શોધખોળ કરો

મુંબઈથી દિલ્હી આવતી ઈન્ડિગો ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, એરપોર્ટ પર ઈમરજન્સી એલર્ટ

ઈન્ડિગોની ફ્લાઈટ 6E 762  મુંબઈથી રવાના થઈ હતી અને સવારે 8  વાગ્યાની આસપાસ બોમ્બ હોવાની ધમકી મળી હતી.

મંગળવારે (30  સપ્ટેમ્બર) મુંબઈથી દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળી હતી. ઈન્ડિગોની ફ્લાઈટ 6E 762  મુંબઈથી રવાના થઈ હતી અને સવારે 8  વાગ્યાની આસપાસ બોમ્બ હોવાની ધમકી મળી હતી. માહિતી મળતાં જ દિલ્હી એરપોર્ટ પર સુરક્ષા વધારી દેવામાં આવી હતી અને કટોકટી જાહેર કરવામાં આવી હતી. વિમાન લેન્ડિંગ દરમિયાન તમામ સુરક્ષા પગલાં કડક રીતે અનુસરવામાં આવ્યા હતા જોકે તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી.

ફ્લાઇટમાં આશરે 200  મુસાફરો હતા. ધમકી મળ્યા પછી તરત જ દિલ્હી એરપોર્ટ પર સંપૂર્ણ કટોકટી જાહેર કરવામાં આવી હતી. એરપોર્ટ અધિકારીઓ અને સુરક્ષા એજન્સીઓએ તમામ જરૂરી સુરક્ષા વ્યવસ્થા કરી હતી અને વિમાનના સલામત ઉતરાણ માટે તૈયારીઓ કરી હતી. જોકે, તપાસમાં જાણવા મળ્યું હતું કે ધમકી નોન સ્પેસિફિક એટલે કે  તે સ્પષ્ટપણે કોઈ ચોક્કસ ધમકીનો સંકેત આપતી ન હતી. તેમ છતાં, સુરક્ષા એજન્સીઓએ કોઈપણ ભૂલ ટાળવા માટે તમામ પ્રોટોકોલનું પાલન કર્યું હતું.

ઉતરાણ પછી મુસાફરોના સામાનની તપાસ કરવામાં આવી હતી

દિલ્હી એરપોર્ટ પર ઉતરાણ કર્યા પછી બધા મુસાફરોને નીચે ઉતારવામાં આવ્યા હતા અને વિમાનની તપાસ કરવામાં આવી હતી. મુસાફરોના સામાનની પણ સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી. તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી એરપોર્ટ પર સુરક્ષા વધારી દેવામાં આવી હતી.

ઇન્ડિગોએ ધમકી અંગે કઈ માહિતી આપી ?

ઇન્ડિગોના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "મુંબઈથી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટ 6E 762 પર સુરક્ષા ખતરો જોવા મળ્યો હતો. સ્થાપિત પ્રોટોકોલનું પાલન કરીને, અમે તાત્કાલિક સંબંધિત અધિકારીઓને જાણ કરી અને ફ્લાઇટને રવાના કરતા પહેલા જરૂરી સુરક્ષા તપાસ કરવામાં તેમની સાથે સંપૂર્ણ સહયોગ કર્યો. અમે અમારા મુસાફરોને થતી અસુવિધાને ઓછી કરવા માટે તમામ પ્રયાસો કર્યા છે, જેમાં તેમને નાસ્તો પૂરો પાડવાનો અને નિયમિત અપડેટ્સ શેર કરવાનો સમાવેશ થાય છે. હંમેશની જેમ, અમારા મુસાફરો, પાઇલટ્સ અને વિમાનની સલામતી અમારી ટોચની પ્રાથમિકતા છે."   

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
Advertisement

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
Wagon R થી લઈ Tata Punch સુધી, આ છે 10 લાખથી ઓછી કિંમતમાં મળતી માઈલેજ કાર, જુઓ લીસ્ટ
Wagon R થી લઈ Tata Punch સુધી, આ છે 10 લાખથી ઓછી કિંમતમાં મળતી માઈલેજ કાર, જુઓ લીસ્ટ
આયુષ્માન કાર્ડમાં 5 લાખ સુધીની લિમિટ, વર્ષમાં કેટલી વાર કરાવી શકો છો સારવાર? જાણો તમામ માહિતી
આયુષ્માન કાર્ડમાં 5 લાખ સુધીની લિમિટ, વર્ષમાં કેટલી વાર કરાવી શકો છો સારવાર? જાણો તમામ માહિતી
વિષ્ણુના 10 અવતારનું કારણ ધર્મની રક્ષા કે કોઈ શ્રાપ? જાણો તેની પાછળનું ચોંકાવનારું રહસ્ય
વિષ્ણુના 10 અવતારનું કારણ ધર્મની રક્ષા કે કોઈ શ્રાપ? જાણો તેની પાછળનું ચોંકાવનારું રહસ્ય
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Embed widget