શોધખોળ કરો

દિલ્હી સરકારનો મોટો નિર્ણય, મહારાષ્ટ્ર સહિત 5 રાજ્યોથી આવનારા લોકોએ કોરોના નેગેટિવ રીપોર્ટ બતાવવો ફરજિયાત

આ આદેશ ફ્લાઈટ, ટ્રેન અને બસ (પબ્લિક ટ્રાન્સપોર્ટ)થી દિલ્હી આવનારા પ્રવાસીઓ પર લાગુ થશે જ્યારે કાર(પ્રાઈવેટ વાહન)થી દિલ્હી આવનારા પ્રવાસીને આ નિયમ લાગુ નહીં પડે.

દેશની રાજધાની દિલ્હીમાં કોરોના સંકટની વચ્ચે સરકારે મોટો નિર્ણય કર્યો છે. દિલ્હી સરકાર સાથે જોડાયેલ સૂત્રો અનુસાર, દિલ્હીમાં 5 રાજ્યોમાંથી પબ્લિક ટ્રાન્સપોર્ટથી દિલ્હી આવનારા લોકોએ કોરોના નેગેટિવ રીપોર્ટ બતાવવો ફરજિયાત રહેશે. કેટલાક રાજ્યોમાં કોરોનાના વધતા કેસને કારણે દિલ્હી સરકારે આ નિર્ણય કર્યો છે. મહારાષ્ટ્ર, કેરળ, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને પંજાબથી દિલ્હી આવનારા લોકોએ નેગેટિવ RT-PCR બતાવવા પર જ દિલ્હીમાં એન્ટ્રી મળશે. આ પાંચ રાજ્યોના નોડલ ઓફિસરને કહેવામાં આવશે કે તે પોતાને ત્યાંથી દિલ્હી આવી રહેલ લોકોના 72 કલાક જૂનો નેગેટિવ RT-PCR ટેસ્ટ રીપોર્ટ સુનિશ્ચિત કરે ત્યાર બાદ જ દિલ્હી તરફ પ્રસ્થાન કરવા દેવા. ક્યા પ્રવાસીઓ પર લાગુ રહેશે આ નિર્ણય આ આદેશ ફ્લાઈટ, ટ્રેન અને બસ (પબ્લિક ટ્રાન્સપોર્ટ)થી દિલ્હી આવનારા પ્રવાસીઓ પર લાગુ થશે જ્યારે કાર(પ્રાઈવેટ વાહન)થી દિલ્હી આવનારા પ્રવાસીને આ નિયમ લાગુ નહીં પડે. આ નિર્ણયને લઈને દિલ્હી સરકાર ઔપચારિક આદેશ બહાર પાડી શકે છે. આ આદેશ 26 ફેબ્રુઆરી શુક્રવારથી મોડી રાતથી લઈને 15 માર્ચ બપોરે 12-00 કલાક સુધી લાગુ રહેશે. દિલ્હીમાં કોરોના કેસની કુલ સંખ્યા 6,38,028 થઈ ગઈ છે. તેમાંથી 10,901 દર્દીના મોત થઈ ગયા છે. જોકે આ બીમારીની ઝપેટમાં આવેલ 6,26,086 લોકો ઠીક થયા છે. રાજધાનીમાં એક્ટિવ કેસની સંખ્યા 1041 છે. અત્યાર સુધી 1.20 કરોડ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવે છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IPL 2026 મીની ઓક્શન લિસ્ટમાં  BCCI એ અચાનક 9 ખેલાડીઓને કેમ કર્યા સામેલ, જાણો કારણ 
IPL 2026 મીની ઓક્શન લિસ્ટમાં  BCCI એ અચાનક 9 ખેલાડીઓને કેમ કર્યા સામેલ, જાણો કારણ 

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IPL 2026 મીની ઓક્શન લિસ્ટમાં  BCCI એ અચાનક 9 ખેલાડીઓને કેમ કર્યા સામેલ, જાણો કારણ 
IPL 2026 મીની ઓક્શન લિસ્ટમાં  BCCI એ અચાનક 9 ખેલાડીઓને કેમ કર્યા સામેલ, જાણો કારણ 
એલોન મસ્કની ટેસ્લાને મોટો ફટકો; ભારતમાં નથી વેચાઈ રહી કાર, આ વિદેશી કંપનીએ EV માર્કેટમાં મારી બાજી!
એલોન મસ્કની ટેસ્લાને મોટો ફટકો; ભારતમાં નથી વેચાઈ રહી કાર, આ વિદેશી કંપનીએ EV માર્કેટમાં મારી બાજી!
'ધુરંધર' માં અક્ષય ખન્નાના એન્ટ્રી સોંગે સોશિયલ મીડિયામાં તહેલકો મચાવ્યો, અહી જુઓ ગીતનો શાનદાર VIDEO 
'ધુરંધર' માં અક્ષય ખન્નાના એન્ટ્રી સોંગે સોશિયલ મીડિયામાં તહેલકો મચાવ્યો, અહી જુઓ ગીતનો શાનદાર VIDEO 
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
Ahmedabad: મનપાની કડક કાર્યવાહીઃ અમદાવાદમાં BU પરમિશન વિનાની 13 સ્કૂલોને કરી દીધી સીલ
Ahmedabad: મનપાની કડક કાર્યવાહીઃ અમદાવાદમાં BU પરમિશન વિનાની 13 સ્કૂલોને કરી દીધી સીલ
Embed widget