શોધખોળ કરો

Nipah virus: પશ્ચિમ બંગાળમાં વધુ 3 લોકોમાં નિપાહ વાયરસના લક્ષણો જોવા મળતા ફફડાટ! 

પશ્ચિમ બંગાળમાં હાલમાં નિપાહ વાયરસ(Nipah virus)ની અસર જોવા મળી રહી છે. મીડિયા અહેવાલો અનુસાર, હવે વધુ ત્રણ લોકો નિપાહ માટે પોઝિટિવ આવ્યા છે.

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં હાલમાં નિપાહ વાયરસ(Nipah virus)ની અસર જોવા મળી રહી છે. મીડિયા અહેવાલો અનુસાર, હવે વધુ ત્રણ લોકો નિપાહ માટે પોઝિટિવ આવ્યા છે, જેના કારણે પશ્ચિમ બંગાળમાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા પાંચ થઈ ગઈ છે. અગાઉ ચેપગ્રસ્ત મળી આવેલા બે આરોગ્ય કર્મચારીઓ હજુ પણ ICU માં સારવાર હેઠળ છે.

સારવાર હેઠળ રહેલા બંનેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આરોગ્ય અધિકારીઓએ આ દર્દીઓના સંપર્કમાં આવેલા આશરે 120 લોકોને ટ્રેક કર્યા છે. તેમને ઘરે જ એકાંતમાં રહેવાની સલાહ આપવામાં આવી છે.

પશ્ચિમ બંગાળમાં આ ચેપી રોગના વધતા જતા બનાવોએ ડોકટરોને ચેતવણી આપી છે. નોંધનીય છે કે નિપાહ વાયરસ(Nipah virus)થી ચેપ દર અને મૃત્યુનું જોખમ બંને વધારે છે. 40-70% ચેપગ્રસ્ત દર્દીઓ મૃત્યુ પામે છે. આ જોખમોને ધ્યાનમાં રાખીને સ્થાનિક રહેવાસીઓને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.

આરોગ્ય અધિકારીઓ શું કહી રહ્યા છે ?

મીડિયા અહેવાલોને ટાંકીને એક અધિકારીએ જણાવ્યું હતું કે, "ચેપના સ્ત્રોતને શોધવાનું મુશ્કેલ છે. તે વ્યક્તિ-થી-વ્યક્તિમાં ટ્રાન્સમિશન હોઈ શકે છે અથવા તે દૂષિત ફળો દ્વારા ફેલાયું હોઈ શકે છે. દર્દીઓનો રાજ્યની બહાર કોઈ પ્રવાસ ઇતિહાસ પણ નથી." આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે રાજ્યમાં ઘણા સ્થળાંતર કામદારો આ સમયની આસપાસ ઘરે પાછા ફરે છે જેના કારણે ચેપનું જોખમ રહેલું છે. હાલમાં રોગ કેવી રીતે ફેલાઈ રહ્યો છે તે નક્કી કરવા માટે પ્રયાસો ચાલી રહ્યા છે.

આ દરમિયાન, આરોગ્ય સચિવ નારાયણ સ્વરૂપે મીડિયાને જણાવ્યું હતું કે તેઓ તમામ જરૂરી પગલાં લઈ રહ્યા છે અને પ્રોટોકોલનું પાલન કરી રહ્યા છે. નિપાહ વિશે ગભરાવાની જરૂર નથી. પશ્ચિમ બંગાળમાં નિપાહ વાયરસથી થયેલા મૃત્યુ બાદ, ઝારખંડ આરોગ્ય વિભાગ એલર્ટ પર છે. આરોગ્ય મંત્રીએ તમામ જિલ્લાઓને કડક દેખરેખ, તાત્કાલિક રિપોર્ટિંગ અને જાહેર જાગૃતિ જાળવવા નિર્દેશ આપ્યો હતો. ત્યાં હજુ સુધી કોઈ કેસ મળ્યો નથી. 

નિપાહ વાયરસ(Nipah virus) મુખ્યત્વે ચામાચીડિયા(Fruit Bats) દ્વારા ફેલાય છે. જોકે, ચામાચીડિયામાંથી તે ડુક્કર, પશુઓ કે મનુષ્યોમાં કેવી રીતે પ્રવેશે છે તે અંગે વૈજ્ઞાનિકો પાસે હજુ કોઈ ચોક્કસ તારણ નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે સંક્રમિત ચામાચીડિયાની લાળ કે પેશાબના સંપર્કમાં આવવાથી ચેપ લાગી શકે છે. નિપાહ વાઈરસમાં મૃત્યુદર 70% જેટલો ઊંચો હોવાથી તે અત્યંત જોખમી માનવામાં આવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મમતા બેનર્જીની TMCમાં મસમોટું ભંગાણ: સ્પીકરે 58 બળવાખોર ધારાસભ્યોના જૂથને આપી મંજૂરી
મમતા બેનર્જીની TMCમાં મસમોટું ભંગાણ: સ્પીકરે 58 બળવાખોર ધારાસભ્યોના જૂથને આપી મંજૂરી
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત
BJP MLA Yogesh Patel passes away : વડોદરા ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
ગુરુ પછી હવે શુક્ર બદલશે ચાલ: ગજલક્ષ્મી રાજયોગથી આ 4 રાશિઓનું જીવન વૈભવી બનશે
ગુરુ પછી હવે શુક્ર બદલશે ચાલ: ગજલક્ષ્મી રાજયોગથી આ 4 રાશિઓનું જીવન વૈભવી બનશે
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર, આ તારીખ ફરી એકવાર લંબાઈ!
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર, આ તારીખ ફરી એકવાર લંબાઈ!
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત
Embed widget