શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
SC-ST એક્ટનો વિરોધ કરનારા સાથે BSP સહમત નહીં, BJP-RSS કરી રહી છે રાજનીતિઃ માયાવતી
![SC-ST એક્ટનો વિરોધ કરનારા સાથે BSP સહમત નહીં, BJP-RSS કરી રહી છે રાજનીતિઃ માયાવતી Mayawati condemns violence during Bharat Bandh over SC/ST protection act SC-ST એક્ટનો વિરોધ કરનારા સાથે BSP સહમત નહીં, BJP-RSS કરી રહી છે રાજનીતિઃ માયાવતી](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/07121408/mayawati.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
લખનઉઃ એસસી-એસટી એક્ટને લઇને છ સપ્ટેમ્બરના રોજ સવર્ણોના ભારત બંધને લઇને બહુજન સમાજવાદી પાર્ટીના નેતા માયાવતીએ કહ્યું હતું કે, આ લોકોની ખોટી ધારણા છે કે એસટી-એસસી એક્ટનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. માયાવતીએ કહ્યું કે, મારી પાર્ટી આ વિચારથી સહમત નથી. બીએસપી સુપ્રીમોએ કહ્યું કે, બીજેપી અને આરએસએસ ખરાબ રાજનીતિ કરી રહી છે અને તેમના દ્ધારા શાસિત રાજ્યોમાં સૌથી વધુ વિરોધ થઇ રહ્યો છે. આ મામલામાં બીજેપી કાવતરુ કરી રહી છે અને રાજકીય સ્વાર્થ માટે તેનો વિરોધ કરી રહી છે.
માયાવતીએ કહ્યું કે, દેશમાં બીજેપીનો જનાધાર ઓછો થઇ રહ્યો છે. બીજેપી એસસી-એસટી એક્ટ સાથે છેડછાડ કરી રહી છે. વાસ્તવમાં આરએસએસની માનસિકતા જાતિવાદી અને બીજેપીની નીતિઓ એસસી-એસટીના વિરોધી છે. બીજી તરફ બીજેપી આ એક્ટથી નારાજ સવર્ણોને મનાવવામાં લાગી છે.
કેન્દ્રિય મંત્રી રામદાસ આઠવલેએ જણાવ્યું હતું કે, એસસી-એસટી એક્ટમાં સંસદમાં સંશોધનની સમીક્ષા કરવામાં આવશે નહી. કાયદામાં ફેરફારની માંગ કરી રહેલા લોકોએ એસસી-એસટીને લઇને પોતાના વ્યવાહરમાં બદલાવ લાવવો જોઇએ, તેમની સાથે સારી રીતે રહેવું જોઇએ.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)