શોધખોળ કરો
લોકડાઉન લાગુ થતાં પત્ની રહી ગઈ પિયરમાં, પતિને આવી યાદ ને ભર્યુ આવું પગલું, જાણો વિગતે
લોકડાઉન દરમિયાન કેટલાક લોકો તણાવમાં પણ આવી ગયા છે અને આત્મહત્યાનું પગલું ભરી બેઠા હોવાના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે.

નવી દિલ્હીઃ કોરોના વાયરસના વધતા કહેરને લઈ દેશમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કરાયુ છે, જે 14 એપ્રિલ મધરાતે પૂરું થશે. લોકડાઉનમાં લોકોને ઘરમાં જ રહેવા આદેશ આપવામાં આવ્યો છે અને સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન કરવા જણાવ્યું છે. લોકડાઉન દરમિયાન કેટલાક લોકો તણાવમાં પણ આવી ગયા છે અને આત્મહત્યાનું પગલું ભરી બેઠા હોવાના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. લોકડાઉન દરમિયાન ઉત્તરપ્રદેશમાં પત્નીના વિરહમાં પતિએ આત્મહત્યા કરી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રિપોર્ટ પ્રમાણે ઉત્તરપ્રદેશના ગોંડામાં એક વ્યક્તિની પત્ની લોકડાઉનના કારણે પિયરમાં ફસાઈ ગઈ હતી. આ વ્યક્તિ ઉપર પત્ની યાદ એટલી બધી વધારે સવાર થઈ ગઈ કે તેણે આત્મહત્યા કરી લીધી હતી. પોલીસના જણાવ્યા મુજબ, યુવકની પત્ની તેના માતા-પિતાના ઘરે ગઈ હતી. જે બાદ લોકડાઉન લાગુ થયું અને તે પિયરમાં જ રહી ગઈ. આ દરમિયાન યુવકને પત્નીની યાદ આવવા લાગી. યુવક પત્નીને મળી શકતો નહોતો, જેના કારણે તે ડિપ્રેશનમાં આવી ગયો અને છેવટે રૂમમાં ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી. હાલ પોલીસ મામલાની તપાસ કરી રહી છે. જોકે પત્નીના વિરહમાં તે ડિપ્રેશનમાં આવી આ પગલુ ભર્યુ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.
વધુ વાંચો























