. ઈન્ટરનેટ અને શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. તણાવને જોતા ઇમ્ફાલ પૂર્વ અને ઇમ્ફાલ પશ્ચિમમાં કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે.  જૂલાઈથી ગુમ થયેલા બે યુવાનોના મૃતદેહોના ફોટોગ્રાફ સોમવાર (25 સપ્ટેમ્બર)ના રોજ સોશિયલ મીડિયા પર વાયરલ થતા હિંસા શરૂ થઇ હતી.

વિરોધની શરૂઆત સૌપ્રથમ ઇમ્ફાલમાં થઇ હતી.  સિંગજેઈની શેરીઓમાં પોલીસ અને વિરોધીઓ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. વાહનોને આગ ચાંપવામાં આવી હતી. પોલીસે ભીડને વિખેરવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા હતા. વિરોધ પ્રદર્શન બુધવારે (27 સપ્ટેમ્બર) ચાલુ રહ્યું હતું. આ દરમિયાન ઘણા પ્રદર્શનકારીઓ અને સુરક્ષા દળોના જવાનો ઘાયલ થયા હતા.

દેખાવકારોને થયેલી ઈજાઓ અંગે મુખ્યમંત્રી એન બિરેન સિંહે કહ્યું હતું કે  "જો સુરક્ષા દળોએ ગોળીઓ કે કોઈ ઘાતક હથિયારનો ઉપયોગ કર્યો હશે તો સરકાર તેને સહન કરશે નહીં અને તેમની સામે શિસ્તભંગના પગલાં લેવામાં આવશે." ગંભીર ઇજાઓના કિસ્સામાં તપાસ હાથ ધરવામાં આવશે અને તેમને ન્યાય અપાવવામાં આવશે. તેમણે કહ્યું કે તેમને માહિતી મળી હતી કે બદમાશોએ સુરક્ષા દળો પર લોખંડની વસ્તુઓ ફેંકી હતી, જેના કારણે ઘણા પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા હતા.

શું કહ્યું મણિપુર પોલીસ?

મણિપુર પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર રાત્રે 9.30 વાગ્યે પોસ્ટ કર્યું હતું કે ભીડને કાબૂમાં લેવા માટે સુરક્ષા દળોએ ટીયર ગેસના શેલ છોડ્યા અને ભીડને વિખેરી નાખી હતી. બેકાબૂ ટોળાએ પોલીસની જિપ્સીને સળગાવી દીધી હતી.

પોલીસે જણાવ્યું હતું કે, "એક પોલીસકર્મીને પણ માર મારવામાં આવ્યો હતો અને તેની પાસેથી હથિયાર છીનવી લેવાયું હતું. મણિપુર પોલીસ આવી કાર્યવાહીની નિંદા કરે છે અને આવા બદમાશો સામે કડક કાર્યવાહી કરશે. હથિયારો રિકવર કરવા અને બદમાશોની ધરપકડ કરવા માટે કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.

અમિત શાહે સીએમ બિરેન સિંહ સાથે ફોન પર કરી વાત

દરમિયાન, મણિપુરની એન બિરેન સિંહ સરકારે પણ લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી હતી અને કેસ સીબીઆઈને સોંપ્યો હતો. મુખ્યમંત્રી એન. બિરેન સિંહે બુધવારે (27 સપ્ટેમ્બર) જણાવ્યું હતું કે કેન્દ્રીય તપાસ એજન્સી CBIના વિશેષ નિર્દેશક અજય ભટનાગરના નેતૃત્વમાં એજન્સીના અધિકારીઓની એક ટીમ આવી છે. આ ટીમે ગુમ થયેલા બે યુવકોની હત્યા કેસની તપાસ શરૂ કરી છે.

