શોધખોળ કરો

મન કી બાતમાં PM મોદીએ જળસંરક્ષણ અને ચંદ્રયાન-2 પર કરી ખાસ વાત, જાણો વિગત

પીએમ મોદીએ કહ્યું પાણીના વિષયે હાલના સમયમાં દેશવાસીઓને મુશ્કેલીમાં મુકી દીધા છે. સરકાર જળ સંરક્ષણ માટે કામ કરી રહી છે. તેઓએ ચંદ્રયાન-2 પર કહ્યું ભારત માટે ગૌરવની વાત છે આપણા વૈજ્ઞાનિકો સર્વશ્રેષ્ઠ છે.

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના રેડિયા કાર્યક્રમ મન કી બાતમા જળ સંરક્ષણથી લઇને જમ્મુ કાશ્મરી સુધી અનેક મુદ્દાઓ પર વાત કરી. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ જળનીતિ પર જોર આપતા કહ્યું કે જળ સંરક્ષણ લોકના હૃદયને સ્પર્શતો વિષય છે. પીએમ મોદીએ કહ્યું પાણીના વિષયે હાલના સમયમાં દેશવાસીઓને મુશ્કેલીમાં મુકી દીધા છે. સરકાર અને એનજીઓ જળ સંરક્ષણ માટે યુદ્ધના ધોરણે કામ કરી રહ્યાં છે.  જેનું ઉત્તમ ઉદાહારણ ઝારખંડના આરા કેરમ ગામ છે. રાંચીના કેરમમાં ગ્રામીણોએ શ્રમદાન કરીને પહાડથી પડતા ઝરણાને સંરક્ષણ કરી રહ્યાં છે. મિઝોરમ દેશનું પહેલું એવું રાજ્ય છે. જેણે જળનીતિ તૈયાર કરી છે. હરિયાણા સરકારે ખેડૂતોને ઓછા પાણી વાળા પાક માટે પ્રેરિત કર્યા છે. જેથી ખેડૂતોને પણ નુકસાન થતું નથી. પીએમ મોદીએ કહ્યું ચંદ્રયાન-2 મિશને ફરી એકવાર એ સાબિત કરી દીધું છે કે જ્યારે વાત નવા નવા ક્ષેત્રમાં કંઈક નવુ કરવાની હોય ત્યારે આપણા વૈજ્ઞાનિકો સર્વશ્રેષ્ઠ છે. વિશ્વ-સ્તરીય છે. આપણે એસેટ મિસાઈલથી અંતરિક્ષમાં હુમલો કરવા અને તેનાથી બચવાની શકિત પણ હાંસિલ કરી છે. ચંદ્રયાન-2 મિશન ઘણી રીતે મહત્વનું છે. જે આપણને ચંદ્ર વિશે ઘણી જાણકારી આપશે. ચંદ્રયાન-2થી આપણને વિશ્વાસ અને નિર્ભયતા મળી છે. જે સમગ્ર રીતે ભારતીય મિશન છે. આ મિશન યુવાનોને વિજ્ઞાન માટે લોકોને પ્રેરિત કરશે. પીએમ મોદીએ દેશના વિદ્યાર્થીઓ માટે એક રસપ્રદ સ્પર્ધા વિશે જણાવતા કહ્યું કે, ક્વિઝ કોમ્પીટિશન દ્વારા સૌથી વધુ માર્કસ મેળવનાર બાળકોને 7 સપ્ટેમ્બરે શ્રીહરિકોટા લઈ જવામાં આવશે. અને ચંદ્રયાન 2 ની લેન્ડિંગ જોવાનો અવસર મળશે. વડાપ્રધાન મોદીએ અમરનાથ યાત્રાની સફળતા માટે જમ્મુ-કાશ્મીરના લોકોની પ્રશંસા કરતા કહ્યું કે કાશ્મીરના લોકો અમરનાથ યાત્રીઓની સેવા અને મદદ કરે છે. આ વર્ષે પાછલા ચાર વર્ષ કરતા વધુ શ્રદ્ધાળુઓ સામેલ થયા છે. જ્યારે ઉત્તરાખંડમાં પણ ચાર ધામની યાત્રા માટે મોટી સંખ્યામાં રેકોર્ડબ્રેક શ્રદ્ધાળુંઓ પહોંચ્યા છે. કાશ્મીર અંગે પીએમ મોદીએ કહ્યું કે, આ સ્પષ્ટ છે કે જે લોકો વિકાસની રાહમાં નફરત ફેલાવવા માંગે છે, અવરોધ પેદા કરવા માંગે તેઓ ક્યારેય પોતાના નાપાક ઇરાદામાં સફળ નહીં થાય.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget