New Parliament Inauguration: નવા સંસદ ભવનની શું જરુર જો કુશ્તિબાજો..., મોદી સરકાર પર સિદ્ધારમૈયાના આકરા પ્રહારો
New Parliament Inauguration: કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કુસ્તીબાજોને સમર્થન આપતાં નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન માટે કેન્દ્ર પર પ્રહારો કર્યા છે.
![New Parliament Inauguration: નવા સંસદ ભવનની શું જરુર જો કુશ્તિબાજો..., મોદી સરકાર પર સિદ્ધારમૈયાના આકરા પ્રહારો new-parliament-building-inauguration-karnataka-cm-siddaramaiah-attack-modi-government New Parliament Inauguration: નવા સંસદ ભવનની શું જરુર જો કુશ્તિબાજો..., મોદી સરકાર પર સિદ્ધારમૈયાના આકરા પ્રહારો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/24/e8838ca63722717866b4538a888b5d081684899754242356_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
New Parliament Inauguration: કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કુસ્તીબાજોને સમર્થન આપતાં નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન માટે કેન્દ્ર પર પ્રહારો કર્યા છે. તેણે રવિવારે (28 મે) કહ્યું હતું કે, "જો તે વિરોધ કરી રહેલા કુસ્તીબાજોને ન્યાય ન આપી શકે તો નવા સંસદ ભવનની શું જરૂર છે." દિલ્હી પોલીસે સંસદ તરફ કૂચ કરી રહેલા કેટલાક કુસ્તીબાજોની અટકાયત કરી હતી.
તેણે આગળ કહ્યું, એ જાણીને દુઃખ થયું કે ન્યાયની માંગ કરી રહેલા કેટલાક કુસ્તીબાજોની અટકાયત કરવામાં આવી છે. આપણે ભારતીયોએ તેમની સાથે ઊભા રહેવું જોઈએ અને તેમના માટે અવાજ ઉઠાવવો જોઈએ. તેઓએ આપણા માટે મેડલ જીતીને દરેક ભારતીયને ગર્વનો અનુભવ કરાવ્યો છે અને અમને તેમના પર ગર્વ હોવો જોઈએ.
નવી સંસદનું ઉદ્ઘાટન અને કુસ્તીબાજોનું પ્રદર્શન
ખરેખર, PM મોદીએ આજે (28 મે) દિલ્હીમાં નવી સંસદનું ઉદ્ઘાટન કર્યું છે. બીજી તરફ, જંતર-મંતર પર વિરોધ કરી રહેલા કુસ્તીબાજોએ મહિલા 'મહાપંચાયત' બોલાવી હતી અને તેઓ સંસદ તરફ કૂચ કરવાના હતા. વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને બજરંગ પુનિયાએ સુરક્ષા કોર્ડન તોડીને નવા સંસદ ભવન તરફ જવાનો પ્રયાસ કર્યો, જેના પર પોલીસે તેમને કાયદો અને વ્યવસ્થાના ઉલ્લંઘનના આરોપમાં કસ્ટડીમાં લીધા. પોલીસે કુસ્તીબાજોને સંસદ તરફ ન જવાની ચેતવણી આપી હતી, પરંતુ તેઓ આગળ વધ્યા જેના પછી અથડામણ થઈ. રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના વડા બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડની માગણી સાથે દેશના જાણીતા કુસ્તીબાજોએ 23 એપ્રિલે તેમનું આંદોલન ફરી શરૂ કર્યું હતું. બ્રિજ ભૂષણ પર એક સગીર સહિત અનેક મહિલા કુસ્તીબાજોની કથિત જાતીય સતામણીનો આરોપ છે.
કોંગ્રેસે કેન્દ્ર પર હુમલો કર્યો
મહિલા કુસ્તીબાજોને કસ્ટડીમાં લીધા બાદ કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, “રાજ્યભિષેક પૂર્ણ થયા બાદ અહંકારી રાજા રસ્તાઓ પર જનતાના અવાજને કચડી રહ્યા છે.” વાસ્તવમાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીના નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવાના સંદર્ભમાં આ ટ્વિટ કર્યું, હતું "રાજ્યભિષેક પૂર્ણ થઈ ગયો છે - અહંકારી રાજા રસ્તાઓ પર લોકોના અવાજને કચડી રહ્યા છે." કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ આક્ષેપ કર્યો હતો કે, "સરકાર નિર્દયતાથી મહિલા ખેલાડીઓના અવાજને તેમના બુટ નીચે કચડી રહી છે."
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)