તેમણે કહ્યું કે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે તેમને આશ્વાસન આપ્યું છે કે જેઓએ બંને યુવાનોનું અપહરણ કરીને તેમની હત્યા કરી છે તેમની ધરપકડ કરવામાં આવશે અને તેમને સજા કરવામાં આવશે. ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર, અમિત શાહે મુખ્યમંત્રી એન બિરેન સિંહ સાથે પણ ફોન પર વાત કરી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શું નીતિશ કુમાર રાજ્યસભામાં જશે? JDU નેતાના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો
શું નીતિશ કુમાર રાજ્યસભામાં જશે? JDU નેતાના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો
શરદ પવાર મહાવિકાસ અઘાડી તરફથી હશે રાજ્યસભાના ઉમેદવાર
શરદ પવાર મહાવિકાસ અઘાડી તરફથી હશે રાજ્યસભાના ઉમેદવાર
‘મારું નામ કપાવાનું હતું…’ ત્રીજી વખત રાજ્યસભાની ટિકિટ મળ્યા બાદ રામદાસ આઠવલેનો સૌથી મોટો ખુલાસો!
‘મારું નામ કપાવાનું હતું…’ ત્રીજી વખત રાજ્યસભાની ટિકિટ મળ્યા બાદ રામદાસ આઠવલેનો સૌથી મોટો ખુલાસો!
મહારાષ્ટ્ર રાજ્યસભા ચૂંટણી: શરદ પવાર મેદાનમાં ઉતરશે તો 7 બેઠકો પર ચૂંટણી બિનહરીફ થશે?
મહારાષ્ટ્ર રાજ્યસભા ચૂંટણી: શરદ પવાર મેદાનમાં ઉતરશે તો 7 બેઠકો પર ચૂંટણી બિનહરીફ થશે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રંગ બદલતા નેતા? બુરા ન માનો હોલી હૈ
Arvalli News : માલપુરમાં તળાવમાં ડૂબતા 2 બાળકોના મોત
Hun To Bolish : હું તો બોલીશ : કેરીનો રસ કે ઝેર?
Gold Silver Price Hike : સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, કેટલો વધ્યો ભાવ?
Share Market News : ધૂળેટીના દિવસે ભારતીય શેરબજારમાં કડાકો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ન્યુઝીલેન્ડ ફાઇનલમાં: ફિન એલનની તોફાની સદી અને આફ્રિકાની હાર, જાણો સ્કોરકાર્ડની વિગતો
ન્યુઝીલેન્ડ ફાઇનલમાં: ફિન એલનની તોફાની સદી અને આફ્રિકાની હાર, જાણો સ્કોરકાર્ડની વિગતો
શું નીતિશ કુમાર રાજ્યસભામાં જશે? JDU નેતાના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો
શું નીતિશ કુમાર રાજ્યસભામાં જશે? JDU નેતાના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો
ફિન એલને યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો! 19 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઇતિહાસ
ફિન એલને યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો! 19 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઇતિહાસ
ધૂળેટી પર્વે ગુજરાતમાં ગોઝારી ઘટના: 4 જિલ્લામાં નહાવા પડેલા 11 લોકોના ડૂબવાથી મોત
ધૂળેટી પર્વે ગુજરાતમાં ગોઝારી ઘટના: 4 જિલ્લામાં નહાવા પડેલા 11 લોકોના ડૂબવાથી મોત
બિહારમાં રાતોરાત થશે મોટો ખેલ! નીતીશ કુમાર લેશે ઐતિહાસિક નિર્ણય, મુખ્યમંત્રી પદેથી…
બિહારમાં રાતોરાત થશે મોટો ખેલ! નીતીશ કુમાર લેશે ઐતિહાસિક નિર્ણય, મુખ્યમંત્રી પદેથી…
ગુજરાતમાં નશાના સોદાગરો પર ત્રાટકી પોલીસ: મહેસાણા અમદાવાદ હાઈવે પર ANTF નો સપાટો, લાખોનું MD ડ્રગ્સ ઝડપાયું
ડ્રગ્સ વિરુદ્ધ ગુજરાત પોલીસનું મેગા ઓપરેશન: મહેસાણાથી અરવલ્લી સુધી MD ડ્રગ્સનો કારોબાર પકડાયો
કેરીનો રસ ખાતા પહેલા 100 વાર વિચારજો! ગીર સોમનાથમાં પકડાયો ૨ વર્ષ જૂનો 16 હજાર લીટર અખાદ્ય રસ
કેરીનો રસ ખાતા પહેલા 100 વાર વિચારજો! ગીર સોમનાથમાં પકડાયો ૨ વર્ષ જૂનો 16 હજાર લીટર અખાદ્ય રસ
Stock Market Fall: શેર બજારમાં હાહાકાર, જાણો સેન્સેક્સ-નિફ્ટીમાં ઘટાડા પાછળના કારણો?
Stock Market Fall: શેર બજારમાં હાહાકાર, જાણો સેન્સેક્સ-નિફ્ટીમાં ઘટાડા પાછળના કારણો?
Embed widget